SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ પૈસાનો વ્યવહાર સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૧૯૯ પૈસા હોય, એવી લક્ષ્મી આવી હોય તો ત્યાં ધર્મ રહે કે ના રહે ? કે ત્યાં પણ નહીં ? દાદાશ્રી : અત્યારે ખરું પ્રામાણિકપણું હોતું જ નથી. ૧૯૪૨ પછી પ્રામાણિકપણાની લક્ષ્મી એક પણ માણસ પાસે નથી. પ્રશ્નકર્તા : દર મહિને અમે કામ કરીએ, નોકરી કરીએ, એનો જે પગાર મળે છે, એ પ્રામાણિક પૈસા ના કહેવાય ? દાદાશ્રી : પૈસો જ ખોટો છે ત્યાં આગળ ! ૧૯૪૨ પછી પૈસો જ ખોટો છે. '૪૨ પહેલાં સાચો હતો. દરેક નોકરિયાતને વધતું જ ન હતું પહેલાં. અને અત્યારના નોકરિયાતને વધે છે. સાચો પૈસો વધે જ નહીં. મારું શું કહેવાનું છે ? સાચો પૈસો વધે જ નહીં. નિરપેક્ષ લૂંટાવો ! પ્રશ્નકર્તા : ઑનના પૈસા ભલે વપરાતા, છતાંય ધર્મની ધજા લાગી જાય છે, કે ધર્મના નામે ખર્ચા. દાદાશ્રી : હા, પણ ધર્મના નામે ખર્ચ તો સારું છે. પણ ઑનના નામથી એ કરે ને, કારણ કે ઑન એ બહુ ગુનેગાર નથી. ‘ઑન' એટલે શું કે સરકારનો પેલો ટેક્ષ છે તે લોકોને ભારે પડી જાય છે, કે તમે અમારા ધાર્યા કરતાં વધારે મૂકો છો એટલે આ લોકો છુપાવે છે. પ્રશ્નકર્તા : કંઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી. પ્રશ્નકર્તા : બે નંબરના જે પૈસા છે એ જ્યાં જાય ત્યાં ડખો થાય કે નહીં. દાદાશ્રી : પૂરી હેલ્પ નહીં કરે. આપણે ત્યાંય આવે છે, પણ તે કેટલા ? દસ-પંદર ટકા, પણ વધારે નથી આવતા. પ્રશ્નકર્તા : ધર્મમાં હેલ્પ ના કરે, જ્યાં જાય ત્યાં હેલ્પ ના થાય એટલી ? દાદાશ્રી : હેલ્પ ના કરે. આમ દેખાવમાં હેલ્પ કરે પણ પછી આથમી જતાં વાર ના લાગે. એ બધાં વૉર ક્વૉલિટીનાં સૂક્યર. વૉર ક્વૉલિટીનાં સ્ટ્રક્ટર બંધાયેલાં બધાં ! તમે જોયેલાંને ! એ ભદાં કેમોક્લેગ છે. મનમાં શું ખુશ થવાનું કેમોક્લેગથી ? એરણચોરી, સોયાત ! પ્રશ્નકર્તા : ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ? દાદાશ્રી : દાન કરે છતાં નર્ક જાય એવાય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે છે. એવું છેને, કે આ દુષમકાળમાં દાન કરવાની લોકોની પાસે લક્ષ્મી જ નથી હોતી. દુષમકાળમાં જે લક્ષ્મી છે એ તો અઘોર કર્તવ્યવાળી લક્ષ્મી છે. માટે એનું દાન આપે તે તો ઊલટું નુકસાન થાય છે, પણ છતાંય આપણે કોઈક દુઃખીયા માણસને આપીએ, દાન કરવા કરતાં એની મુશ્કેલી દૂર કરવા માટે કરીએ તે સારું છે. દાન તો નામના કાઢવા માટે કરે, તેનો અર્થ શું ? ભૂખ્યો હોય તેને ખાવાનું આપો, કપડાં ના હોય તો કપડું આપો. બાકી આ કાળમાં દાન આપવા રૂપિયા ક્યાંથી લાવે ? ત્યાં સૌથી સારું તો દાનબાન આપવાની જરૂર નથી. આપણા વિચારો સારા કરો. દાન આપવા ધન ક્યાંથી લાવે ? સાચું ધન જ નથી આવ્યુંને ! ને સાચું ધન સરપ્લસ રહેતું નથી. આ જે મોટાં મોટાં દાન આપે છેને તે તો ચોપડા બહારનું, ઉપરનું નાણું આવ્યું છે તે છે. છતાંય દાન જે આપતા હોય તેને માટે ખોટું નથી. કારણ કે ખોટે રસ્તે લીધું અને સારા રસ્તે આપ્યું, તોય વચ્ચે પાપમાંથી મુક્ત તો થયો ! ખેતરમાં બીજ રોપાયું એટલે ઊગ્યું ને એટલું તો ફળ મળ્યું ! પ્રશ્નકર્તા : કવિરાજના પદમાં એક લીટી છેને કે, દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ તે દાન નિર્મુળ થઈ ગયું. સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો. એ છે કેમોક્લેગ સમ !
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy