SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધર સ્વામી ૧૨૩ ૧૨૪ વર્તમાન તીર્થંકર કે એ મૂર્તિપૂજા છે ને ! અને ભૂત તીર્થકરોની છે ને ! એ તીર્થકરો હતા, એ વાત તો સાચી છે ને ! એટલે કેટલાંક લોકો એમ કહે કે દાદા ય આ પ્રમાણે દેરાસર બંધાવવામાં ચાલ્યા ! પણ અમે હવે આવાં સંજોગોમાં મૂકાયા. અમારી આમાં કશી આવી ઈચ્છા જ ના હોય. છે કે મોટા સંત પુરુષો જઈ શકે છે. દાદાશ્રી : આ બધાને મહાવિદેહ ક્ષેત્રમાં વિઝા મળી ગયેલો, અમને બધાને ! મહાત્માઓ : જય સચ્ચિદાનંદ. દાદાશ્રી : વિઝા મળી ગયેલો, આ બધાંને વિઝા મળી ગયેલા. વીસેક હજાર પાસ નીકળ્યા છે. ....આટલો જ એકમેવ ભાવાર્થ છે અમારો સિક્કો માર્યા પછી તીર્થંકર એકલાને જોવાના રહ્યા ! અને એ જુએ એટલે મુક્તિ !! તીર્થંકર, વીતરાગ, છેલ્લી દિશામાં દર્શન કર્યા એટલે મુક્તિ ! બીજું બધું તો અહીં આગળ જ્ઞાની પુરુષે તૈયાર કર્યું. હવે પેલાં વરખ ચોટાડનારા રહ્યા ! મીઠાઈ કોણ કરે ને વરખ કોણ ચોંટાડે ?! સીમંધર સ્વામીને જ પૂજો ! આ દેરાસર એટલા માટે છે કે જગત સીમંધર સ્વામીને ઓળખી શકે. ‘સીમંધર સ્વામી કોણ છે ?” એ ઓળખી શકે. ઘેર ઘેર સીમંધર સ્વામીનાં ફોટા પૂજાશે ને આરતીઓ થશે ને ઠેર ઠેર સીમંધર સ્વામીના દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે !! હજુ ઘણું કામ થવાનું છે, મારા હાથે તો ઘણું કામ થવાનું છે ! આવું કંઈક થશે તો આ લોકોનું કલ્યાણ થશે, નિમિત્ત જોઈશે. એટલે આ સીમંધર સ્વામીનો સંકેત અવશ્ય ફળવાળો છે. એટલે આપણા લોકોએ જ્ઞાન નહીં લીધું હોય ને, ત્યાં સીમંધર સ્વામીના દર્શન કરે તો ય ફળ છે એમાં, એટલે આ બધું બાંધવાનું થાય છે, નહીં તો આપણે આ તો હોતું હશે ? આપણને શોભે ય નહીં આ બધું. અને આ તો જીવતા તીર્થંકર છે, એટલે વાત કરીએ છીએ. બીજા ભૂતકાળના તીર્થંકરની વાત જ કરવાનો અર્થ નથી. આપણને બીજા જોઈએ એટલાં દેરાસર છે જ. એની જરૂર છે. આપણે એને ના નથી કહેતા. કારણ દેરાસર માટે સંજ્ઞા થઈ ! એટલે આ દેરાસર બાંધવાનો વિચાર કરેલો. આમ હું તો આશ્રમે ય બંધાવવાના વિચારોનો નહીં. હું તો આશ્રમે ય બાંધું નહીં. મેં તો આશ્રમે ય બાંધ્યો નથી. અમે તો ગમે ત્યાં બેસીને સત્સંગ આપીએ. પ્રશ્નકર્તા : જૈન ધર્મ તો આશ્રમ બાંધવાની ના જ પાડે છે ને ? દાદાશ્રી : હા. પણ એને માટે બરોબર છે. એટલે આશ્રમની વિરુદ્ધ અમે. આ મંદિરોને માટે આ બધી સંજ્ઞા થઈ એટલે બંધાયું છે. જગત કલ્યાણ માટેની સંજ્ઞા છે અમારી ! નહીં તો હું તો ઈટ ચોડવાવાળો માણસ જ હોય. આ જે ચોડેલી છે એ જ નકામી ચોડી લોકોએ. પણ આમાંથી આ, એ જે ફસામણ કહો કે ગમે તે કહો, પણ આ ફસામણ ઊભી થઈ ગઈ. બાકી અમે તો ઈટ ચોડીએ એવા માણસ જ નહીં... પછી જોડે જોડે વિચારે ય એવા આવ્યા કે આ સીમંધર સ્વામીનું દેરાસર થઈ જાય તો સારું. લોકોના હિતનું છે. સીમંધર સ્વામીના અહીં લોકો જેટલાં દર્શન કરશે ને એટલું વિશેષ ફળદાયી થઈ પડશે. કારણ કે આ તીર્થંકર હાજર છે. હાજર તીર્થકર કહેવાય. બહુ હેલ્પફુલ ! એટલે આ ઈટ ચોડવાનો વખત અત્યારે અમારે આવ્યો. નહીં તો અમારા જ્ઞાનમાં ઈટ ચોડવાનો વખત જ હતો નહીં ! સીમંધર સ્વામી આજે પ્રત્યક્ષ ! આ દેરાસર જે માણસો હાજર નથી, તેનાં દેરાસર બાંધવાના મતનો હું નથી. હું તો જે માણસ હાજર છે, એનાં દેરાસર બાંધવાના
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy