SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) વિમુક્તિ, આર્ત-રૌદ્રધ્યાન થકી દાદાશ્રી : હા. પણ સાચો માણસ હોય તેને પહોંચે જ ને ? યથાર્થ કોણ માણસ સમજે ? ૨૩૫ પ્રશ્નકર્તા : મેં પછી વિચાર કરીને એવો અર્થ કાઢ્યો હતો કે, યથાર્થ પ્રતિક્રમણ એટલે સહેજ પણ કર્તાભાવ ના હોય. દાદાશ્રી : ના, એ બિલકુલ હોય નહીં. કર્તાભાવ તો નથી આ જ્ઞાન લીધા પછી. પણ યથાર્થ એટલે જેમ હોવું ઘટે તેવી રીતે એક્ઝેક્ટલી. યથાર્થનો અર્થ જ એવો થાય. જેમ હોવું ઘટે તેવું. પ્રશ્નકર્તા : જ્ઞાનીઓને પ્રતિક્રમણ કરવાનું હોય નહીંને ? દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાનીઓને હોય. પ્રશ્નકર્તા : ના. પણ યથાર્થ પ્રતિક્રમણ છેને ? દાદાશ્રી : યથાર્થ તો અમારી જોડે પેલા રહે છે, એ કરી શકે બધા. અમુક, અમુક માણસો હજુ આપણા છે જ. બીજાય તે કરી શકે. તમેય કરી શકો એ માણસની જેમ. યથાર્થ તમે સમજતા ન હો તેનો વાંધો નથી. પણ યથાર્થ તમે કરો ખરા એ હું જાણું છું. યથાર્થનો અર્થ જ બહુ ભારે થાય છે. ‘જેમ હોવું જોઈએ તેમ.’ ધ્યાત અંદર ‘શુક્લ' તે બહાર ‘ધર્મ' આપણું સાયન્સ શું કહેવા માંગે છે, તે હું તમને કહું. અત્યારે ઉદયમાં જે દોષ નીકળતો હોય, કે ઉદયમાં સારો ભાવ નીકળતો હોય. બે જ જાતના ભાવ નીકળવાના ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો એ ઉદયને જુઓ કે, પોતાના દોષ દેખાય, જે દોષવાળો હોય, તેને દોષ દેખાય અને સારાવાળાને સારું દેખાય. પણ આપણે આપણા દોષ જ જોવાના. બીજું કશું જોવાનું નથી. આ પુરુષાર્થથી આવતા ભવમાં ફેર પડે છે. પણ આપણે તો એવું પ્રતિક્રમણ કહેવા માગતા જ નથી. આપણે શું કહીએ છીએ. આપણે તો ‘શુદ્ધાત્મા’ થયા ને આવતો ભવ જોઈતો નથી. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ. આ ઉદય જે છે. તે અમે એનો નિકાલ કરી નાખીએ છીએ, જાણીએ છીએ. ૨૩૬ દોષ થયો એ જાણ્યું, એનું નામ ધર્મધ્યાન. અને મહીં અંદર શુક્લધ્યાન છે. આ બેઉ, ધર્મધ્યાન ને શુક્લધ્યાન હોય ત્યારે એકાવતારી થાય. અને એકલું શુક્લધ્યાન હોય ત્યારે મોક્ષ થાય. એટલે દોષ થાય, તેને તમારે દોષને વળગવાનું નહીં. આ પાછલાં પુસ્તકો વાંચેલાં. તે તમને એવું લાગે કે આ શું થયું ? આ શું થયું ? આપણે સુટેવો ને કુટેવો બન્નેને સેફસાઈડ કર્યું છે. આપણે શુદ્ધાત્મા છીએ ને સ્વરૂપમાં આપણે આવી ગયા છીએ. હવે જે દોષ છે એ આપણને દેખાય છે. એ આપણને દેખાવા માંડે. બધા દોષો ઝીણામાં-ઝીણા દેખાયા કરશે. પણ દોષને જોવાની દષ્ટ જેમ ખીલશે. તેમ તેમ એ વધારે ને વધારે દેખાતા જશે. હવે પ્રતિક્રમણ ના થાય તોય હું કહુંને વાંધો નથી. પણ ફક્ત એ દોષો જોયા કરો. અને આ વસ્તુ ખોટી છે એવું જાણ્યું. જાણ્યું ત્યારથી જ એ ધર્મધ્યાન કહેવાય. એટલે આ બહારનું ધર્મધ્યાન અને અંદરનું શુક્લધ્યાન આ માર્ગ તદ્દન જુદો છે. ચોખ્ખો માર્ગ છે અને સ્વભાવિક માર્ગ છે. અત્યારે કંઈથી મૂઆ ? હવે રાત્રે સાત-આઠ જણ આવ્યા. અને ચંદુભાઈ છે કે, એમ કરીને બૂમો પાડે, રાતે સાડા અગિયાર વાગ્યા છે ને, તો તમે શું કહો ? તમારા ગામથી આવ્યા હોય ને, તો એમાં એક-બે ઓળખાણવાળા હોય અને બીજા બધા એના ઓળખાણવાળા હોય અને દસ-બાર માણસનું આમ ટોળું હોય અને બૂમ પાડે, તો સાડા અગિયાર વાગે શું કહો એ લોકોને ? બારણું ઊઘાડો કે ના ઊઘાડો ?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy