SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પૈ સાનો વ્યવહાર ૧૩૯ ૧૩૯ પૈસાનો વ્યવહાર દાદાશ્રી : હજુ ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ? પ્રશ્નકર્તા : કોઈ વખતે થઈ જાય, કોઈ વખત નહીં થતું. દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે એકસો એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ? પ્રશ્નકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ? દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો પૂર્વ ફોર્સથી થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વ ફોર્સથી થયા કરે છે. પ્રશ્નકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ? દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને ? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ? પ્રશ્નકર્તા : આવું ના હોવું ઘટે. દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ! પાછલું સ્વરૂપ કેવું હતું ? પ્રશ્નકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટીન્યુઅલ દેખાયા જ કરતા હોય તો શું કરવું ? દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાણું પ્રતિક્રમણ કરવું, પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ. પોતે જજ તે પોતે આરોપી ! લોકો કહે છે કે, “આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું.’ હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી, ને તમારે ને તમારે જ માફી આપવાની. ડીસઓનેસ્ટી એટલે બેસ્ટ કૂલિશનેસ ! એક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.’ તેને હું કહીશ, ‘પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેશ !” ઓનેસ્ટ થવાનું નથી. તો મારે શું દરિયામાં પડું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસઓનેસ્ટ થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઓનેસ્ટીને, ડીસઓનેસ્ટી જાણ ને તેનો પ્રશ્ચાતાપ કર. પ્રશ્ચાતાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે. અતીતિમાં પ્રતિક્રમણ ખૂબ ખૂબ ! અનીતિથી પૈસા કમાય એ બધું જ છે તે એના ઉપાય બતાવેલા હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહે ? કે પ્રતિક્રમણ કર કર કરો કે અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ૪૦૦-૫૦૦ પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને શુદ્ધાત્માએ કરવાનું નહિ. ‘ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે. હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, “આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટ હોવું જોઈએ. આ બેંકેય કેશ કહેવાય છે અને
SR No.008864
Book TitlePaisa No Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size189 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy