SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાનો વ્યવહાર ૩૮ પૈસાનો વ્યવહાર પ્રશ્નકર્તા: દીકરા સારા છે. બધા કામ કરે છે. દાદાશ્રી : તો પચાસેક લાખ રૂપિયા આપીને જાવને ! વધારે નહીં. પ્રશ્નકર્તા નહીં. પૈસા નહીં આપી જવાના. બધાંનાં મન સુખશાંતિથી રહે એવું. બીજું કંઈ જોઈતું નથી. પૈસા માટે શું છે ? દાદાશ્રી : હા, એ બરોબર છે. કશું જોડે લઈ જવાતાં ? દાદાશ્રી : કોનું મકાન છે આ ? તમારું પોતાનું? આવડું મોટું મકાન ? તે તમે શું કરો છો ? બીજો, ત્રીજો માળ બધું એમનું એમ જ ને ? પ્રશ્નકર્તા ઃ હા. દાદાશ્રી : માણસો કેટલા ? ભાત, હિતાહિતનું ! ભગવાને આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે એમ કહ્યું છે. માટે આવા મોટા ભારે શબ્દ મૂક્યા ? ત્યારે કહે છે, “છે આંખ ઉઘાડી પણ એનું પોતાનું હિતાહિતનું એને પોતાને ભાન નથી. આ લોકનું હિત તો કરતો નથી પણ પરલોકનું ય હિત કરતો નથી. આ લોકનું હિત જે ના કરે એનું પરલોકનું હિત થાય જ નહીં. આ લોકનું હિત કરે એનું જ પરલોકનું હિત થાય. એટલે હિતાહિતના ભાન રહિત, ઉઘાડી આંખે ય ! પ્રશ્નકર્તા : ચાર. પૈસા કમાવાતા, શાતે ? પ્રશ્નકર્તા : પૈસા કમાવાની જરૂર શા માટે ? દાદાશ્રી : એવું છે ને કે વ્યવહાર શેનાથી ચાલે છે ? એટલા હારુ. વ્યવહાર પૈસાથી ચાલે છે. એટલે અત્યારે આપણે ખેતીવાડી કરતા હોય, બધું ય પાકતું હોય, ખાવાલાયક બધું ય, મીઠું લાવવું પડે, કપડાં લાવવાં પડે, તેનું શું થાય ? એટલે થોડું વેચીને એને બદલે બીજું લાવી દઈએ એટલે વ્યવહાર ને ! પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર પૂરતું. દાદાશ્રી : હા, એક વસ્તુ એવી નક્કી કરો કે આ તમારે વધારે સરપ્લસ હોય તો આ લઈ લો. તો તમારે જે જોઈતું હોય તે મળશે. અને પૈસા તો કમાવાની જરૂર, પણ એવી પુણ્ય લઈને જ આવેલો છે. કોઈ કમાઈ શકે નહીં. પુણ્ય લઈને આવેલો છે એટલે સંજોગ સારા થઈ જાય. જેટલા સંજોગ સારા થઈ જાય, એટલા પૈસા મળી આવે. દાદાશ્રી : આ સૂના ઘરમાં બીજા ત્રણ જ જણા ? અને સંડાસ કેટલાં ? પ્રશ્નકર્તા : પાંચ, શાંતિનું સ્થાન જ એ છે. દાદાશ્રી : જરા વૈરાગ્ય આવવાનું સ્થાન હતું. તેને આ લોકોએ વૈરાગ્ય ઊડી જાય એના માટે રસ્તો કરી આપ્યો. વૈરાગ્ય આવવાનું એટલું જ સ્થાન હતું. આ કાળમાં તે એમ ને એમ ઊડાડી દીધું. જ્યાં વૈરાગ્ય આવવાની ભૂમિકા હતી ત્યાં જ ઊંઘે છે લોકો, સિગરેટ પીને ! પ્રશ્નકર્તા : બબ્બે લાખ રૂપિયાનાં આલિશાન જાજરૂ બનાવ્યાં છે લોકોએ ! દાદાશ્રી : એ તો મેં ય મુંબઈમાં જોયેલું ને ! મને એના એ જ લોકોએ બતાડેલાં કે દાદા, આ આવું બનાવ્યું છે. મેં કહ્યું, ‘હશે, હવે જે કર્યું એ કર્યું. મેલ છાલ હવે. એ તો અહીંને માટે કર્યું. ત્યાં લઈ જવા માટે શું કર્યું ? એ મને કહે. અહીંની સેફ સાઈડ કરી, પણ ત્યાં લઈ જવાની ? અહો, બ્રહ્માંડના માલિક ! આ સત્ય હશે તે બધું સાપેક્ષ છે. સૌ સૌને આધીન. તમે છે તે પૈસા ખોળવાવાળા, કમાવામાં નાખો અને હું તો અડું જ નહીં પૈસા. પૈસા સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ છે. આ સોનું મને આપો તો કામનું જ નહીં ને ! અમને ભીખ ના હોય. ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ હોય, માનની
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy