SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) કાઢે કષાયની કોટડીમાંથી... ૨૬૩ ૨૬૪ પ્રતિક્રમણ પાંચમામાં આવે, કોઈ છટ્ટામાં આવે. પહેલાં અપ્રત્યાખ્યાન હતાં, અપ્રતિક્રમણ હતાં. તે હવે આલોચના થઈ, પ્રતિક્રમણ થયાં, પ્રત્યાખ્યાન થયાં ! એટલે એ અપ્રત્યાખ્યાન આવરણ પણ ગયાં. જેને હજુ વ્યવહારમાં જાડી ‘ફાઈલો છે તે હજુ છઠ્ઠા ગુઠાણામાં આવ્યા કહેવાય. વ્યવહારમાં છઠ્ઠ ગુંઠાણું કોને કહેવાય ? સ્ત્રી-પુરુષો, એ બધું છોડ્યું. તેને નહીં પણ અપ્રત્યાખ્યાન આવરણ ના હોવું જોઈએ. પ્રત્યાખ્યાન કરીએ તોય પાછું એનું એ જ દેખાય, એટલે ફરી પાછું ડુંગળીનું પડ દેખાય. એ પ્રત્યાખ્યાન આવરણ. કો'ક ફેરો કલાક બેસી જાય ત્યારે અપ્રમત આવે છે સાતમું ગુઠાણું. વળી કો'ક ફેરો આઠમું અપૂર્વ આવે ! ત્યાં એવો આનંદ આનંદ થઈ જાય ને ! પણ નવમું ઓળંગાય નહીં. કારણ કે સ્ત્રી-પરિગ્રહ છે ત્યાં સુધી નવમું ગુંઠાથું ઓળંગાય નહીં. પરિણામ સ્વરૂપે પણ કષાય રહિતતા આ દેહમાં સહેજ પણ ક્રોધ જેવી વસ્તુ ના હોવી જોઈએ. એટલે ક્રોધનું પરમાણુ ના હોવું જોઈએ, લોભનું પરમાણુ ના હોવું જોઈએ, માનનું પરમાણું, કપટનું કોઈ પરમાણુ રહે નહીં, ત્યાર પછી એ ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : કષાયની શૂન્યતા, કમ્પ્લીટ (સંપૂર્ણ) શુન્યતા થવી જોઈએ ? દાદાશ્રી : એ તો જાણે ગયા, કષાય તો ગયા, ત્યાર પછી એનું પરમાણું પણ ના રહેવું જોઈએ, એટલે પરિણામ સ્વરૂપે પણ ના રહેવું જોઈએ. કષાયનું જવું એટલે શું કે કૉઝિઝ (કારણ) સ્વરૂપે જવું એનું નામ કષાય જવું કહેવાય. પણ એનું પરિણામ પણ જતું રહે છે, શરીરમાં પરિણામ ના રહે. હમણાં ‘કૉઝિઝ' તો તમારા જતા રહેલા, પણ પરિણામ સ્વરૂપે હોય, કોઈ જગ્યાએ ચોંટેલું. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ એ પણ પૂરો થઈ ગયો હોય ? દાદાશ્રી : હા, એ દશા મેં જોયેલી. ત્યારે તો આ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય, અનુભવ થાય, નહીં તો ના થાય. આત્મા દેખાય નહીં. કષાયનો અભાવ ત્યાં જ આત્મા રહેલો છે. પ્રશ્નકર્તા : અને તે ટોટલ (સંપૂર્ણ) અભાવ. દાદાશ્રી : તે હોઈ શકે નહીં, ઈમ્પોસિબલ (અશક્ય) વસ્તુ છે આ કાળમાં, અને સુષમકાળમાં ઈમ્પોસિબલ જેવી વસ્તુ છે નહીં. પ્રશ્નકર્તા : એટલે કષાયના ઉદ્ભવસ્થાનમાં પણ ન હોય, જ્યાં એનો ઉદ્ભવ થાય છે ત્યાં પણ ના હોય ? દાદાશ્રી : ત્યાં પણ ન હોય. કષાય સહિત પ્રરૂપણા એ તર્કની નિશાની પ્રશ્નકર્તા : એટલે એ કષાય વસ્તુ જ ન હોય, એમ ? દાદાશ્રી : ત્યારે તો આ જ્ઞાન ઉદ્ભવ થાય છે ! એટલે આ પાટો ઉપર જે છે ને, એ મહારાજ જેટલા પૂછે, એમને કહી દઉં છું કે “મહારાજ સાહેબ, વિનંતી કરું છું કે તમે કોઈ દહાડો વ્યાખ્યાન કરશો નહીં.” તો એ કહે કે “કેમ, અમને શું વાંધો છે ?” મેં કહ્યું, ‘નરકે જવું હોય તો કરજો. આ નરકે જવાનું મોટામાં મોટું લક્ષણ છે.’ બોલો હવે. આ જવાબદારી શી રીતે સમજે ? ભૂલ ખાનાર માણસ આ ભૂલ શી રીતે ખોળી કાઢે ? પ્રશ્નકર્તા : ‘પોતાની’ ભૂલ દેખાય જ નહીં ને ! દાદાશ્રી : એ ના દેખાય તો તો પછી એ છોડે નહીં ને, નરકે જવા જેવી ભૂલ દેખાય. કષાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે. એટલે કષાય સહિત વ્યાખ્યાન આપવાં નહીં. હવે ક્યા કષાય ? એનો નિયમ છે કે પ્રત્યાખ્યાનાવરણ કષાય હોય એ લોકોને વ્યાખ્યાન આપવાનો અધિકાર છે. પણ જેને અનંતાનુબંધી હોય. સમકિત ના થયું એટલે અનંતાનુબંધી હોય જ. હવે એમને આમ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy