SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૭૫ ૭૫ પૈસાનો વ્યવહાર ફક્ત કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું ‘વ્યવસ્થિત’ છે. નફામાં હજાર કે લાખ આપવાના છે, તે ચાલાકી કરવાથી એક આનો ય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદા ! પ્રશ્નકર્તા: પણ ધંધામાં ચાલાકી કર્યા વગર તો ધંધો ચાલે નહીં ને ? દાદાશ્રી : ભગવાને શું કહ્યું છે આ બધું તને ‘વ્યવસ્થિત’ માં છે એટલું જ મળશે અને ચાલાકીથી કર્મ બંધાશે ને પૈસા એકે ય વધશે નહીં ! એક માણસ ચાલાકી સાથે ધંધો કરે, પણ નફો તેને તે જ રહે ને ચાલાકી કર્યાનું કર્મ બંધાય તે જુદું. માટે આ ચાલાકી ના કરશો. ચાલાકીથી કશો ફાયદો નથી ને નુકસાન પાર વગરનું !! ચાલાકી નકામી જાય છે અને આવતા અવતારની જોખમદારી વહોરી લે છે. ભગવાને ચાલાકી કરવાની ના કહી છે અત્યારે તો કોઈ ચાલાકી કરે જ નહીં ને ? પ્રશ્નકર્તા : આપણી સામે કોઈ ચાલાકી કરતો હોય તો આપણે પણ સામી કરવી જોઈએ ને, એવું અત્યારે તો લોકો કરે છે. દાદાશ્રી : આવી જ રીતે ચાલાકીનો રોગ પેસી જાય ને ! અને ‘વ્યવસ્થિત'નું જ્ઞાન હાજર હોય તેને ધીરજ રહે. કોઈ આપણી જોડે ચાલાકી કરવા આવે તો આપણે પાછલે બારણેથી નીકળી જવું, આપણે સામી ચાલાકી કરવી નહીં. વગર ચિંતવ્ય આવી મળે ! પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે કમાવાની તું ભાવના જ ના કરીશ. દાદાશ્રી : તું રોજ નહાવા માટે ધ્યાન કરે છે ? પ્રશ્નકર્તા : ના સાહેબ. પ્રશ્નકર્તા : બધા જ કરે છે દાદા. દાદાશ્રી : નહાવાનું ધ્યાન નથી કરતો તો યે ડોલ પાણીની મળે છે કે નથી મળતી ? પ્રશ્નકર્તા : મળે છે. દાદાશ્રી : એમ ?! શું વાત કરો છો ?! પણ આપણે હાથે કરીને ચાલાકી નહીં કરવાની. ચાલાકીનો તને ફોડ પડ્યો ને ? પ્રશ્નકર્તા : લોભની ગાંઠ હોય તો તેનાથી ચાલાકી થાય એવું ! દાદાશ્રી : લોભની ગાંઠ લોકોને હોય જ, પણ ચાલાકી ના પણ હોય. ચાલાકી તો આ કાળમાં બીજાનું જોઈને શીખી ગયેલા. ચાલાકી એ ચેપી રોગ છે, બીજાને ચાલાકી કરતાં જુએ એટલે પોતે ય કરે. તમારે ચાલાકી કરવી પડે છે ? પ્રશ્નકર્તા : મારે એની જરૂર નથી પડતી. ચાલાકી કરવી ને કપટ એ બે જુદાં કેવી રીતે ? દાદાશ્રી : જેમ નહાવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે. આખો દહાડો ગોદડાનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઈ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઈ ચાલી, બ્લડપ્રેશર થઈ ગયું, હાર્ટફેઈલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે લક્ષ્મીની-પૈસાની પાછળ પડે એવું શીખવાડ્યું ?! દાદાશ્રી : કપટ એ વસ્તુ છે ને એની સામાને ય ખબર ના પડે અને તને પોતાને ય ખબર ના પડે કે મહીં કપટ થઈ રહ્યું છે. જ્યારે ચાલાકીની તો ખબર પડી જાય, પોતાને ય ખબર પડી જાય અને બીજાને ય ખબર પડી જાય.
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy