SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધર સ્વામી ૧૮ વર્તમાન તીર્થંકર દાદાશ્રી : કરવાનું એમને કશું જ ના હોય ને. કર્મના ઉદય પ્રમાણે બસ. પોતાના ઉદયકર્મ જે કરાવડાવે એવું કર્યા કરે. પોતાની જાતનો ઈગોઈઝમ (અહંકાર) ખલાસ થઈ ગયો હોય ને આખો દહાડો જ્ઞાનમાં જ રહે. મહાવીર ભગવાન રહેતા હતા એવું. એમને ફોલોઅર્સ (અનુયાયીઓ) બહુ હોય ને બધા. અવતાર કરીને પછી જશે અને રામને તો એવી ઇચ્છા ન હતી. રામને તો મોક્ષે જ જવું હતું ! કૃષ્ણ ભગવાને તો નિયાણું કર્યું હતું કે આખું જગત મને પૂજે. અને બધાનું કલ્યાણ કરી અને પછી જવાના, એટલે એ તીર્થંકર થવાના છે. કૃષ્ણ તીર્થંકર છે, દેવકી તીર્થંકર છે ને બળદેવ, એ ત્રણે ય તીર્થંકર થવાના છે અને ચોથા રાવણ પણ તીર્થંકર થવાના છે. આ ડિસાઈડડ (નક્કી) થઈ ગયેલું છે. નામ-બામ બધું ડિસાઈડેડ થઈ ગયું. કયા નંબરના તીર્થંકર થવાના છે, એ ય ડિસાઈડડ થયેલું છે. અનંત કોણ ? પ્રશ્નકર્તા: આપે એમ કહ્યું કે સીમંધર સ્વામીનું એક લાખ વર્ષનું આયુષ્ય છે ને પછી ફરી પાછો એમનો જનમ થવાનો છે ? દાદાશ્રી : ના, એમને જનમ-બનમ હોતો હશે ? એ તો તીર્થંકર ભગવાન ! જગતનું કલ્યાણ કરવા માટે આવેલા. પ્રશ્નકર્તા : પણ એ તો અનંત હોય. એમને કોઈ મર્યાદા જ ના હોય. દાદાશ્રી : ના, એ તો દેહ છે માટે દેહધારીરૂપે છે. રામ અનંત હોય. કારણ કે એમને દેહ નથી. દેહધારી છે ત્યાં સુધી દેહ આટલાં વરસ ટકવાનો છે એવું આપણે કહીએ છીએ. બાકી એ તો અનંત જ છે પોતે. અમર તો આપ છો, પેલાં ય અમર છે અને આ બધાં અમર તો મારી જોડે કેટલાંય બન્યા છે. જે મરવાનાં નથી, પણ દેહ તો મરવાનો ને ! દેહ તો કપડાંની પેઠે મરવાનો. પ્રશ્નકર્તા: એ દ્રષ્ટિએ જોઈએ તો બધા દેહોમાં જે આત્મા છે એ બધા અમર છે. ફક્ત દેહનો નાશ થવાનો છે. દાદાશ્રી : હા, પણ પોતે દેહને હું છું એવું માનતો નથી, એમને દેહાધ્યાસ નથી ને જગતના લોકોને દેહાધ્યાસ છે. જેને દેહાધ્યાસ જાય, તે અમર થઈ ગયા. તમને દેહાધ્યાસ ગયો નથી ને ? પ્રશ્નકર્તા : નથી ગયો. એ જ સિદ્ધાંત સ્વીકારીએ તો રામ મોક્ષે ગયા ને કૃષ્ણ મોક્ષે કેમ ના ગયા ? એ પણ અનંત જ હતા ને ? દાદાશ્રી : કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે. લોકોનું કલ્યાણ કરવા માટે રહ્યા છે. એમને પોતાને બહુ મોટું કલ્યાણ કરવું છે એટલે એક અંધારામાં રહ્યું જગત ! પ્રશ્નકર્તા : રામ, કણ, અલ્લા, ક્રાઈસ્ટ આવાં કેટલાંય થઈ ગયા. પણ દોઢ લાખ વર્ષથી જો સીમંધર સ્વામી છે, તો એના માટેનું આટલું બધું અજ્ઞાન કેમ છે ? દાદાશ્રી : એમના એકલાં માટે નહિ, બધા બહુ જણ માટે અજ્ઞાન છે. બધું અજ્ઞાન જ છે આ ! અંધારામાં જ છે જગત. આ તો જેટલું દેખાયું એટલું અજવાળું થયું. બાકી બધું અંધારું જ છે. જગત તો બહુ વિશાળ છે અને સીમંધર સ્વામી જેવા પાછાં બીજાં છે. આ તો ટુંકી, દ્રષ્ટિથી-શોર્ટ સાઈટથી આવું અંધારામાં દેખાય છે. બહુ વિશાળ છે જગત. મોટા મોટા ઇન્દ્ર લોકો ય છે. તેમને બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. નર્કગતિમાં ય જીવો છે, તેમને ય બે-બે લાખ વર્ષના આયુષ્ય છે. ત્યાં આયુષ્યની ખોટ જ નથી. અહીં મનુષ્ય એકલામાં જ આયુષ્યની ખોટ છે. અહીં જ ભાંજગડ બધી ! સાસુ-સસરો થયો કે હંડ્યો....! દર્શન માત્રથી જ મોક્ષ ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શનનું વર્ણન કરો. દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વરસની ઉંમરના છે. એ ય ઋષભદેવ ભગવાન જેવા છે. ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તેવા આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તે આપણે અહીં નથી, પણ બીજી ભૂમિકામાં છે કે જ્યાં માણસ જઈ શકતો નથી. જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy