SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધર સ્વામી ૪૧ - - વર્તમાન તીર્થકર પાછો આવે અહીં ? પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલો જીવ અહીં પાછો આવી શકે ? જાય. એટલે કુદરતી ખેંચાણ થાય. આ કાળમાં પાંચમાં આરાના માણસો હોય, તે પછી ત્યાં ખેંચાઈ જાય ! અક્રમ વિજ્ઞાત' જ ક્ષેત્ર ફેરફાર લાવે ! પછી અહીં આગળ આપણા ગુણધર્મ બદલાયા હોય તો એ મહાવિદેહ ક્ષેત્રમાં જાય. એવું અહીં આગળ પાંચમો આરો ચાલે છે. એટલે ચોથા આરાના મનુષ્યો હતાં, એનાં કરતાં આ પાંચમાં આરામાં લોકોના સ્વભાવ બગડી ગયા. હવે એ સ્વભાવ જ અહીં આગળ “જ્ઞાન” આપીએ ને સુધરે, પછી ડખલ ના કરે, કોઈને ત્રાસ ના આપે એવો થઈ જાય, તો પછી ક્ષેત્રોનો સ્વભાવ એવો છે કે અહીંથી ખેંચાઈને જ્યાં ચોથો આરો ચાલે છે ત્યાં જાય. ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ ચોથો આરો ચાલે છે. અને ચોથો આરો હોય તો જ તીર્થકર હોય, નહિ તો પાંચમા આરામાં તીર્થકર કોઈ જગ્યાએ હોય નહિ. એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર મળે, અહીં માણસનો સ્વભાવ બદલાઈ જાય પછી ! આ જ્ઞાન છે ને, તેના પ્રતાપે પછી સ્વભાવ બદલાઈ જાય. એટલે અહીંના લોકો જોડે મેળ ના પડે. કારણ કે, આપણા જેવા સ્વભાવવાળા જતા રહ્યા, અને બીજા અહીં આગળ હોય તેની જોડે આપણને મેળ પડે નહિ. એટલે આપણે તો અહીં ઊભા રહીએ તે શું કામ આવે ? આપણું ટોળું ત્યાં જતું રહ્યું, એટલે આપણે અહીં આગળ કોની જોડે માથાકૂટ કરીએ ? એટલે આપણા જ્ઞાન આપ્યા પછી ઘણાં ખરાં, બધાં આ મહાત્માઓ ત્યાં ખેંચાઈ જવાનાં. પણ તે પછી એકદમ એવું કહેવાય નહિ, એકાદ અવતાર અહીં કરે ને પછી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય અને મહાવિદેહ ક્ષેત્રમાં શાથી જવાનાં? કારણ કે ત્યાં કાયમ તીર્થંકરનાં દર્શન થયા કરે. એટલા પૂરતું જ હિતકારી છે. અને અહીંનો જીવ ત્યાં જાય તે તીર્થંકર ભગવાન માટે જ જાય, બીજો કોઈ ભાવ નહિ. એટલે અહીંના જે જવાનાને, એ તો તીર્થકર ભગવાન પાછળ જ પડેને, એકબે અવતારમાં કામ કાઢી લે ! દાદાશ્રી : આવે અહીં, પણ આપણા મહાત્માને ના આવવું પડે. બીજા બધા ઘણાં જીવો અહીંયા આવે જ છે ને ! પ્રશ્નકર્તા : પણ સીમંધર સ્વામીની હાજરી ખરીને ત્યાં તો ! તો પછી આવું બધું કેમ થાય ? ભગવાનનો પ્રભાવ તો પડેને પછી ? દાદાશ્રી : ભગવાનને ય ગાંઠે નહિ એવા લોકો છે. અરે ! ભગવાન મહાવીર હતા ને, તો તેમને ય આવડી આવડી ગાળો ચોપડે. ‘તમે મહાવીર છો તો અમે ક્યાં કાચા છીએ ?” એમ કહે. બધી જાતનાં લોક આ તો ! પ્રશ્નકર્તા : આપણા મહાત્મા જશે. એ પાછા અહીં આવવાના ? દાદાશ્રી : એ ના આવે. એ તો આવે જ નહિ. આ વિજ્ઞાનના આધારે તો ઉપર ચઢ્યા. પછી પાછાં ના પડે. મહાત્માઓ ક્યાં જવાતા ? પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં જવાના ને ? દાદાશ્રી : કેટલાંકને અહીં આવીને પછી જવાનું થાય. એકાદ અવતાર કરીને ! મહીં હિસાબ બધો પડ્યો હોય લોકોનો, તે બધો આપી દેવો પડે ને ! બંધ પડ્યો હોય તે પૂરો કરવાનો. દસ-પંદર વર્ષનો હિસાબ પતાવવાનો બાકી હોય તે પતાવીને પછી જવાનાં. હિસાબ તો ચૂકવવો પડેને વચ્ચે ! આ જ્ઞાન લેતા પહેલાં એવું કંઈક ખરાબ કર્મ બાંધી લીધું હોય, તે દંડ થયેલો હોય, તે દંડ તો ભોગવવો જ પડે ને આપણે ! અને ભોગવી લઈને છૂટો, એક અવતારનો દંડ. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી કોઈ રખડી પડે ખરો ? દાદાશ્રી : ના રખડી પડે.
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy