SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધર સ્વામી ૭૮ વર્તમાન તીર્થંકર નીકળી જશે. તીર્થંકર માત્ર, ક્ષત્રિય ! પ્રશ્નકર્તા અમુક વખતે આપ કહો છો કે મોક્ષે જવું એ ક્ષત્રિયોનું કામ. તીર્થંકર ગોત્ર બંધાશે. હવે આમને સવળા કર્યા પછી પાછો આજુબાજુના લોકપ્રવાહ તો પેલી દિશામાં જ જાય છે ને. એટલે પાછા થોડેક છેટે જાય એટલે એમના ઓળખાણવાળા-પારખાણવાળા, ‘ક્યાં જાવ છો આમ પાછાં’ પૂછેને ? ત્યારે કહે, ‘દાદાના સત્સંગમાં.’ ત્યારે એ બધા શું કહેશે, “આ બધા ગાંડા છે ને તમે એકલાં જ ડાહ્યા, હેંડો પાછાં ! નવા ડાહ્યા ક્યાંથી પાક્યા આવા ?!” એટલે આપણને ઠેઠ પહોંચવા ના દે. આ રોકડું આપ્યું એટલે પહોંચવા દેશે, નહિ તો પેલું જો ક્રમિક ચાલુ હોતને તો તો ક્યારના ય પાછાં પડી જાય. પ્રશ્નકર્તા: અમારા જૈન ધર્મમાં એવું છે કે જો મોક્ષે જવું હોય તો, બધાએ તીર્થંકરગોત્ર બાંધવું જ પડે. દાદાશ્રી : ના, ના. મોક્ષે જવું હોય તો આત્મજ્ઞાન થવું જોઈએ, બસ. પ્રશ્નકર્તા : તીર્થંકર થવા માટે કેટલી ડિગ્રી જોઈએ ? દાદાશ્રી : આખા જગતનું કલ્યાણ કરવાનો ભાવ હોય, પોતાની માટે ઈચ્છા જ ના હોય, પોતાનો વિચાર જ ના કરે ક્યારે ય, લોકોના જ વિચાર કરે, એ તીર્થંકર થાય. દાદાશ્રી : ના. તીર્થંકર થવું હોય તો ક્ષત્રિયોનું કામ, મોક્ષમાં તો આ બધાને, બધી નાતો, બ્રાહ્મણ, વાણિયા બધાંને જવાની છૂટ. એવું ક્યાં તેં સાંભળ્યું ? એવું છે ને, ગુણ માટે એ ક્ષત્રિય-વણિકનો ભેદ નથી. ફક્ત તીર્થકરો એકલાં જ ગુણને માટે ભેદ છે. બીજાં બધા માટે તો સમાન છે. ક્ષત્રિયોમાં પ્રતાપ હોય ને વણિકોમાં પ્રતાપ ના હોય, એવું બને નહિ ! કરવું જ છે એટલે પછી એમાં બીજું થાય નહિ. પ્રોમિસ એટલે પ્રોમિસ. એનું મન ઝાવા-દાવા ના માંડે, એ ક્ષત્રિયપણું. જેનું બ્લડ એકદમ ગરમ જ હોય. કોઈનું દુ:ખ જોવાય નહિ, એવું બ્લડ હોય. એ ગુણો હોય તો જ બધું કામ થાયને ! તમારામાં એ ગુણો બધા ઉત્પન્ન થવા માંડ્યા છે, એનું અમારો ઘડો ભરાયો છે, એના જેવું છે ! ક્ષત્રિયોનો ધર્મ જ છે, એ તો સાંભળતાની સાથે જ, સાચું લાગે એટલે માથું મૂકીને કામ જ કરવા માંડે. બીજા બધા તો ઢચુપચુ, ઢચુપચુ થયા કરે. જબરો નબળાને મારતો હોય, પેલાને ત્યાં આગળ ક્ષત્રિય તરત ઓળખાઈ જાય. ક્ષત્રિય ત્યાં રહીને જતો હોય તો ય ઓળખાઈ જાય. ઊભો રહે ને નબળાનું ઉપરાણું લે. જબરાનો થોડો માર ખાય પોતે. આ તો મોક્ષનો માર્ગ છે, જો પાર નીકળ્યો તો બધું આ કામ થઈ જશે એવું છે. અવળા માર્ગથી વાળે ! પ્રશ્નકર્તા : તીર્થંકર થવા માટે શું કરવું પડે ? દાદાશ્રી : એ તો બધું બહુ કરવું પડે. એ વાત આપણે પૂછવાનો અર્થ જ નહીં ને ! અવળો પ્રવાહ ચાલે છે, તેમાં કોઈ સવળો કરી આપશે, તેને પ્રશ્નકર્તા: મને વારંવાર એવું થયા કરે કે તીર્થકર અમારાથી કેમ ના થવાય ? કે પછી સીધો મોક્ષમાં જ જવાય ? પછી જાણવા મળેલું આપના પાસે કે તીર્થંકર ગોત્ર બાંધ્યું હોય તો જ તીર્થંકર થવાય, તો અમારાથી કેવી રીતે હવે ગોત્ર બંધાય ? દાદાશ્રી : હજુ તારે ફરી લાખેક વરસ અવતાર કરવા હોય તો બંધાય. તો ફરી બંધાવી આપું અને પાછું સાતમી નર્કમાં બહુ વખત જવું પડે. કેટલા વખત નર્કમાં જાય, ત્યાર પછી છે તે આવાં સારા પદ મળે. પ્રશ્નકર્તા : પણ એવાં સારા પદ લેવા હોય તો, નર્કમાં જવામાં શું વાંધો ? દાદાશ્રી : તે રહેવા દે, ડહાપણ તારું રહેવા દે છાનોમાનો !
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy