SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ પ્રતિક્રમણ મૂળ ઉત્પાદક તો આપણે જ હતાને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.” પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં, પચાસ-સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય, તે બધાનાં – નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ ગડ કર્યા છે તે પાછું ધોવું પડેશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. પ્રશ્નકર્તા : પણ દાદા, જેણે મને રગડ્યા છે એને જ મેં રગડ્યા (૧૯) જૂઠના બંધાણીને.... ૩૨૫ દાદાશ્રી : એ તો દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા. તેથી અમે એકુય દહાડો કશુંય કહ્યું નહીં કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય તોય ચેતે તે ઘડીએ. કહ્યું છે કોઈ દહાડો કે આવું ના કરવું જોઈએ ? પ્રશ્નકર્તા : અને પછી જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી પ્રતિક્રમણો કર્યા કરીએ. જ્યારે મને હવે એમ થાય કે તું ખોટું કરે છે એટલે પ્રતિક્રમણ કરવાં જ પડે છે. દાદાશ્રી : ખોટું કર્યું એટલે પ્રતિક્રમણ કરવાં જ પડે ને ! પ્રશ્નકર્તા: પણ એના કરતાં ખોટું ના કરીએ તો, એમાં ટાઈમ.... દાદાશ્રી : પણ એ ચાલે નહીં. એ તો આપણે એના ઉપરથી, મહીંથી રસ કાઢી નાખવાનો, કે આ ખોટું થઈ રહ્યું છે, આમ ના હોવું જોઈએ. આ તો ગમતું હોય તે ઘડીએ તમને ટેસ્ટ આવે, એ ના ગમતું થઈ જાય તો વાંધો નહીં. તમને પેલું ખાવું છે, ને ના ગમતું હોય, ને પછી તમે ખાતા હો તો વાંધો નહીં. રીયલ' ધર્મમાં આવ્યા પછી પ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને, કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે દાદાશ્રી : તમને જેણે રગડ્યા હશે તેનું તો તે ભોગવી લેશે. તેની જવાબદારી તમારી નથી. જે રગડે છે એને જવાબદારીનું ભાન નથી. એ આ અવતારમાં રોટલી ખાય છે, તે આવતા અવતારમાં પૂળા ખાવાનો વાંધો નથી એને ! એતો આધાર છે પુષ્ય અને પાપતો પ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ? દાદાશ્રી : એ એના પાપ અને પુણ્યના આધારે બને છે. એના પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તોય ચાલી જાય. પ્રશ્નકર્તા : તો એને કંઈ નુકસાન નહીં ? દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે ! ને ? પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ? દાદાશ્રી : ભાવ થવાનો નહીં. આપણે તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો, અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદબે વખતે હોય એનું આપણે પ્રતિક્રમણ કરવું પડે. આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો આત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy