SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ છોકરાને શાક લેવા મોકલીએ, અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય કંઈ ? બીજો લેવા જવાય કંઈ ? બીજો મળે નહીંને ? કોઈ વેચે નહીં. (૧૬૧) ૧૦. અથડામણની સામે... પ્રશ્નકર્તા: અમુક કર્મોમાં વધારે, લાંબી બોલાચાલી થઈ હોય તો, લાંબો બંધ પડે, તે માટે બે-ચાર વાર પ્રતિક્રમણ કે વધારે વાર કરવાં પડે. કે પછી એકવાર કરે તો આવી જાય બધામાં ? દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ બહુ ભેગાં થઈ જાય, તો જાથું પ્રતિક્રમણ કરવું. ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ હું કરું છું.’ પછી પતી ગયું. (૧૬૬) અથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું. છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે, ‘એણે મને આમ કહ્યું, તેમ કહ્યું,’ એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતાં નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! (૧૬૯) પ્રશ્નકર્તા: સ્થળ અથડામણનો દાખલો આપ્યો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એના દાખલા. સૂક્ષ્મ અથડામણ કેવી હોય ? દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : એટલે કેવી કહેવાય ? દાદાશ્રી : એ મારમાર કરો છો ? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : એ સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ? દાદાશ્રી : એ સ્થળમાં, જે પેલાને ખબર ના પડે. જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય. પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ? દાદાશ્રી : પહેલાં સ્થળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય ? દાદાશ્રી : તું કો'કને મારતો હોય, ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે. તે બધું જુએ પણ મનથી તરત સ્ટેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર. દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા એટલે બીજાના દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ. દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે. જ ખબર પડવા નહીં, અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. એ દોષ તને ખબર પડવા જોઈએ. કારણ કે એ છે તે શુદ્ધાત્મા છે અને દોષ જુઓ છો ? પ્રશ્નકર્તા : તો એ જે માનસિક અથડામણ કીધી તે ? દાદાશ્રી : એ તો બધું સૂક્ષ્મમાં ગયું. પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે ? દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો.
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy