SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) મન માંડે મોંકાણ ત્યારે ૩૮૧ દાદાશ્રી : નિવારણ તો, આપણે પશ્ચાત્તાપ, પ્રતિક્રમણ કરીએ તે, સાચું પ્રતિક્રમણ હંઅ, તો એ નિવારણ થાય. નહીં તો નિવારણ કોઈ રસ્તે થાય નહીં. આ તો પસ્તાવો કરીએ, કે અશાતના થઈ છે. એવું પશ્ચાત્તાપ કરીએ તો કંઈ ફેરફાર થઈ જાય. પણ બધા કરીએ ત્યારે ફેરફાર થાય. એકલા કરો તો કેટલુંક વળે ? [૨૪] જીવનભરના વહેણમાં, તણાતાએ તારે જ્ઞાતા યાદ આવે તે ચોખ્ખું થવા પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ? દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથુ ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો મેમરી (મૃતિ)ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા. આ સ્મૃતિ ઇટસેલ્ફ બોલે છે કે “અમને કાઢ, ધોઈ નાખ.” જો સ્મૃતિ ના આવતી હોત તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગદ્વેષ છે ? સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે, ચોંટને ધોઈ નખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો, તો એ ધોવાઈને વિસ્મૃત થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે તે ભેંસો, તેનો પશ્ચાત્તાપ કરો અને ફરી એવું ના થાય એવો દેઢ નિશ્ચય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy