SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) વિષય જીતે તે રાજાઓનો રાજા ! ૩૧૧ ૩૧૨ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આપણને એનું મોટું દેખાય, ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ? દાદાશ્રી : ના, કશુંય ખરાબ નથી. આપણે સ્ટ્રોંગ (દઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે. નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો ના આવે. આ આટલા બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે ? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ ? આટલા બધા છોકરા છે, કંઈ બધા માટે આવે છે ? અમુક જોયા હોય, ને તેની પર દૃષ્ટિ પડી હોય, તે જ આવે. જ્ઞાતીએ દર્શાવેલ રાહ હું કહું કે હજુ તારું મન બગડે છેને ? ત્યારે કહે, હા, હજુ એવું થાય છે. સિત્તેર વર્ષ થયા, હવે જંપીને બેસ. હા, બધી નાદારી નીકળી, તો જંપ તો ખરો ! કઈ જાતનો માણસ છે ? દુકાનમાં બહુ નાદારી નીકળી ગઈ તોય જંપીને ના બેસે. પ્રશ્નકર્તા : એવો ખોટો વિચાર આવે તે વખતે માણસે એવી પરિસ્થિતિમાં શું કરવું ? દાદાશ્રી : તે છોને આવે. વિચાર આવે તે ફૂલહાર લઈને કહીએ, બહુ સારું બા, તમે આવ્યા. એ અમને ગમ્યું. આટલોય આનંદ થાયને ! કાણ-મોકાણના વિચાર લાવે તેના કરતાં આવા સારા વિચાર લાવે છે ! બતાડે, પર્યાય બતાડે એટલે આપણે શું કરવાનું ? કોના નિમિત્તે આ ખરાબ વિચાર આવ્યો ? એટલે જેના નિમિત્તે આવ્યો તેના નામનું પ્રતિક્રમણ કરવાનું. અને એ બેનના શુદ્ધાત્માને, મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, આ બેન માટે મને ખરાબ વિચાર આવ્યો તેની હું દાદા ભગવાન પાસે આલોચના કરું છું કે મને આવું થયું. એ જાહેર કરવું, એનું નામ આલોચના કહેવાય. એટલે મને ત્યાં બોલાવવાની જરૂર નહીં. ત્યાં તમારે ચિંતવનથી જાહેર કરી દેવા. પછી પ્રતિક્રમણ કરવું. એ શુદ્ધાત્માને કહેવું કે મને કોઈ દેહધારી ઉપર આવા વિચાર ના આવે, એવી મને શક્તિ આપો અને આ વિચાર આવ્યા તેની હું ક્ષમા માગું છું. ફરી આવું કોઈ દેહધારી પર મને વિષયોનો વિચાર જ ના આવે, એવી મને શક્તિ આપો. અને ફરી આવો વિચાર ક્યારેય પણ નહીં કરવાની મારી ઇચ્છા છે, એનું નામ પ્રત્યાખ્યાન કહેવાય. ફરી દોષ નહીં કરવાની ઇચ્છા છે છતાં ફરી દોષ આવશે, પાછું મહીં ભરેલો હશે તો આવશે તો ખરો જ. પણ પ્રત્યાખ્યાન દરેક ફેરે. કરવું પડે. જેટલું પ્રત્યાખ્યાન કર્યું એટલાં ડુંગળીનાં પડ ઉતર્યા. પછી પાછું બીજું પડ આવ્યું. આવડી નાની ડુંગળી હોય તેનાં પડ વધારે હોય કે આવડી મોટીનાં ? પ્રશ્નકર્તા : મોટીનાં વધારે હોય. દાદાશ્રી : હા, ત્યારે જેને મોટી ડુંગળી હોય તેને વધારે પડ નીકળે. પણ નીકળવા માંડ્યાં ખરા. એટલે આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાનથી મોક્ષ છે. મોક્ષનું એક જ સાધન આ જગતમાં હોય તો, આ છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન તે જ્ઞાની પુરુષનું શીખવાડેલું હોવું જોઈએ. બીજાનું શીખવાડેલું તો કામ જ ના લાગે. એટલે આપણને ગમે તેના વિચાર આવે તેનું આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરવું. એ તો અવશ્ય જ કરવું પડે. પ્રશ્નકર્તા : દાદા, પેલી ફરી ફરી દૃષ્ટિ ખેંચાય, એકની એક જુઓ, એક જણને જોઈને ખરાબ વિચાર આવ્યો કોઈપણ માણસને, હવે વિચાર આવ્યો એ શાથી આવ્યો કે મોહ ભરેલો હતો ને, એટલે સંજોગ ભેગો થયો. સંયોગ ક્યારે ભેગો થાય ? નહીં તો કંઈ આપણે બોલાવવા નથી ગયા એને. પણ ભેગા થાય. ભેગા થાય એટલે આપણું મન તે વખતે મોહના માર્યું છે તે એના જે પરમાણુ છે ને તે અવસ્થા
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy