SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ પ્રતિક્રમણ (૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં ! જે છોડ્યું છે એને પચ્ચખાણ કહે છે. વ્રત તો વર્યા જ કરે. આ અમને વ્રત વર્યા જ કરે છે. જો અમને અહિંસા મહાવ્રત હોય, પછી સત્ય, પછી અચૌર્ય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલે બધાં વ્રત અમને વર્તતાં હોય. પરિગ્રહ તો અમને નામેય ના હોય. આ શરીરેય અમને પરિગ્રહ ના હોય. એટલે વ્રત એવુંતેવું ના હોય. એટલે અક્રમ માર્ગમાં આવી તેવી કોઈ ચીજ નહીં. વ્રત, નિયમ કશું જ ના હોય. આ બધું જ સંસારમાર્ગમાં હોય. આ બધાં વ્રત, જપ, તપ, ઉપધાન, નિયમો, આ બધુંય સંસાર માર્ગમાં છે. સંસારમાર્ગમાં એટલે પુણ્ય ભેગું કરવું. ભગવાને બે રસ્તા બતાવ્યા. એક મુખ્ય માર્ગ બતાવ્યો અને એક મોક્ષમાર્ગ બતાવ્યો. મોક્ષમાર્ગ એટલે શું કે આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન અને આ ત્રણની સાથે જે ચાલ્યો એ મોક્ષે ગયા વગર રહે એમાં જે જે દોષ થયા હોય, ત્યાં એનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું. અહંકાર ગયા પછી પેલાને ક્રિયા હોતી નથી. અહંકાર હોય ત્યાં સુધી કંઈકેય ક્રિયા હોય. ક્રમિક માર્ગ એટલે અહંકાર ઠેઠ સુધી. આમાં (અક્રમમાં) અહંકાર નહીંને ! તમને થોડું સમજાયું ? પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણ કરવું પડે પછી. દાદાશ્રી : તમારે ઇર્યાપથિકિનું પ્રતિક્રમણ કરવાનું નહીં. એ તો ક્રમિક માર્ગમાં કરવું પડે. અને જો અક્રમ માર્ગમાં તમે પ્રતિક્રમણ કરો તો તમે છે તે દેહના માલિક છો એમ પાછું પૂરવાર થઈ ગયું પછી. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : ‘તમે કરો” તો શું થઈ જાય ? પ્રશ્નકર્તા : આ દેહના માલિક સમજીને જ પછી પ્રતિક્રમણ કરવાનું. દાદાશ્રી : એ પૂરવાર થઈ ગયું. પ્રશ્નકર્તા : પૂરવાર થયું એટલે વિરોધાભાસ થયું. દાદાશ્રી : એટલે તમારે કરવું હોય, તમારી પોતાની ઇચ્છા હોય તો ‘તમારે’ ‘ચંદુભાઈને કહેવું કે તમે પ્રતિક્રમણ કરી લો. આમ કહીએ આટલું. અને તમે મોટાં મોટાં પ્રતિક્રમણ કરજો. બહુ ઝીણી વાતમાં ઉતરશો નહીં. કારણ કે ઝીણી કરવા રહીએ તો મોટાં રહી જાય. રહી જાય કે ના રહી જાય ? પ્રશ્નકર્તા : રહી જાય. એ છે કરુણાજનક એવું છેને, અંતઃકરણ સમજે એ ભાષામાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું નહીં. પ્રશ્નકર્તા : એ પુણ્ય ભેગાં કર્યા, એ આવતા ભવમાં સંયોગો સારા મળે એના માટે કામ આવે ? દાદાશ્રી : એ પુણ્ય ભેગાં કયાં તે આવતા ભવમાં હેલ્પ કરે, બીજું શું કરે ? ત રહે ઇર્યાપથિકિ પ્રતિક્રમણ ક્રમિક માર્ગમાં ઇર્યાપથિકિ ક્રિયા પહેલા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી હોય. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું ? કે અહંકાર હોય ત્યાં સુધી ઇર્યાપથિકિ ક્રિયા હોય. એટલે ક્ષાયક સમકિત પછી ઇર્યાપથિકિ ક્રિયા હોતી જ નથી. ક્ષાયક સમકિત થયા પછી અહંકાર ખલાસ થયા પછી ઇર્યાપથિકિ ક્રિયા હોય નહીં. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું કે પોતે જે બહાર ગયો અને આવ્યો
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy