SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પત્નીની ફરિયાદો ૪૦૧ ૪૦૨ પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર એનું સમાધાન કરશો તો જ, નહીં તો નિકાલ કર્યા વગર એ ફાઈલ આપણને મોક્ષે ના જવા દે. હિસાબ ચૂકવો એવી આ દુનિયા છે. ના માંગતી હોય તોય આપીને છૂટ્ટો કરવો. ફરી નહીં તો પછી ક્લેઇમ માંડે પાછું. માંગે છે એનું કારણ છે કે એની પાછળ કૉઝિઝ (કારણો) છે. હવે વગર કૉઝિઝે કોઈ પણ વસ્તુ બને નહીં. માટે કૉઝ છે. માટે એનું સેફ કરી લો. અને કૉઝ વગર તો કોઈ નામ જ ના લે. આ વર્લ્ડમાં કોઈ પણ નામ ન લે. આજુબાજુ વાઘ રહેતા હોય અને વચ્ચે સૂઈ જઈએ તોય કોઈ નામ ન લે. કૉઝ ના હોય તો અને કૉઝ છે તો આ બધું ઊભું થાય છે વાત. એટલે એનો સમભાવે નિકાલ કરી નાખો, હવે. પ્રશ્નકર્તા : આ બરાબર છે, નિકાલ કરવાનો. હવે હું પૂછું કે પત્નીની માંગણીનો કેવી રીતે નિકાલ કરું ? દાદાશ્રી : એ તો આ રકમ તમને જ્યાં ઠીક લાગે એમ ઉપયોગ કરજો, હું હાથ નહીં ઘાલું, કહીએ. એમને પત્નીને સંતોષ થઈ ગયો એ સમાધાન. હવે બીજી કોઈ બાબતમાં કંઈ ક્લેઇમ છે ? કેટલી બાબતમાં વાત સો ટકા સાચી છે, પણ તે સંસારમાં રહેવું હોય તેને માટે સારી છે. મોક્ષે જવું હોય તેને તો ઉકેલ લાવવો જ પડે. રસ્તામાં અમથો અમથો ઊભા રહીને આપણને કહે, ‘એય ખડા રહો. સો ડૉલર આપીને જાવ, તો એ આપણને ના જવા દે. તો એ સો ડૉલર એને આપીને જવાનું. મોક્ષે જવું છે તેને ! અને કાં તો લડવું હોય તો લડો, કહે છે. હવે એના કુટુંબની જે માન્યતા ચાલી આવી છે એમાં પ્રેમ ડખલ કરી શકે નહીં. પ્રેમ પ્રેમની જગ્યાએ, માન્યતા માન્યતાની જગ્યાએ. તેથી કરીને પ્રેમ નથી એવું કહેવાય નહીં. એ માન્યતા છે એની. પણ એમને મોક્ષે જવું હોય તો આ નિકાલ કરી નાખવો જોઈએ. મોક્ષે ના જવું હોય તો અહીં આગળ બેઉ જણ લટ્ટબાજી ઊડાડો. પ્રશ્નકર્તા : એને મારા માટે એટલો પ્રેમ હોવો જોઈએ કે એ માન્યતા બદલે તો પ્રેમ પ્રેમ કહેવાય. દાદાશ્રી : આ તો લોકો માને છે, પ્રેમ છે. આ કળિયુગમાં પ્રેમ છે નહીં. હમણે દસ-પંદર ગાળ ભાંડે, તો પ્રેમ ખબર પડી જાય. અને મારી નાખે તોય ના ખસે એ પ્રેમ કહેવાય. ગાળો દસ-પંદર નહીં, સો-બસો ગાળો દે અને માર મારે, ધોલો મારે તોય પણ પ્રેમ એટલે કશો વાંધો ના આવે. પણ આ તો બીજે દહાડે છૂટું. એટલે આમાં પ્રેમ નથી, આ તો આસક્તિ છે બધી. પ્રશ્નકર્તા : પ્રેમ તો એવી વસ્તુ છે, જેમાં કોઈ રિલેટિવ વસ્તુની જરૂર જ ના હોય. દાદાશ્રી : ના, છે જ નહીં, રિલેટિવમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી, આસક્તિ છે. આસક્તિને લોકો પ્રેમ કહે છે. પ્રેમ તો અમારો કહેવાય કે તમે અમને વઢી જાવ તોય અમારો પ્રેમ ઘટે નહીં. આ તમે અવળું-સવળું કરો તો વધી ના જાય. અમે તો બોલીએ ખરા, આ માણસ બહુ સારા છે, આમ છે, તેમ છે પણ કશું પ્રેમ વધઘટ ના થાય. શબ્દ જ રિલેટિવમાં અને પ્રેમ તો વાસ્તવિક ભગવાનનો પ્રેમ. પ્રશ્નકર્તા : મારે મોક્ષે જવું છે. મને આવું બધું માંગવાનું મન ના છે ? પ્રશ્નકર્તા : દાદા, કંઈ દાગીના પૂરતું જ છે, બીજું કશું નથી. દાદાશ્રી : તો પછી એ તો ઉકેલ લાવી દેવાનો. જ્યારે ત્યારે સમભાવે નિકાલ વગર છૂટકો જ નથી, તો હવે આ નિકાલ કરી નાખો. જો છૂટકો નથી તો પહેલેથી કેમ ના કરવો ? - પ્રગ્નકર્તા ઃ હું એમ પૂછું છું કે એ (પતિ) જાણે છે કે આ માંગે છે. એ આપી શકો એમ હોય પણ છતાંય ના આપો. એ શું એનો અહંકાર છે ? અથવા એમને મારી માટે પ્રેમ નથી ? દાદાશ્રી : ના, એ અહંકાર નહીં. માંગ્યું માટે ના આપવું તે બધુંય અંતરાય છે, ભોગવનારના અંતરાય છે અને આ ખોટા દેખાય છે. આ આમને ખોટા દેખાવાનું અને અંતરાય એના. એમને ખોટા દેખાવાનું એટલે શું ? સામાની ડિગ્રીમાં તો ખોટા જ લાગે ને ?
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy