SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર પ૬ પૈસાનો વ્યવહાર એડજસ્ટેબલ, ઈટ એડજટ્સ, એ પ્રમાણે નિકાલ કરીને આગળ કામ કાઢી લેવાનું. કંઈ બેસી રહેવાય આખી રાત ? પ્રશ્નકર્તા : તો વ્યવહાર કેવી રીતે કરવો ? દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, ‘દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.’ હવે આપણા ચોખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરના હોય ને ત્રણ લાખ લોકોના હોય તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, ‘ભઈ, મને નફો રહ્યો નથી,' એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?’ એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો. સત્ય પણ કાળાધીત ! પ્રશ્નકર્તા : સત્ય વસ્તુ હમેશાં બહુ તકલીફ આપે છે. જીવનમાં સત્ય એક હોતું નથી. ઘરમાં એક સત્ય હોય, ધંધામાં બીજું સત્ય હો. ઘણીવાર મારું સત્ય એક જ હોય અને આ ભાઈને બે સત્ય હોય - એમને જીવનનું સત્ય એક હોય અને વેપારનું સત્ય બીજું હોય. જીવનનું સત્ય એટલે ઘરમાં એ ભાઈ જૂઠું ના બોલી શકે અને વેપારમાં સત્ય બોલે તો ચાલે નહીં. અને મારે પિતા તરીકે એક સત્ય છે, જીવનનું મારું આ એક સત્ય જ છે. અને આ ભાઈને બે સત્ય એક રાખવાં પોષાય નહીં, એમને બે અલગ અલગ સત્ય હોઈ શકે છે. તો શું સત્ય બે હોય છે ? કે સત્ય એક જ હોય ? દાદાશ્રી : હા, બધે સત્ય જુદાં જુદાં હોય. ધંધામાં એક હોય તો બીજે જુદું હોય. એક જ મુશ્કેલી ઊભી થઈ છે. વેપારમાં જે સત્ય છે એ કાળને આધીન છે. સયુગમાં કળિયુગના પ્રકારનું સત્ય ન હતું. આજનું સત્ય એ કળિયુગનું સત્ય છે. કળિયુગનું સત્ય એટલે કપટ સાથેનું સત્ય. એન પેલું સત્ય એટલે કપટ રહિતનું સત્ય, એટલે કાળને આધીન, સંજોગવશાત્ છે. સંજોગવશાત્ આ બધું વેપારમાં કરવું પડે છે. સુધરેલા બહારવટિયાની સામે.. પ્રશ્નકર્તા : પણ અમારે તો જીવનમાં એવા અમુક પ્રસંગો આવે છે કે જ્યારે ખોટું બોલવું જ પડે ત્યારે શું કરવું ? દાદાશ્રી : એ તો હું તમને દેખાડી દઈશ. ક્યાં ખોટું બોલવું ને ક્યાં ખોટું ના બોલવું એ હું તમને દેખાડી દઈશ. કેટલીક જગ્યાએ ખોટું બોલવું સારું અને કેટલીક જગ્યાએ સાચું બોલવું તે ય સારું. ભગવાનને તો “સંયમ છે કે નહીં? તેટલી જ પડેલી છે. સંયમ એટલે કોઈ જીવને દુઃખ નથી દેતો ને ? ખોટું બોલીને ય દુ:ખ ના દેવું જોઈએ. કેટલાક કાયદા કાયમના હોય છે ને કેટલાક કાયદા ટેમ્પરરી હોય છે. ટેમ્પરરીને લોક કાયમનું કરી નાખે છે ને મહામુશ્કેલી ઊભી થાય છે. ટેમ્પરરી લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમ જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને ‘એડજસ્ટ’ કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલા પૂછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જયાં સુધી લોકો આપણને ગાળો ના દે, અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું, પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે ! પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, ભાઈ આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ પી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા એને ગુનો કહું છું. બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy