SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 તો ઘટ લાવ્યા ત્યારે ઘટાકારની વાસના જ કેમ જાગી ? પટાકારની વાસના કેમ ના કે | જાગી? માટે બાહ્ય પદાર્થની સત્તા માનવી જ જોઈએ. પણ આ સૌત્રાન્તિક બૌદ્ધ કહે છે કે બાહ્ય પદાર્થનું અસ્તિત્વ હોવા છતાં તેનું પ્રત્યક્ષ છે થતું નથી. તમને જયારે એમ લાગે છે કે મેં ઘટ જોયો ત્યારે વસ્તુતઃ તમે ઘટનું પ્રત્યક્ષ નથી કર્યું પણ ઘટના જ્ઞાનનું જ પ્રત્યક્ષ કર્યું છે. જેમ શક્તિમાં જયારે રજતનું જ્ઞાન થાય છે ત્યારે ત્યાં રગતિ પમ પ્રત્યક્ષ એવું રજતનું પ્રત્યક્ષ થાય છે તેમ લાગે છે. પણ સામે રજત તો છે જ નહિ, પછી રજતનું પ્રત્યક્ષ થયું જ શી રીતે ? એટલે જેમ અહીં રજાનું જ્ઞાન જ પ્રત્યક્ષ બને છે તેમ બાહ્ય પદાર્થોનું જ્ઞાન જ પ્રત્યક્ષ બને છે, બાહ્ય પદાર્થોનું તો પ્રત્યક્ષ થતું જ નથી. જ્ઞાનનું પ્રત્યક્ષ થતાં તેમાં ઘટાઘાકાર જણાય છે માટે “બહાર | ઘટાદિ હોવા જોઈએ એવું અનુમાન થાય છે. પ્રશ્ન : બાહ્ય પદાર્થનું પ્રત્યક્ષ થવામાં શો વાંધો આવે ? ઉત્તર : પદાર્થ જડ, અચિદૂરૂપ છે માટે ચિદ્વિજ્ઞાનની જેમ એનું સ્વતઃ પ્રત્યક્ષ થાય નહિ. દા.ત. દીવો એ સ્વતઃ પ્રકાશ છે, જયારે ઘડો એ સ્વતઃ પ્રકાશ નથી. ઘડો પોતાની જાતને બતાવે નહિ માટે તે “પરતઃ પ્રકાશ્ય' બન્યો. એટલે “મેં ઘડો જોયો” એવો ભાસ | ભલે થતો હોય પણ વસ્તુતઃ ઘટનું નહિ કિન્તુ ઘટ-જ્ઞાનનું જ પ્રત્યક્ષ થાય છે, કેમકે | | જ્ઞાન જ સ્વતઃ સંવેદ્ય છે. ઘટાકાર-વિજ્ઞાન અને ઘટ પરસ્પર હેતુ છે. ઘટથી ઘટાકાર-વિજ્ઞાન ઉત્પન્ન થાય છે છે, માટે ઘટાકાર-વિજ્ઞાન પ્રત્યે ઘટ એ કારક હેતુ બને અને ઘટાકાર-વિજ્ઞાનથી ઘટ જણાય છે માટે ઘટ પ્રત્યે ઘટાકાર-વિજ્ઞાન એ જ્ઞાપક હેતુ બને. દા.ત. ધૂમ-વહિં પરસ્પર | હેતુ છે. વતિમાંથી ધૂમ ઉત્પન્ન થાય છે માટે વહ્નિ એ ધૂમ પ્રત્યે કારક હેતુ છે. ધૂમ | (પર્વતમાં) વહ્નિનું જ્ઞાપન કરે છે માટે વતિ પ્રત્યે ધૂમ જ્ઞાપક હેતુ બન્યો. બૌદ્ધમતે બાહ્ય પદાર્થમાંથી બે ધારા ચાલે છે. પૂર્વેક્ષણનો ઘટ ઉત્તરક્ષણના ઘટને ઉત્પન્ન કરે છે અને ઉત્તરક્ષણના ઘટવિજ્ઞાનને પણ ઉત્પન્ન કરે છે. (બૌદ્ધમતે નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રમાણભૂત મનાય છે, પ્રકાશાદિથી કલુષિત વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણભૂત મનાતું નથી.). પ્રશ્ન : “પૂર્વેક્ષણનો ઘટ એ ઉત્તરક્ષણમાં ઘટવિજ્ઞાનને ઉત્પન્ન કરે છે એવું જે તમે કહ્યું તેમાં કોઈ નિયમ લાગુ પડે છે ? ઉત્તર : હા, પૂર્વેક્ષણીય ઘટ ઉત્તરભણીય વિજ્ઞાનનો જનક-કારણ બને તો જ તે | ဗttttttttဗ–tottsbootstttttttttttttttttt “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 **** ts1 ન્યાયસિદ્ધાન્તનાવલી ભાગ-૧૦ (૧૦૮) ESS
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy