SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રતિક્રમણ પ્રતિક્રમણ કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ કરો. (૧૪) કાઢે કષાયની કોટડીમાંથી.. ૨૫૩ દાદાશ્રી : શરૂઆત થાય, બેઉ સાથે થાય. પ્રશ્નકર્તા ઃ ક્રોધ ચાલતો હોય, પાછું પ્રતિક્રમણ થાય. બેઉ ભેગું. મારામારી કરે બેઉ, અતિક્રમણ અને પ્રતિક્રમણ સામાસામી. દાદાશ્રી : એટલે આ બધું છેદ ઊડી જાય હવે. હિસાબ ચોખ્ખો થઈ રહ્યો છે. આ પ્રકૃતિ છે અને તમે પુરુષ છો, પુરુષ એ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માને કશું અડે નહીં. શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. પ્રકૃતિને જોયા કરવી એ પુરુષાર્થ ! હવે તમે પુરુષ થયા અને આ થઈ પ્રકૃતિ. પ્રકૃતિ શું કરે છે. એ જોયા કરવાની. ચંદુભાઈ ખરાબ કરતા હોય કે સારું કરતા હોય, તે તમારે લેવાદેવા નહીં. તમે છુટ્ટા, જોનારો છુટ્ટો. આ જેમ મોટી હોળી જબરદસ્ત બળતી હોય, પણ જોનાર હોય ને. એક મકાન પોતાનું હોય અને હોળીની પેઠે સળગતું હોય પણ જોનાર હોય તેને દઝાય નહીં. અને મારું સળગ્યું કે તરત દઝાયો. પ્રશ્નકર્તા: જોનારને “મારું હોય નહીં. દાદાશ્રી : જોનારને “મારું હોય નહીં, પ્રેક્ષક કહેવાય. આપણને મારું હોતું નથી. ‘મારું ઊડાડી મેલ્યું છે. “મારું' તમે ‘મન’ અર્પણ કરી ગયા છે. જોયા કરો એટલે પ્રકૃતિ ચાલવા જ માંડે, એટલાં કર્મ ઊડી ગયાં. ગુનો પણ મડદાલ પ્રશ્નકર્તા : અતિક્રમણથી જે ઉશ્કેરાટ હોય ને એ પ્રતિક્રમણથી ટાઢો પડી જાય છે ? દાદાશ્રી : હા, ટાઢો પડી જાય. પ્રતિક્રમણ તો ‘ચીકણી ફાઈલ’ હોય તેમાં તો પાંચ-પાંચ હજાર પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ટાઢું પડે. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તોયે આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએ ને તો એટલો ડાઘ આપણને રહ્યા કરે. પ્રશ્નકર્તા : કોઈની જોડે ક્રોધ થઈ ગયા પછી ખ્યાલમાં આવે અને એની આપણે માફી માગી લઈએ, તેની તે જ મિનિટે તો એ શું કહેવાય ? દાદાશ્રી : અત્યારે જ્ઞાન લીધા પછી ક્રોધ થઈ જાય ને અને પછી માફી માંગી લે, તો કશો વાંધો નહીં, થઈ ગયું છટું ! અને માફી આમ રૂબરૂ ના મંગાય એવું હોય તો અંદરથી માંગી લે, તો થઈ ગયું. પ્રશ્નકર્તા : રૂબરૂમાં બધાની વચ્ચે ? દાદાશ્રી : વાંધો નહીં, એવું ના માંગે કોઈ અને એમને એમ મહીં કરી લે તોય ચાલે. કારણ કે આ ગુનો જીવતો નથી, આ ‘ડિસ્ચાર્જ છે, ‘ડિસ્ચાર્જ ગુનો એટલે જીવતો ગુનો ન હોય આ. એટલે એટલું બધું ખરાબ ફળ ના આપે. રોકડાં પરિણામ, દિલથી પ્રતિક્રમણતાં પ્રશ્નકર્તા: કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ? - દાદાશ્રી : એ બે-ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. “હે દાદા ભગવાન ! ભયંકર વાંધો આવ્યો. જબરદસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુ:ખ થયું ? આપની રૂબરૂમાં સામાની માફી માગું છું, ખૂબ જબરદસ્ત માફી માગું છું.’ માફી કોણ માંગે ? તમારે નહીં માંગવાની, ચંદુલાલે માંગવાની. જે અતિક્રમણ કરે તે પ્રતિક્રમણ કરે. તમે અતિક્રમણ નથી કરતા. અતિક્રમણોની વણજાર સામે પ્રશ્નકર્તા : કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ, તો એ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy