SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પ્રતિક્રમણ (૮) “આમ” તૂટે શૃંખલા ઋણાનુબંધની ૧૬૫ પ્રતિક્રમણનો પ્રતિસાદ અવશ્ય બે ખોટ ના ખાય એનું નામ જ્ઞાન. અને બે ખોટ ખાય તોય મનમાં પાછું એનું પ્રતિક્રમણ કરે તો બે ખોટ ના ખવાય. બે ખોટ ના ખાવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરે તો માફી થાયને ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો દોષ થયો તે બદલ પ્રતિક્રમણ કરીએ છીએ. દોષ ના થયો તો કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એ તો એની જોડે હિસાબ આપણો ચૂક્ત થઈ ગયો. પણ ઊંધું થયું ના હોય તો કશી લેવાદેવા નથી. અને જેમ જેમ પ્રતિક્રમણ થશેને, તેમ તેમ બધું હલકું થતું જશે, તે માણસો જોડે. તે સંબંધો માણસો જોડે બિલકુલ ક્લિયર. એક માણસ જો તમારે બિલકુલ ફાવતું નથી, તેનું જો તમે આખો દહાડો પ્રતિક્રમણ કરો, બે-ચાર દિવસ સુધી કર્યા કરો તો પાંચમે દહાડે તો તમને ખોળતો આવે અહીંયાં. તમારા અતિક્રમણ દોષોથી જ આ બધું અટક્યું છે. અને પ્રતિક્રમણ તો કોઈ કરે નહીં, આ ડાહ્યા માણસો તો પ્રતિક્રમણ કરતાં હશે કે ? દોષ એનો અને હું શાનો પ્રતિક્રમણ કરું કહેશે ? પેલાને પૂછીએ કે ભઈ, તારે ? ત્યારે એ કહે, ‘એનો દોષ, હું શાનો પ્રતિક્રમણ કરું તે ?” ચાલો નિરાંત થઈ ગઈ, આપણે હિન્દુસ્તાન કે પાકિસ્તાન, બોંબાર્ડિંગ ચાલુ જ રહેવા દોને ! એ છે આપણાં જ પરિણામ દાદાશ્રી : અહિત કરતું હોય તો અજ્ઞાનીને શું ઉપાય છે કે, એની જોડે બાઝે, લઢે, ગાળો દે, માર માર કરે. અજ્ઞાની શું ઉપાય કરે ? આ જ ઉપાય કરેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગાળંગાળા કરે, લઢેલઢા કરે, તેથી કંઈ અહિત બંધ થઈ જતું નથી. એ તો હિસાબ લઈને આવ્યા છે, તો એવું થવાનું જ અને આ બધું વધારે કર્યું, તે આવતા ભવને માટે સિલ્લક કરી. એને વટેશ્રી, આવતા ભવની વટેશ્રી બાંધી એટલે આપણે વટેશ્રી ના કરીએ, આપણે અહિત કરતો હોય તેને જોયા-જાણ્યા કરવું. અહિત એ જે કરે છે એ તો મારું પરિણામ આવ્યું. જેમ પેલી વાવ ‘ચોર' આપણને કહે છે, એ એમ કહેવાય કે અહિત કરે છે વાવ ? ના, આપણું પરિણામ આવ્યું, કારણ કે એ તરત ને તરત કરે છે ને ? એટલે આપણને એમ લાગે છે કે આનું પરિણામ આવ્યું, નહીં તો ખબર નહીં પડતી. એટલે આમાં એનું પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. કારણ કે એ અહિત કરે છે. આપણે અહિત કરતા હોઈએ તો આપણે પ્રતિક્રમણ કરવાનું. એ અહિત કરતો હોય તો આપણને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. નિરાંતે જોયા કરો. આપણું કોઈ હિત કરતો હોય તેય આપણું પરિણામ છે અને અહિત કરતો હોય તેય આપણું પરિણામ છે. જગતના લોકો આ બેઉ જગ્યાએ જુદું વર્ત. હિત કરતો હોય તેની પર રાગ અને અહિત કરતો હોય ત્યાં ષ. તમે તો મારું ખરાબ કરી નાખ્યું ને આમ છે ને તેમ છે. બેઉ રાગ-દ્વેષનાં પરિણામ છે. અને એવું તેવું છે નહીં, અહિત હિત કરનારો કોઈ છે જ નહીં, તમારા જ પડઘા છે. બીજું કોઈ છે નહીં. આમાં બહારથી કેવી રીતે આવે ? અપમાન કરે તેમાંય પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય છે, હું આટલું બધું કરું છું છતાં આ મારું અપમાન કરે છે ? પ્રશ્નકર્તા : કોઈ આપણું અહિત કરતું આપણને જણાય ત્યારે તે પરિણામ છે એમ સમજીને, જે થતું હોય તે જોયા કે જાણ્યા કરવું, કે રાત્રે સૂતી વખતે પ્રતિક્રમણ કરવું કે રૂબરૂ મળીને રોકડું પ્રતિક્રમણ કરવું ?
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy