SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન ૪૨૩ ૪૨૪ પ્રતિક્રમણ અજવાળામાં રસ્તા પર દાઢી કરવી છે. તો આપણાથી ના કહેવાય ? કોઈ કહેશે કે મારે સંડાસમાં બેઠા બેઠા દાઢી કરવી છે. ત્યારે આપણે કહીએ કે કરો ભઈ. એ બધી છૂટ હોય. એ બધા છૂપાં રાખવાનાં કામ ના કહેવાય. કરવાથી તો લોકો દુરુપયોગ કરે. એક જ્ઞાની પુરુષ એકલા જ એનો દુપયોગ ના કરે. બાકી બીજા બધા લોકો જાણી જાય ત્યારથી દુરુપયોગ કરે. આ ઘાલ (અંગત)માં બેસીને જમે ત્યાં વધારે શાક ખાઈ જાય, લાડવા વધારે ખાઈ જાય પણ ઘાલ (અંગત)માં બેસીને જમે છે ને ? એ દોષ ઢાંક્યા ના કહેવાય. ઢાંક્યા દોષ તો આપણે અહીં આગળ છાનામાના કરીએ છીએ, બારણાં વાસીને કરીએ છીએ. અંધારાં ખોળીએ છીએ, એ બધા ઢાંક્યા દોષ કહેવાય ! એવું અંધારું તમે નથી ખોળતાને ? એને છૂપા કામ કહેવાય. હવે એ છૂપાં કરવાનાં કામ ઉઘાડાં કરે તો લોકોનો બહુ તિરસ્કાર પામી જાય. લોકો તરફથી તિરસ્કાર થાય એ વાત અહીં ના કરાય. બીજી બધી ખુલ્લી વાતો હોય તે બધી અહીં કરાય કે મારાથી પરમ દા'ડે ચોરી થઈ ગઈ ને આમ થઈ ગયું, મારાથી જૂઠું બોલાઈ જ જવાયું, મારાથી કોઈને દગો-ફટકો થઈ ગયો, એ બધું કહેવાય. પણ અમુક તો મને ખાનગીમાં કહી શકાય. છૂપું તને ના ઓળખાયું ? જ્ઞાન મળતાં પહેલાં જે છૂપું રહેતું તેને તો તું ઓળખું ને ? એવું જ્ઞાન મળ્યા પછી છૂપું રહેતું તેને તું ના ઓળખું? છૂપું ના હોય તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : એટલે દાદા, એ મારી દૃષ્ટિમાં આવી ગયા છે. દાદાશ્રી : દૃષ્ટિમાં આવી ગયા છે એટલે તું દોષને જાણી ગયો છું પણ તે છૂપા તો રહ્યા જ કહેવાયને ! એને આપણે જમે તો કર્યા સાચી આલોચતા માણસે સાચી આલોચના કરી નથી. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી, અને આલોચના ગજબના પુરુષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છુટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ? જ્ઞાનીપુરુષ ચાહે સો કરી શકે. કારણ એ કર્તા નથી માટે. જો કર્તા હોત તો એમનેય કર્મ બંધાય. પણ કર્તા નથી માટે ચાહે સો કરે. છેલ્લા ગુરુ, “દાદા ભગવાન' ત્યાં આપણે આલોચના ગુરુ પાસે કરવી જોઈએ. પણ છેલ્લા ગુરુ આ ‘દાદા ભગવાન' કહેવાય. અમે તો તમને રસ્તો બતાવી દીધો. હવે છેલ્લા ગુરુ બતાવી દીધા. એ તમને જવાબ આપ્યા કરશે અને તેથી તો એ ‘દાદા ભગવાન” છે. તે જ્યાં સુધી એ પ્રત્યક્ષ ના થાય, ત્યાં સુધી ‘આ’ દાદા ભગવાનને ભજવા પડે. એ પ્રત્યક્ષ થાય પછી એની મેળે આવતું આવતું પાછું એ મશીન ચાલુ થઈ જાય. એટલે પછી એ પોતે ‘દાદા ભગવાન” થઈ જાય. અમારી પાસે ઢાંકે તે ખલાસ જ્ઞાની પુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતો ? તે ઊલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે, તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ? દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય. કો’ક માણસને વધારે શાક ભાવતું હોય અને તે બહુ શાક ખાઈ ગયો હોય તો લોકો બૂમો પાડે કે, આટલું બધું શાક ખાય છે. ત્યારે એ કહે છે કે, મારે ખાવું છે. તું કોણ કહેનારો ? એટલે જગતમાં છૂપા રાખવા એટલે શું ? કે એ ઉઘાડું પાડે ત્યારે જગતના સહુ લોકો બૂમો પાડે કે, આવું કર્યું ? આવા ધંધા માંડ્યા છે ? આ તો નિંદ્ય કામ કહેવાય, લોકનિંદ્ય કહેવાય. અહીં ધોળે દા'ડે તમે રસ્તા પર દાઢી કરવા જાવ તો કોઈ વઢે ? તમે કહો કે મારે અહીં
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy