SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Photos todo s estostestostescasosastosow o sobosoccorso escocostoso toodstocolocaustasoxstochowstostarostas cocootustasorsastustoostascondas castatoxtastastotoostastastastastorexstosoxtofth માત્ર લૌકિક પ્રત્યક્ષ પ્રયોજ્ય વિષમતાવાળું આ જ્ઞાન ન હોવાથી તેને લઈને આત્મામાં અતિવ્યાપ્તિ આવી શકે નહિ. સ્વરૂપ યોગ્યતા-નિવેશનું ફળ : - જો બહિરિન્દ્રિયગ્રાહ્યવિશેષગુણવત્ત્વમાં “ગ્રાહ્ય પદથી બહિરિન્દ્રિય પ્રત્યક્ષની સ્વરૂપ યોગ્યતાવાળા વિશેષ ગુણોવાળાપણું કહેવામાં આવે નહિ તો પરમાણુમાં ભૂતત્વની અવ્યાપ્તિ આવે, કેમકે પરમાણુના વિશેષ ગુણો રૂપાદિ બહિરિન્દ્રિયથી ગ્રાહ્ય નથી. હવે વિશેષગુણોની પ્રત્યક્ષ થવા માટેની સ્વરૂપ યોગ્યતા કહી એટલે તેવી | સ્વરૂપયોગ્યતા પરમાણુમાં રહેલા ગુણોમાં તો છે જ. માટે પ્રત્યક્ષની સ્વરૂપયોગ્યતાવાળા વિશેષગુણવાળાપણું પરમાણમાં છે જ, માટે ત્યાં આવ્યાપ્તિ આવે નહિ. પ્રશ્ન : જો પરમાણુના રૂપાદિમાં પ્રત્યક્ષનો વિષય બનવાની સ્વરૂપ યોગ્યતા છે તો તેમનું પ્રત્યક્ષ કેમ થતું નથી ? ઉત્તર : જો પરમાણમાં મહત્ત્વરૂપ કારણાન્તરનું સન્નિધાન હોત તો જરૂર | પરમાણુના રૂપાદિનું પ્રત્યક્ષ થાત, પણ પરમાણુમાં રહેલ રૂપાદિના પ્રત્યક્ષ માટે જરૂરી મહત્ત્વ નથી માટે તે પરમાણુના રૂપાદિનું પ્રત્યક્ષ થતું નથી. - આ રીતે ભૂતત્વ એટલે વિિન્દ્રિયવિશેષ વર્તમ્ અને તેમાં વળી પ્રદ્યત્વ | मेट. लौकिकसन्निकर्षमात्रप्रयोज्यं यद् बहिरिन्द्रियजन्यप्रत्यक्षविषयत्वं तत् સ્વરૂપયોત્વમ્ એવો અર્થ કર્યો, તેથી તેવા ભૂતત્વની આત્મામાં અતિવ્યાતિ અને પરમાણુમાં અવ્યાપ્તિ આવી નહિ. પ્રશ્ન : આત્માની અતિવ્યાપ્તિ દૂર કરવા માટે તમારે ભૂતત્વનું ઘણું ગૌરવભૂત નિર્વચન કરવું પડ્યું છે જે યોગ્ય નથી. વળી આ લક્ષણ (વિિજિયાહવિશેષગુણવત્તે મૂતત્વ) ઈન્દ્રિયોરૂપ ભૂતમાં અવ્યાપ્ત થાય છે. ઇન્દ્રિયોનું રૂપ અનુદ્દભૂત છે એટલે તે બાધેન્દ્રિયગ્રાહ્ય વિશેષ ગુણ નથી. ઉત્તર : તો પછી ભૂતત્વમ્ એટલે માત્માડવૃત્તિવિશેષપુછાવત્ત એટલું જ લઘુભૂત | નિર્વચન કરીશું. વળી તેથી અવ્યાપ્તિ પણ નહિ આવે. આત્મામાં અવૃત્તિ એવા વિશેષ | ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ, સાંસિદ્ધિક દ્રવ્યત્વ અને સ્નેહ છે. તે વાળા પૃથ્વી, | જળ, તેજ, પવન અને આકાશ એ પાંચ જ છે માટે તે પાંચનું સાધર્મ ભૂતત્વ થયું. | પૃથ્વી, જલ, તેજ, વાયુ આ ચારનું સાધમ્ય સ્પર્શવત્ત્વ છે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy