SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] ભાવઅહિંસાની વાટે અંતિમ પ્રતિક્રમણે લેણદેણ સમાપ્ત પ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં, કોઈ પણ જાતના જીવ સાથે લેણદેણ હોય તો, આપણે એનાં પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છુટકારો આપી દે ? દાદાશ્રી : હું. પ્રશ્નકર્તા : આપણે જાણતા ન હોય એવા બધા જીવો ? દાદાશ્રી : ભેગા મળીને, જેટલું લખેલું એટલું જ, પછી કંઇ નહીં. પ્રશ્નકર્તા : પણ એ શું બોલાય ? દાદાશ્રી : જે જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયાં હોય, તે બધા મને માફ કરો. પ્રશ્નકર્તા : જીવમાત્ર ? દાદાશ્રી : જીવમાત્રને. પ્રશ્નકર્તા : એટલે પછી એમાં વાયુકાય, તેઉકાય બધા જીવો આવી જાય ? દાદાશ્રી : એ બધું બોલ્યા, એટલે એમાં બધું આવી જાય. દુઃખ ત દેવાતો ભાવ પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું ૨૭૪ પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : અજાણથી હિંસા થાય એટલે આપણને તરત જ પશ્ચાત્તાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુ:ખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચનકાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી. અજાણતાતી ભૂલ, પાપ બાંધે ? અત્યારે મહીં બીજા આડાઅવળા ભાવ આવે છે, તે પડી ગયેલાં બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઈ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું. તમને શું ખબર પડે કે એ જીવડું તમારાથી વટાઈ ગયું તે શુંય વેર બાંધે ? ભૂલથી વટાઈ ગયું તે વેર કેટલું બધું બાંધે ! કારણ કે એ જીવડાંના જે સંસારી, એનાં બૈરાં-છોકરાં બધાં હોયને, ઋણાનુબંધી તો હોયને ? એ તો એમ જ જાણે કે આ ભાઈએ જાણી જોઈને માર્યું, આ ભાઈએ ખૂન કર્યું. તમને અજાણથી લાગે, પણ એમને તો એમ જ લાગેને કે મારા ઘરનો માણસ મરી ગયો, ખૂન થઈ ગયું. એનેય સંસાર તો ખરોને ? જ્યાં જાય ત્યાં સંસાર તો ખરોને ? પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ? દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ? પ્રશ્નકર્તા : દાઝી જવાય. દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ? પ્રશ્નકર્તા : દાઝે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy