SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... મૃત્યુ સમયે, પહેલાં ને પછી... દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ દેહનો જન્મ થયો એ એક સંયોગ છે, એનો વિયોગ થયા વગર રહે જ નહીંને ! સંયોગ હંમેશાં વિયોગી સ્વભાવના જ હોય. આપણે સ્કૂલમાં ભણવા ગયા હતા. તે શરૂઆત કરી હતી કે નહીં, બિગિનિંગ ? પછી એન્ડ આવ્યો કે ના આવ્યો ? દરેક વસ્તુઓ બિગિનિંગ અને એન્ડવાળી જ હોય. અહીં આગળ તે આ બધી જ વસ્તુઓને બિગિનિંગ ને એન્ડ હોય. ના સમજાયું તને ? પ્રશ્નકર્તા : સમજાયુંને ! જીવે-મરે એ કોણ ? આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા પરમેનન્ટ વસ્તુ છે. આ જન્મ-મરણ ઈગોઇઝમના છે. ઇગોઇઝમ જન્મ પામે છે અને ઇગોઇઝમ મરણ પામે છે. ખરી રીતે આત્મા પોતે મરતો જ નથી, અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે. મૃત્યુ સમયે, પહેલાં તે પછી... આત્માની સ્થિતિ જન્મ-મરણ શું છે ? પ્રશ્નકર્તા : જન્મ-મરણ શું છે ? દાદાશ્રી : જન્મ-મરણ તો થાય છે, આપણે જોઈએ છીએ કે એમાં શું છે, એમાં પૂછવા જેવું નથી. જન્મ-મરણ એટલે એનાં કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, એક અવતાર જે હિસાબ બાંધ્યો હતો, તે પૂરો થઈ ગયો એટલે મરણ થઈ જાય. મૃત્યુ શું છે ? પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ? દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ થયોને, ને જન્મ થયો એટલે મૃત્યુ થયા વગર રહે જ નહીં ! કોઈ પણ વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય. અને આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું. એટલે જેટલી વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય અને મૃત્યુ છે તો જન્મ પામશે. એટલે જન્મની સાથે મૃત્યુ જોઈન્ટ થયું છે. જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ ! પ્રશ્નકર્તા : મૃત્યુ શા માટે છે ? દાદાશ્રી : આ બધી વસ્તુઓ બિગિનિંગ-એન્ડવાળી, પણ બિગિનિંગ ને એન્ડને જાણે છે, એ જાણનાર કોણ છે ? બિગિનિંગ-એન્ડવાળી વસ્તુઓ બધી જ છે તે ટેમ્પરરી વસ્તુઓ છે. જેનું બિગિનિંગ હોયને એનો એન્ડ હોય, બિગિનિંગ થાય એનો એન્ડ હોય જ અવશ્ય. એ બધી ટેમ્પરરી વસ્તુઓ છે, પણ ટેમ્પરરીને જાણનાર કોણ છે ? તું પરમેનન્ટ છું. કારણ કે તું આ વસ્તુઓને ટેમ્પરરી કહું છું માટે તું પરમેનન્ટ છું. જો બધી જ વસ્તુ ટેમ્પરરી હોય તો પછી ટેમ્પરરી કહેવાની જરૂર જ ન્હોતી. ટેમ્પરરી સાપેક્ષ શબ્દ છે. પરમેનન્ટ છે તો ટેમ્પરરી છે. મૃત્યુનું કારણ ! પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ મનવચન-કાયા એ ત્રણ ‘બેટરી’ઓ છે, એ ગર્ભમાંથી ‘ઇફેક્ટ’ (પરિણામ) આપતી જાય છે. તે ‘ઇફેક્ટ’ પૂરી થાય, ‘બેટરીથી હિસાબ પૂરો થઈ જાય, ત્યાં સુધી એ ‘બેટરી’ રહે અને પછી એ ખલાસ થઈ જાય, એને મૃત્યુ કહે છે. પણ ત્યારે પાછી આવતા ભવને માટે મહીં નવી ‘બેટરીઓ ચાર્જ (પાવર ભરાય) થઈ ગઈ હોય. આવતા ભવના માટે અંદર નવી
SR No.008861
Book TitleMrutyu Samaya Pahela Ane Pachi
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size321 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy