SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) વિષય જીતે તે રાજાઓનો રાજા ! ૩૧૭ ૩૧૮ પ્રતિક્રમણ માલ લાવ્યા છે, પછી કાળાબજારમાં વેચવો તો પડે જ, પણ આપણે કહેવું કે પ્રતિક્રમણ કરો. પહેલાં પ્રતિક્રમણ નહોતો કરતો. તે બધા તલાવડાં ભર્યા કર્મનાં, પ્રતિક્રમણ કર્યો એટલે ચોખ્ખું કરી નાખ્યું. આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન પાંચસો-પાંચસો, હજાર-હજાર થશે ત્યારે કામ થશે. ત ભોગવાય અણહક્કનું કદી હક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જ રહો. આવું ન ખવાય. મારે તો હક્કનું હોય તો જ મારા કામનું. પોતાના હક્કની સ્ત્રી હોય, પોતાના હક્કનાં છોકરાં હોય, ઘર, મકાન બધું આપણું હોય, પણ પારકાના હક્કનું કેમ લેવાય ? એ પછી જાનવર થયે છૂટકો નથી, નર્કગતિના અધિકારી થયાં છે. ભયંકર દુઃખોમાં સપડાયા. હજુ ચેતવું હોય તો ચેતજો. આ જ્ઞાનીપુરુષ શું કહે છે કે તમને પશ્ચાત્તાપરૂપી હથિયાર આપ્યું છે. પ્રતિક્રમણ કર્યા કરો. હે ભગવાન, અણસમજણથી, ખરાબ બુદ્ધિથી, કષાયોથી પ્રેરાઈને પણ આ જે મેં દોષો કર્યા છે, ભયંકર દોષો કર્યા છે. એની ક્ષમા માગું છું. કષાયોની પ્રેરણાથી કર્યા છે, તમે તમારી જાતે નથી કર્યા. હજુ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો તમારી મરજીની વાત છે. જાય. લાલચથી ભયંકર આવરણ પ્રશ્નકર્તા : અમે અણહક્કનું તો ખાધું છે. દાદાશ્રી : ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરોને, હજુ ભગવાન બચાવશે. હજુ દેરાસરમાં જઈને પશ્ચાત્તાપ કરો. અણહક્કનું ખાઈ ગયા હોય તો હજુ પશ્ચાત્તાપ કરો, હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાત્તાપ કરો. પ્રશ્નકર્તા : ખાલી પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? દાદાશ્રી : એ તમને સમજણ હોય તો કરો. જ્ઞાની પુરુષનું માનવું હોય તો માનો, ના માનવું હોય તો તમારી મરજીની વાત છે. એ તમારે ના માનવું હોય તો એનો કોઈ ઉપાય છે નહીં. હજુ પશ્ચાત્તાપ કરશો તો ગાંઠો ઢીલી થઈ જશે અને ઉપરથી રાજીખુશી થઈ તે કરેલું છે. તે નર્કગતિનું બાંધી કાઢ્યું છે. અણહક્કનું ખાધું તો ખરું, પણ રાજીખુશીથી કરે, તો નર્કગતિમાં જાય અને જો પશ્ચાત્તાપ કરે તો જાનવરમાં આવે. ભયંકર નર્કગતિ ભોગવવાની છે. માટે જો અણહક્કનું હજુ જેટલું ખાવું હોય એટલું ખાજો લોકોનું. પ્રશ્નકર્તા : આ બધામાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય શું ? દાદાશ્રી : અણહક્કનું ખાધું હોય તેનો પશ્ચાત્તાપ કરો. અણહક્કનું ખાવાના વિચાર આવે તોય પશ્ચાત્તાપ કરો. આખો દહાડો પશ્ચાત્તાપમાં જેટલી ચીજ લલચાવનારી હોય એ બધી જ બાજુએ મૂકી દે, એને યાદ ના કરે. યાદ આવે તો પ્રતિક્રમણ કરે તો એ છૂટે. બાકી શાસ્ત્રકારોએ એનો કંઈ ઉપાય બતાવ્યો નથી. બધાનો ઉપાય હોય, લાલચનો ઉપાય નહીં. લોભનો ઉપાય છે. લોભિયા માણસને તો મોટી ખોટ આવેને, ત્યારે લોભ ગુણ જતો રહે હડહડાટ ! પ્રશ્નકર્તા : ફરી ‘જ્ઞાનમાં બેસે તો લાલચ નીકળે ? દાદાશ્રી : ના નીકળે. ‘જ્ઞાનમાં બેસવાથી કંઈ ઓછું નીકળે છે? આ તો પોતે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે ને નિરંતર આજ્ઞામાં રહેવું જ છે એવું નક્કી કરે ને આજ્ઞાભંગ થાય તો પ્રતિક્રમણ કરે, ત્યારે દહાડો વળે. હજી પણ ચેતો ! ચેતો ! ચેતો !!! પ્રશ્નકર્તા : એક ડર લાગ્યો, હમણાં આપે કહ્યું કે સિત્તેર ટકા માણસોને પાછા ચાર પગમાં જવાનું છે તો હજી અમારી પાસે અવકાશ ખરો કે નહીં ?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy