SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) પતિ-પત્નીમાં મતભેદ ! બેસાડ્યા ! દાદાશ્રી : એટલે આ મતભેદ ઠેરઠેર ઘરમાં, મહીં અંદર ઝઘડા મતભેદ હોય. આ તો હમણે આ જ્ઞાન આપ્યા પછી ઓછા થયા. નહીં તો પહેલાં તો આખો દહાડોય ઝઘડા ચાલ્યા કરતાં મહીં તોફાન. એ કહેશે, ‘અલ્યા, મેં તારું શું બગાડ્યું છે, તે તમે ઘરમાં વઢો છો બધાં.' ત્યારે બીજો કહે, ‘તમે શું બગાડ્યું છે તમે જાણતા નથી ?” એટલે આ જીવન જીવતાંય ના આવડ્યું ? અકળામણથી જીવો છો ? એકલો મૂઓ છું ? ત્યારે કહે, ના, પૈણેલો છું. ત્યારે મૂઆ, વાઈફ છે તોય તારી અકળામણ ના મટી ? અકળામણ ના જવી જોઈએ ? આ બધું મેં વિચારી નાખેલું. લોકોએ ના વિચારવું જોઈએ આવું બધું ? બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમ અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તોય સારું, પણ ત્યાંય ‘વાઈફ’ જોડે લઠ્ઠાબાજી ઉડાડે ! e બે વાસણ ખખડે જ, કહે, વાસણ છે કે માણસ તું, અરે ! પ્રશ્નકર્તા : બે તપેલાં હોય તો રણકાર થાય ને પછી શમી જાય. દાદાશ્રી : રણકાર થાય તો મજા આવે ખરી ? છાંટોય અક્કલ નથી એવું હઉ બોલે. પ્રશ્નકર્તા : એ તો પાછું બીજુંય બોલેને કે તમારા સિવાય મને બીજું કોઈ ગમતું જ નથી. દાદાશ્રી : હા, એવુંય બોલે ! પ્રશ્નકર્તા : પણ વાસણ ઘરમાં ખખડે જ ને ? દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાંય સ્પંદનો કર્યા કરે કે ‘આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર છે, કાઢી મેલવા જેવા છે !' અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય ? આ ‘દાદા’ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નેય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઈ કો'કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણ વાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબૂચક થઈને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઈશું ઓફિસે. શું ખોટું ? ચાનોય કંઈ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે ‘વ્યવસ્થિત’ ! એનો ટાઈમ થશે એટલે ચા મળશે. તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો ચા આવીને ઊભી રહેશે. અને સ્પંદન ઊભાં કરશો તોય એ આવશે. પણ સ્પંદનોથી પાછા વાઈફના ચોપડામાં હિસાબ જમે થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને ? પૂર્વ મતભેદ કરવાની જરૂર નથી, મતભેદથી કંઈ ફાયદો થયો ? મતભેદ ક્યારે કરીએ, કે મતભેદ કરી રહ્યા પછી ફરી મતભેદ ન કરવો પડે તો મતભેદ કરવો જોઈએ. એ ચોથા દહાડે પાછો કકળાટ કરવો હોય તો, કકળાટ, કકળાટ, કકળાટ કર્યા જ કરે છે એટલે કકળાટ કરો છો કે મતભેદ કરો છો ? મતભેદ તો ફરી ના કરવો પડે. એક ફેરો મતભેદ થઈ ગયો, પણ એ સુધારી લે અને આપણેય સુધારી લઈએ. આ તો ત્રીજે દહાડે પાછો હતું તેનું તે ! કંઈ વિચારવા જેવું નથી લાગતું તમને ? આ તો આ વિચારોને, સારા માણસ થઈને કેવું કરો છો ? હજી સુધારી શકાય એવું છે. હજુ કંઈ બગડી ગયું નથી. તદન બગડી ગયું હોત તો તો આપણે કહીએ કે ભઈ, ઉખેડી નાખો હવે બધું, ફરી નવેસરથી વાવો. હજુ ડિમોલિશન કરવા જેવું નથી, હજુ તો સારું છે. રીપેર કરવાની જરૂર છે. ઓવરહોલ કહે છેને ? ઓવરહોલ કરવાની જરૂર છે ? બીજું કશું નહીં. કેવા સારા માણસ અને આપણે મતભેદ ક્યાં થાય ? આવતી સાલ હું આવું ત્યારે મતભેદનું ભૂત કાઢી નાખો !
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy