SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં ! એ દોષ આ પ્રતિક્રમણથી ખપી જાય છે બધા. સંસારના લોકો પ્રતિક્રમણ કરે, કોઈ જાગૃત હોય તો, રાયશીદેવશી બેઉ કરે, તે એટલા છે તો દોષ ઓછા થઈ ગયા, પણ દર્શનમોહનીય જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ ના હોય, દોષો ઊભા થયા જ કરે. જેટલાં પ્રતિક્રમણ કરે એટલા દોષો બધાય જાય. ૫૧ પ્રશ્નકર્તા : એટલે એનો એક દાખલો આપો ને કે, બાવીસ તીર્થંકરોના વખતમાં ક્યો દોષ કર્યો, કેવી રીતે પ્રતિક્રમણ કર્યું ? દાદાશ્રી : આપણે ત્યાં કરીએ છીએ, એવી રીતે જ તો. અત્યારે જે દોષ આપણને દેખાય છે ને, એવી રીતે એ કરે. પ્રશ્નકર્તા : કંઈક ચોરી કરી, કંઈક ઊધું બોલાઈ ગયું હોય એનાથી, તો થાય કે, આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. દાદાશ્રી : હા, તો એ બધું ઊધું ના બોલાય ફરી. પ્રશ્નકર્તા : એટલે છતું બોલવું જોઈએ એવો એનો નવો બંધ પડ્યો ? દાદાશ્રી : પાછું એ થાય. પ્રશ્નકર્તા : એટલે આવી રીતે આખી પ્રોસીજર (કાર્યવાહી) બદલાય છે ? દાદાશ્રી : હા, દર્શનમોહનીય ખરું ને ! એટલે આ ફેરે પાછું થઈ ગયું. આવતે ભવે ફરી પાછું વીંટાય એવું ને એવું. પ્રશ્નકર્તા : એટલે આ બધું ઊંધું બોલાયું તે અટક્યું ને છતું બોલાવું જોઈએ, એ ચાર્જ થયું ? દાદાશ્રી : છતું તો આ ભવમાં જ થાય, પાછો આવતા ભવમાં કોઈ કુસંગ મળ્યો તો પાછું ઊંધું બોલતાં શીખી જાય. પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ કર્યું એટલે એનાથી જૂનો દોષ પર ગયો ? પ્રતિક્રમણ દાદાશ્રી : હા, ગયો બસ. પ્રશ્નકર્તા : પછી આપે કહ્યું કે દર્શનમોહનીય છે ત્યાં સુધી નવું કર્મ બાંધે જ. નવો દોષ તો ઊભો કરે જ. દાદાશ્રી : એ તો નવો દોષ ચાલુ જ હોય. પ્રશ્નકર્તા : એનું ફળ આવતે ભવે આવે એને. એટલું ઊંધું બોલાયું હોય એ દોષ છેઘો એણે, પણ પાછો નવો તો ચાલુ જ રહે છે એનો. દાદાશ્રી : હા, પણ એ ઊંધું બોલવાનો દોષ આ ભવમાં જતો રહ્યો એનો. તે આ ભવમાં ના બોલે એ. પણ આવતો ભવ પાછો તે ઓળખાણવાળા જુદી જાતના મળી આવે તે ફરી ટેવ પડી જાય. દર્શનમોહ રહેલો એટલે ઊગ્યા જ કરે ને બધું ! પ્રશ્નકર્તા : પણ એણે એ દોષ કાઢ્યો કેવી રીતે ? પ્રતિક્રમણ કર્યું હશે તે ઘડીએ શું ? દાદાશ્રી : શાસ્ત્રના આધારે આ ખોટું છે, આમ ન થવું જોઈએ, એવું બોલે. પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, હવે નહીં બોલું એમ નક્કી કરે. એટલે એ બધો દોષ ગયો અને એટલો ટાઈમ છે તે આત્મા માટે કાઢ્યો. એમાં પુદ્ગલ ભાગ હેતુ નથી. એટલે પુછ્યું બંધાઈ. આ હાથીને તેં જોયેલો નહીં ? એ નહાય છે તે જોજો ત્યાં આગળ. નહાયા પછી શું કરે છે તે જોયું છે ને ? પ્રશ્નકર્તા : ગજસ્નાનવત્ કહે છે ને ? એ પાછી ધૂળ ઊડાડે શરીર પર ! દાદાશ્રી : અને પાછો ધોઈ નાખે. એટલે જ્યાં સુધી દર્શનમોહનીય છે ત્યાં સુધી ગજસ્નાનવત્ ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : આપે કહ્યું એમ દોષ થયો. એનું એ અત્યારે આ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy