SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર ૧૨૯ બરાબર પણ આ ભવમાં શું થશે ? આ ભવના શું પરિણામ છે ? દાદાશ્રી : આ ભવમાં છે તે એને પોતાને આવરણ આવી જાય એટલે જડ જેવો, જાનવર જેવો થઈ ગયેલો જ હોય. લોકોમાં પ્રેસ્ટીજ ના રહે લોકોમાં માન ના રહે, કશું જ ના રહે ! તે ખવડાવો કદિ બાળકોને ઈંડાં; વઘે વીર્ય કૈડચા કરે વિષયોના કીડા! ૧૨૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર શું કહે છે? કઈ રીતે નીકળવું બહાર, એને માટે કઈ છે રસ્તો? - દાદાશ્રી : ના, પણ પછી છે તે રીએક્શન આવ્યું ફરી. પરમાણુ છે તે બધા ચોખ્ખાં થવાં જોઈએને. પીવાનું બંધ કરી દીધું છે ને ! હવે એને કરવાનું શું? “દારૂ પીવો ખરાબ છે.” એવું કાયમ બોલવું કહીએ! - હા, પછી ય બોલવાનું. ‘સારો છે” એવું કોઈ દહાડો ના બોલીશ. નહીં તો ફરી એને અસર થશે પછી. પ્રશ્નકર્તા: આ પીવાથી મગજને નુકશાન કઈ રીતે થાય છે ? દાદાશ્રી : એ ભાન ભૂલાવે ને ! એ વખતે મહીં જાગૃતિ ઉપર આવરણ આવી જાય છે. પછી કાયમ માટે એ આવરણ ખસતું નથી. આપણે મનમાં એમ લાગે કે ખસી ગયું, પણ નથી ખસતું એ. એમ કરતું કરતું આવરણ આવતું આવતું બધું પછી... માણસ જડ જેવો થઈ જાય. પછી એને સારા સારા વિચાર-બિચાર કશું આવે નહીં. એટલે જે ડેવલપ થયેલા છે. તે આમાંથી બહાર નીકળ્યા પછી એનાં બ્રેઈન બહુ સારું ડેવલપ થયેલું હોય ! ફરી પાછું બગાડવું ના જોઈએ ? પ્રશ્નકર્તા : આ દારૂ પીધાથી જે બધો ડેમેજ થયું હોય મગજને. મગજના પરમાણુને જે ડેમેજ થઈ ગયો હોય, તો એ ડેમેજ ભાગ ફરીથી રીપેર કેવી રીતે થાય ? દાદાશ્રી : એ કંઈ રસ્તો જ નથી એનો. એ તો ટાઈમ જ પસાર થશે તેમ તેમ એ થશે. પીધા વગરનો ટાઈમ જશે, પસાર થશે તેમ તેમ એ બધું ખુલ્લું થતું જશે. એકદમ ના થાય. દારૂ ને આ માંસાહારથી જે દેવું થાય છે, એ દારૂ-માંસાહારમાંથી આ સુખ ભોગવે છે, એ સુખ “રીપે’ કરતી વખતે જાનવરમાં જવું પડે છે. આ દરેક સુખ જેટલા છે ને, જેટલા સુખ તમે લો છો એ “રીપે’ કરવા પડશે એવી જવાબદારી આપણે સમજવી જોઈએ. આ પોલું નથી જગત ! આ રીપવાળું જગત છે. ફક્ત આ આંતરિક સુખનું જ રીપે કરવું નથી પડતું ! બીજા બધા બહારના સુખો એ બધા રીપે કરવાના છે. જેટલી આપણે જમે લેવી હોય એટલી લેવી અને પછી આપવી પડશે !! પ્રશ્નકર્તા : આવતા જન્મમાં રીપે કરવું પડશે જનાવર થઈને, એ પ્રશ્નકર્તા : એગ્સ (ઈડા) ખાધાં છે. દાદાશ્રી : શા હારું લીધેલાં ? પ્રશ્નકર્તા : શરીર સારું કરવા માટે લીધેલાં. દાદાશ્રી : શરીરથી શું વજન લેવાનું છે તારે ? પ્રશ્નકર્તા : એ પેલા ડૉકટરોએ ય કહ્યું કે છોકરાને ઇંડાં ખવડાવો. એટલે પછી ઘેર લાવીને ખવડાવા માંડ્યું. પણ એ તો કો'ક જ વાર, અમારે ત્યાં રેગ્યુલર નહીં. મહિનાઓ કે વર્ષો સુધી નહીં. કો'ક વાર હોય, ક્યારેક ! દાદાશ્રી : પછી ગમે છે ? પ્રશ્નકર્તા : બહુ ગમતું નથી. દાદાશ્રી : પસંદ પડ્યા નહીં ? પ્રશ્નકર્તા : બહુ ગમતું નથી. કોકવાર ખાઉં પણ રોજ ના ખાઈ શકું. દાદાશ્રી : ઈડાં હોય અને બચ્ચાં હોય એ બેઉ એક જ છે બધું. કોઈનું ઈડું ખાવું અને કોઈનું બચ્ચું ખાવું એમાં ફેર નથી. બચ્ચા ખાવાનું પસંદ ખરું તને ? કોઈના બચ્ચાં ખઈ જવાનું પસંદ ખરું ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : કેમ એમ ?
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy