SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રતિક્રમણ (૧૬) વસમી વેરની વસુલાત ૨૮૭ સામા થઈએ તો વેર ના વધે ? પ્રશ્નકર્તા : વધે જ. દાદાશ્રી : અનુભવ કરી જોયેલો ? એટલે વેરથી વેર વધે એટલે આપણે જેમ તેમ કરીને માફી માગીને છુટકારો મેળવવો. તિર્લેપ આમ રહેવાય પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ને વેર છોડી દઈએ પણ સામો વેર રાખે તો ? દાદાશ્રી : ભગવાન મહાવીર ઉપર એટલા બધા લોક રાગ કરતા હતા ને દ્વેષ કરતા હતા, તેમાં મહાવીરને શું ? વીતરાગને કશું ચોટે નહીં. વીતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે ને પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે. તે તેલવાળાને બધી ધૂળ ચોંટે, આજ્ઞામાં રહેવું છે ને તમારે ? તો તમને નહીં ચોંટે. એટલે આજ્ઞામાં રહેવાનું. તેલ ચોપડે તો ચોંટે ને ? દેહની જ્યારે ચીકાશ છે એને તેલ કહેવાય. દેહની ચીકાશ છે તેને આ ધૂળ ચોંટે. એ ચીકાશ જ નથી તો કેવી રીતે ચોંટે તે ? આ મારી પરેય રાગ-દ્વેષ કર્યા કરે છે લોકો. વખાણેય કરે છે અને કોઈને ના ગમતું હોય ત્યારે મહીં ગાળોય દે, આય બોલે. કારણ કે સ્વતંત્ર છે. અને અધોગતિમાં જવાની જવાબદારી એને પોતાને માથે જ છે. પોતાની જવાબદારીથી માણસ ફાવે એ કરે. આપણાથી ના કેમ કહેવાય ? મારે હ ! શું ના કરે ? અણસમજણ શું ના કરે ? અને સમજણવાળો તો નામ ના લે. વકીલ હોય તે ગુનો કરતાં ડરે કે ના ડરે ? પ્રશ્નકર્તા ઃ એટલે રાગ-દ્વેષ જે હોય છે તે વ્યક્તિલક્ષી હોય છે? દાદાશ્રી : પોતાના જ હોય. પોતે ચીકણું કરે, તેલ ચોપડીને કરે તેમાં આપણને શું ? છતાં એટલું ખરું, એક વાત ખરી કે, આપણા ઘરનું કોઈ માણસ હોય, તો એના માટે ચંદુલાલને કહેવું કે “ભઈ, પ્રતિક્રમણ કર્યા કર.” પહેલાનું સામસામું ઘર્ષણ છે, અને એ ઘર્ષણ પરિણામ છે, આ અહંકાર પરિણામ નથી. ‘આ’ જ્ઞાન પરિણામ છે. એટલે આપણે એટલું કહેવું કે પહેલાનું છે તે પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : આ બે વ્યક્તિની વચ્ચે જે વેર બંધાય છે, રાગ-દ્વેષ થાય છે, હવે એમાં હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં, તો એ પાછી આવતા ભવે આવીને એ રાગદ્વેષનો હિસાબ પૂરો કરે છે ? કારણ કે એ વેર એનું તો એણે ચાલુ રાખેલું જ છે ને ? દાદાશ્રી : બરાબર છે. એને આપણાથી દુઃખનું પ્રમાણ વધારે થયું હોય એટલે આપણે એના દુઃખને ભૂલી જઈએ છીએ, પણ એ એનું આવતા ભવ સુધી ના ભૂલે તો આપણે પ્રતિક્રમણ કરવાં પડે. જેટલું પ્રમાણ વધારે થયેલું હોય, સમજાયું ને ? પ્રશ્નકર્તા : એ વેર છૂટે એટલે આપણા પ્રતિક્રમણની ઈફેક્ટિવનેસ (અસ૨) થઈ કહેવાય ? દાદાશ્રી : હા, પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડ, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ? પ્રશ્નકર્તા : હા. ભગવાન મહાવીર ઉપર ઘણા લોકો રાગ-દ્વેષ કરતા હતા પણ એમને અડતું ન હતું. દાદાશ્રી : અરે, પાર વગરના રાગ-દ્વેષ કરતા હતા, મારતા હતા હઉં. મારતા હતા ને રાગેય કરતા હતા. એમને ઉઠાવીને લઈ જતા હતા. પ્રશ્નકર્તા : ના, પણ એમને અડતું ન હતું. દાદાશ્રી : એમનો તો આમાં ઉપયોગ જ ન હતો ને ? આ દેહમાં ઉપયોગ જ નહીંને ! એ દેહને જે કરવું હોય તે કરે. દેહનું
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy