SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૨૦૧ ૨૦૧ પૈસાનો વ્યવહાર જ મળી ગયો. એટલે આપીને એનો બદલો અહીંનો અહીં જ લઈ લીધો. અને જેણે ગુપ્ત રાખ્યું એને બદલો આવતે ભવે લેવાનો રાખ્યો. બદલો મળ્યા વગર તો રહેતો જ નથી. તમે લો કે ના લો, પણ બદલો તો એનો હોય છે જ. પોતપોતાની ઇચ્છાપૂર્વક દાન આપવાનું હોય. આ તો બધું ઠીક છે, વ્યવહાર છે. કોઈ દબાણ કરે કે તમારે આપવા જ પડશે. પછી ફૂલહાર કરે એટલે આપે માતા ભિખારીતે... ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ, માનની ભીખ હોય. માન એટલે મને માન આપશો ને આ લોકોથી આમ મળશે. ને એ ઇચ્છા સેવવી, એ ભીખ જ છે એ તો. માનની ભીખ કેમ ખબર પડે ? ઘણા સાધુઓય કહે છે કે અમને માનની ભીખ નથી. હોવે ! હમણે અપમાન કરશે તો ખબર પડશે કે આ માનની ભીખ હતી કે શેની હતી ? અપમાનમાં ચિઢાય એટલે જાણવું કે માન જોઈએ છે ! અને અમે અપમાનમાં ચિઢાઈએ નહીં એટલે માન જોઈતું નથી. એ ખાતરી થઈને ? પ્રશ્નકર્તા : થઈ. દાદાશ્રી : એટલે અમારે માનની ભીખ નહીં. કીર્તિની ભીખ નહીં, શેને માટે કીર્તિ ? દેહની કીર્તિ હોય, આત્માની કીર્તિ હોતી હશે ?! જેની અપકીર્તિ થાયને તેની કીર્તિ થાય. આત્માની તો કીર્તિય નહીં ને અપકીર્તિ યે નહીં. દાત પણ ગુપ્તપણે ! પ્રશ્નકર્તા : આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ? દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એ ઈન્ટરેસ્ટ ના પડે. કીર્તિ તો ફેલાય જ ને ! ચકચકિત હીરો હોય તે જોઈને સહુ કોઈ કહેને કે “કેટલું સરસ લાઈટ આવે છે, એરીયાં કેટલાં બધાં પડે, કહે ખરાં, પણ એને પોતાને એમાં મઝા ના આવે. જ્યારે આ સંસારી સંબંધની કીર્તિઓ છે, એ કીર્તિ માટે જ ભિખારી છે. કીર્તિની ભીખ છે અને એટલા હારુ લાખ રૂપિયા હાઈસ્કૂલમાં આપે, દવાખાનામાં આપે, પણ કીર્તિ એને મળી જાય એટલે બહુ થઈ ગયું ! પાછા તેય વ્યવહારમાં બોલે કે દાન ગુપ્ત રાખજો. હવે ગુપ્ત કો’ક જ આપે. બાકી સહુને કીર્તિની ભૂખ એટલે આપવું. તો લોકોય વખાણ કરે કે ભાઈ, આ શેઠ, ઓહોહો, લાખ રૂપિયાનું દાન આપ્યું ! એટલો એનો બદલો અહીંનો અહીં દાન ગુપ્ત હોવું જોઈએ. જેમ આ મારવાડી લોકો ભગવાનની પાસે છાનામાના નાખી આવે છેને ! કોઈને ખબરેય ના પડે તો એ ઊગે. વાહવાહની પ્રીતિ ! અરે, હું તો મારો સ્વભાવ માપી જોઉંને ! હું છે તે અગાસ જતો હતો. તે ઘડીએ કોન્ટ્રાક્ટનો ધંધો હતો. હવે સો રૂપિયાની કંઈ ભીડ નહીં, '૪૨ ને ૪૦, '૩૯ ને '૩૫ની સાલમાં ય અમારે સો રૂપિયાની ભીડ નહીં. તે દહાડે પૈસાની કિંમત બહુ. પૈસાની છૂટ હતી તોય પણ હું અગાસ જઉં ત્યારે ત્યાં આગળ રૂપિયા લખાવી લઉં. તે સોની નોટ કાઢીને કહ્યું કે, ‘લો પચીસ લઈ લો ને પોણા સો પાછા આપો.' હવે પોણા સો પાછા ના લીધા હોત તો ચાલત. પણ મન ચીકણું ને ભિખારી, તે પોણા સો લેતો. મન ચીકણું એટલે. પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યારે પણ કેટલું સૂક્ષ્મ જોતા હતા ? દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે આ સ્વભાવ, પ્રકૃતિ જાય નહીંને ! તે પછી મેં તપાસ કરી. આમ લોકો મને કહે કે ‘બહુ નોબલ છો તમે !” મેં કહ્યું, આ કેમનું નોબલ ?!” અહીં આગળ ચીકાશ કરે છે. પછી તપાસ કરતાં મને પોતાને જડ્યું કે મને વાહવાહ કરે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયો ય ન આપે. એ સ્વભાવ ત ચીકણો નહીં. પણ વાહવાહ ના કરે, ત્યાં ધર્મ હોય કે ગમે તે હોય, પણ ત્યાં અપાય નહીં અને વાહવાહ કરી કે બધી કમાણી
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy