SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ પ્રતિક્રમણ (૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો ૩૫૯ પ્રશ્નકર્તા : એ જોયા કરવાનું એટલે એની સાથે સહમત નહીં થવાનું ? દાદાશ્રી : સહમત તો હોય જ નહીં, જોયા કરનાર સહમત તો હોય જ નહીં. આપણે આ હોળી જોઈએ તો માણસ દાઝે ? પ્રશ્નકર્તા : ના દાઝે. દાદાશ્રી : હોળી મોટી જબરજસ્ત કરી હોય, પણ તે આંખે જુએ તો આંખને શું ? પ્રશ્નકર્તા : પણ દાદા, આપણાથી ડખો થયો એને આપણે જોયો-જાણ્યો, પણ આપણા આ ડખાથી સામેવાળાને દુ:ખ થયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે ને ? દાદાશ્રી : એ તેનું પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ કેમ કર્યું ? સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ. પ્રશ્નકર્તા : મારી દીકરી રોજ પ્રતિક્રમણ કરે છે છતાંય એનું સુધરતું નથી. દાદાશ્રી : એ તો બહુ માલ ભરેલો, જબરજસ્ત માલ ભરેલો. પ્રતિક્રમણ કરે એ જ પુરુષાર્થ. પ્રશ્નકર્તા : બહુ માલ ભર્યો છે એમ કહીએ તો એ બચાવ નથી થઈ જતો ? દાદાશ્રી : ના, ના, આમાં બચાવ હોય જ નહીંને ! બચાવ ના હોય. જગત આખું પ્રતિક્રમણ ના કરે. એક તો ગોદો મારે ને પછી પાછું કહે છે કે “મેં ખરું કર્યું છે'. સામાની જ ભૂલ દેખાયા પ્રશ્નકર્તા : દાદા, ઘણીવાર એવું થાય છે કે મારી ભૂલ જ નથી. કો'ક વાર મારી ભૂલની મને ખબર પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ જ થતી નથી, “એમનો’ જ વાંક છે એવું લાગે. દાદાશ્રી : તને એવું લાગે ? પછી પ્રતિક્રમણ કરતી વખતે ? પ્રશ્નકર્તા : પણ પછી “એમને’ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણી નિમિત્તે આવું ના થવું જોઈએ. દાદાશ્રી : પણ “મારી ભૂલ થઈ’ એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : પણ મને મારી પોતાની ભૂલ લાગતી જ નથી. મને તો એમની જ ભૂલ લાગે. દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ થાય જ નહીંને ! આપણી ભૂલ થાય તો કો'કને દુઃખ થાય. પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે તેથી આવું તેમને લાગે છે. દાદાશ્રી : એવી પ્રકૃતિ ગણાય નહીં. આ બધા લોક સારી પ્રકૃતિ છે કહે છે ને તું એકલી જ કહું છું કે ખરાબ છે. એય ઋણાનુબંધ છે, હિસાબ છે. પ્રશ્નકર્તા : મને એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે. દાદાશ્રી : એથી કરીને એ તારી ભૂલ છે એમાં. ભૂલ તારી છે. આ મારાથી મારા માબાપને કેમ દુઃખ થયું ? એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ ના થવું જોઈએ. હવે સુખ આપવા આવી છું, એવું મનમાં હોવું જોઈએ. મારી એવી શી ભૂલ થઈ કે માબાપને દુ:ખ થયું ? ત્યારે સંસાર છૂટે દોષો દેખાતા બંધ થાય તો સંસાર છૂટે. આપણને ગાળો ભાંડે, નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે. નહીં તો સંસાર છૂટે નહીં.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy