SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ પ૨. પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : થઈ જાય છે ક્રોધ. દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, “ચંદુભાઈ પ્રતિક્રમણ કરો.' પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે. (૨૨૦) પ્રશ્નકર્તા હવે નિંદા કરી, ત્યારે ભલે એને જાગૃતિ ન હોય, નિંદા થઈ કે ગુસ્સો આવ્યો તે વખતે નિંદા થઈ જાય. દાદાશ્રી : તે એને જ કષાય કહે છે, કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે, પણ છતાં ય પોતે જાણતો હોય કે, આ ખોટું થઈ રહ્યું છે, કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલે ય ખબર ના હોય, એમ ને એમ જ જતું રહે. પછી થોડીવાર પછી ખબર પડે. એટલે બન્યું તે ઘડીએ ‘જાણતો’ હતો. પ્રશ્નકર્તા: અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, એક વાર, બે વાર, ચાર વાર, પાંચ વાર, કહીએ તો ય એની એ જ ભૂલ કરે રાખે. તો પછી ગુસ્સો આવે, તો શું કરવાનું એનું ? દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તો તમને ક્યાં ગુસ્સો આવે છે. ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું. હવે દાદા મળ્યા છે, જરા ગુસ્સો ઓછો કરો ને. પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્યુવ (સુધારો) નથી થતી. તો શું કરવું એને ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો, એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે એ કામ બરોબર કરતી નથી. પ્રશ્નકર્તા: પણ એને તે વખતે સામે દુઃખ થાય ને આપે કહ્યું છે ને દુ:ખ નહીં આપવાનું બીજાને. દાદાશ્રી : દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય એને, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એના નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતાં. દુઃખ તો ક્યારે આવે ? આપણો હેતુ જો હોય તો, દુઃખ ઉત્પન્ન થાય. આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને, કે એને સીધો કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય. (૨૨૧) ગુસ્સાનો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખાં થઈને ચાલ્યાં ગયાં. એટલી તમારી ફરજ. પ્રશ્નકર્તા : ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ? દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી પરાક્રમ કોને કહેવાય ? દાદાશ્રી : પરાક્રમ તો આ પુરુષાર્થની ય ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય. આ તો લ્હાય બળતી હોય તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું ? એ બધાને જાણે, અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતાં, કરતાં બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે એની મેળે. નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય કુદરતી. પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સહુ સહુને ઘેર બધું. અને મહીં ઠંડક છે. હવે મહીં ઠંડક છે ને ? (૨૨૨) પ્રતિક્રમણથી બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે, માટે સંપૂર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તો ય પણ એને થોડું દાદાશ્રી : તે તો આપણે ‘ચંદુભાઈને' કહેવું, એને ટૈડકાવો. જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે, આ સમભાવે નિકાલ કરીને ટેડકાવો. અમથા, અમથા નાટકીય ઢબે લઢવું કે, આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ? એવું બધું કહેવું.
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy