SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો ૪૫૯ અને ઘેર સ્ત્રી જોડે તો પ્રેમ રાખવો જોઈએ. પ્રેમનું જીવન હોવું જોઈએ, આવું કાયદાનું જીવન જીવાતું હશે ? પ્રેમનું જીવન જીવવું જોઈએ. આપણે ત્યાં કંઈ પણ કાયદો છે ? કશું કાયદો નથી ને ? નો લૉ, કેવું સરસ પ્રેમથી ચાલે છે ! સ્ત્રીતે પરષો વખાણે, મહીં ઘાટ, અંજાય, તો કપટતો ચઢે કાટ ! પ્રશ્નકર્તા: વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું. દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું તે એને માટે પુરુષો રિસ્પોન્સિબલ છે. એ ઘણા પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ એને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી ભૂલ-થાપ ખઈ જાય. એને દવા ના પીવી હોય... અને ના જ પીવાની હોય. છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો પુરુષ એનો જવાબદાર. જેમ અજ્ઞાની માણસ હોય ને તે સીધો રહેતો ના હોય કોઈની જોડે. કોઈ સ્ત્રીઓ હોશિયાર થયેલી હોય બિચારી, એને પેલો માણસ શું કહે ? તું તો બહુ જ અક્કલવાળી છું. એના ખૂબ વખાણ કરે ને, એટલે એની ઇચ્છા ના હોય તોય એ પુરુષ જોઈન્ટ થઈ જાય. હવે માણસો સ્ત્રીને પોતાને ગમતું બોલે તો એ સ્ત્રી એને વશ થઈ જાય. પોતાને ગમતું કોઈ પુરુષ બોલે, બધી બાબતમાં કહેને, ‘કરેક્ટ, બહુ સારું.’ અને એનો ધણી જરા વાંકો હોય. અને બીજો પુરુષ છે તો પછી આવું મીઠું બોલે, તો અવળું થાય ખરું? પ્રશ્નકર્તા : થાય, દાદા. દાદાશ્રી : આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લીપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં સ્લીપ થઈ જાય. આ બહુ ઝીણી વાત છે, સમજાય એવું નથી. પ્રશ્નકર્તા : સમજાય, દાદા. દાદાશ્રી : હવે પુરુષ તો પેલું સ્વાર્થ કાઢવા માટે કરે છે અને પેલીને રોગ પેસી જાય, કાયમનો. અને પુરુષ, તો સ્વાર્થી નીકળે, એટલે ચાલ્યું. એ તાંબાનો લોટો નીકળ્યો આ, ધોઈ નાખ્યો એટલે સાફ પણ પેલીને ચઢ્યો કાટ. એનો કપટનો સ્વભાવ બંધાઈ જાય. એને ઇન્ટરેસ્ટ આવે એટલે પછી સ્ત્રીનો સ્વભાવ બંધાઈ જાય. તમને બીજો એક દાખલો આપું. આપણે ઘેર છોકરો હોય, તે અવળું કરે ત્યારે વઢીએ-મારીએ, એ રિસાઈને જતો રહેતો હોય. એવું પાંચ-સાતદસ વખત થયું હોય, તો થોડું કંટાળે તો ખરો ને ? પ્રશ્નકર્તા : કંટાળે, હા. દાદાશ્રી : મા-બાપને કામ લેતાં ના આવડે એટલે. આજના બધા છોકરા પાસે મા-બાપને કામ લેતાંય નથી આવડતું. એ છોકરો કંટાળી જાય ને ! હવે પડોશી શું કહે ? એય બાબા, અહીં આય. તે આવે. ‘અલ્યા, મહીંથી જરા પેલો નાસ્તો લાવો.’ એટલે પછી ભઈને જે કહે એ કરી આપે કે નહીં ? પ્રશ્નકર્તા : કરી આપે અને મા-બાપો માટે ધૃણા ઉત્પન્ન થઈ જાય. દાદાશ્રી : અને આના ઉપર ? પ્રશ્નકર્તા: એના માટે પ્રેમ ઉત્પન્ન થાય. એ કહે એ બધું કરવા તૈયાર થાય. દાદાશ્રી : એવી રીતે સ્ત્રીને પોતાના ધણીથી ધૃણા ઉત્પન્ન થાય એટલે પછી. કારણ કે એને વિષય ગમે છે અને પેલો પુરુષ છે તે સારું બોલવા માંડ્યો. એટલે એ રૂપાળો દેખાતો જાય. એને એનકરેજ કરે. એનું કામ કાઢી લેવા માટે એકરેજ કરે આને અને એ જાણે કે ઓહોહો.... મારે અક્કલ નથી, છતાં આટલી બધી અક્કલ થઈ ગઈ આ, એમ કહે
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy