SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ . (૩) જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ પ્રગટ ‘જ્ઞાની પુરુષ' ‘દાદા ભગવાનને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. પ્રગટ ‘જ્ઞાની પુરુષ' થકી ‘સત્ પ્રાપ્ત થયું છે જેમને, તે ‘સત્ પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. | સર્વે નિષ્પક્ષપાતી ‘દેવ-દેવીઓને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. હે પ્રગટ જ્ઞાની પુરુષ તથા હે સત્ પુરુષો ! આજે આ ભડકે બળતા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને હું તેમાં નિમિત્ત બનું એવી શુદ્ધ ભાવનાથી આપની સમક્ષ મન, વચન, કાયાની એકાગ્રતાથી પ્રાર્થનાવિધિ કરું છું. જે આત્યંતિક સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. હે દાદા ભગવાન ! આપના શુદ્ધ જ્ઞાનમાં અવલોકન થયેલાં અને આપના શ્રીમુખેથી પ્રગટેલાં શુદ્ધ જ્ઞાનસૂત્રો નીચે મુજબનાં છે. “મન, વચન, કાયાના તમામ લપાયમાન ભાવો જે આવે તેનાથી “શુદ્ધ ચેતન’ સર્વથા નિર્લેપ જ છે.” “મન, વચન, કાયાની તમામ સંગી ક્રિયાઓથી ‘શુદ્ધ ચેતન' સાવ અસંગ જ છે.” મન, વચન, કાયાની ટેવો અને તેના સ્વભાવને “શુદ્ધ ચેતન' જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ ‘શુદ્ધ ચેતન' જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.” (૩) “આહારી આહાર કરે છે અને નિરાહારી ‘શુદ્ધ ચેતન’ માત્ર તેને જાણે (૩) - “સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, અને ‘શુદ્ધ ચેતન’ તેનું જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે.” (૩) “સ્થૂળત્તમથી સૂક્ષ્મત્તમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓનું ‘શુદ્ધ ચેતન’ જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે, ટંકોત્કીર્ણ છે, આનંદસ્વરૂપ છે'' (૩) મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના (Only Scientific Circumstantial Evidence) છે. જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે.” (૩). “નિચેતન ચેતનનો એક પણ ગુણ ‘શુદ્ધ ચેતન'માં નથી અને ‘શુદ્ધ ચેતન'નો એક પણ ગુણ નિચેતન ચેતનમાં નથી. બન્ને સર્વથા સાવ જુદાં છે.” (૩) ચંચળ ભાગના જે જે ભાવો છે તે નિચેતન-ચેતનના ભાવો છે અને શુદ્ધ ચેતન' કે જે અચળ છે તેના ભાવો નથી.” (૩) હે પ્રભુ ! ભ્રાંતિથી મને ‘શુદ્ધ ચેતનના ભાવો ઉપરનાં સૂત્રો મુજબ ‘આ’ જ છે એમ યથાર્થ, જેમ છે તેમ સમજાયું નથી, કારણ કે નિષ્પક્ષપાતી ભાવે મને મારી જાતને જોતાં સમજાયું કે મારામાંથી અંતરકલેશ તથા કઢાપોઅજંપો ગયેલ નથી, હે પ્રભુ ! માટે મારા અંતરકલેશને શમાવવા પરમ શક્તિ આપો. હવે મારા આ શુદ્ધ ભાવોને જેમ છે તેમ સમજવા સિવાય કોઈ કામના નથી, હું કેવળ મોક્ષનો જ કામી છું. તે અર્થે મારી દ્રઢ અભિલાષા છે કે હું ‘સત્ પુરુષોના વિનય'માં અને ‘જ્ઞાની પુરુષના પરમ વિનય’માં રહી, હું કંઈ જ જાણતો નથી, એ ભાવમાં જ રહું. ઉપરનાં જ્ઞાનસૂત્રો મુજબના શુદ્ધ ભાવો મારી શ્રદ્ધામાં આવતા નથી અને જ્ઞાનમાં આવતા નથી. જો એ ભાવો મારી દ્રઢ શ્રદ્ધામાં આવશે તો જ હું અનુભવીશ કે મને યથાર્થ સમ્યક્દર્શન થયું છે. આ માટે બે જ ચીજની મુખ્ય જરૂર છે. (૧) ‘હું પરમ સત્ય જાણવાનો જ કામી છું’ એ ભાવ-નિષ્ઠા. (૨) ‘પરમ સત્ય’ ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞાના સંપૂર્ણ આરાધનથી જ પ્રાપ્ત થાય છે. ‘જ્ઞાની પુરુષ'ના પ્રત્યક્ષ યોગ સિવાય અન્ય કોઈ જ માર્ગ નથી, માટે પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ'ની શોધમાં રહું અને તેમનો યોગ પ્રાપ્ત થયે હું તેમની જ આજ્ઞાની આરાધનામાં રહેવાનો દ્રઢ નિર્ણય-નિશ્ચય કરું છું. તે મારી કામના સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. (દિવસમાં એકવાર વાંચવી) પ્રતિક્રમણ-વિધિ પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી ૪ ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી જે જે ** દોષ થયા છે, તેની ક્ષમા માગું છું. પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. * જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું. * જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા.
SR No.008873
Book TitleSeva Paropkar
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size406 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy