SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર આપણી ઇચ્છા ન હોવા છતાં આવી પડ્યું છે. પણ આ તો આપણે ઘેર તો સુધારીએ ને. પ્રશ્નકર્તા : આ છોકરાઓ ઇંડાં અને માંસને બધું નથી ખાતા, પણ.... એમની માઓ પણ એવું કહે કે ના ખાશો, પણ જ્યારે સ્કૂલમાં જાય, ત્યારે સ્કૂલમાં એ લોકોને ખાતાં શીખવાડી દે છે અને પછી ખાતાં થઈ જાય છે. દાદાશ્રી : ના, પહેલી માથાકૂટ આ ઘરની ટાળો. આ તો સંજોગો ગુંચવે છે, તેનો ઉપાય થઈ રહેશે પાછળ, પણ તમે જો પહેલું તમારું ઘર સુધારો તો બધું સુધરે. આ તો સંજોગો ગૂંચવે એમાં તો ઉપાય જ નથી ને. જેનો ઉપાય ના હોય, તેને આપણે શું કરીએ ! તે ય પછી ઉપાય છે. મેં અહીં કેટલા ય છોકરાંઓને માંસાહાર છોડાવી દેવડાવ્યું. કારણ કે શીખી ગયો એટલે પછી મને કહેતાં આવડે છે. હું કહું એટલે છોડી દે બિચારા. નહીં તો સંસ્કાર હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : આપણે સ્કૂલ ચલાવતા હોઈએ, તો શું કરવું જોઈએ કે જેથી છોકરાંઓને સારા સંસ્કાર પડે ? દાદાશ્રી : ત્યાં સારા સંતોને બોલાવવા જોઈએ. માસ્તર સારા હોય તો જ એવા વિચાર આવે. જે ખ્યાતિવાળા હોય એવા સારા સંતોને બોલાવવા જોઈએ. ખ્યાતિવાળા, પ્રોપેગડાવાળા નહીં. પ્રશ્નકર્તા : દરેકને સ્કૂલમાં મોટામાં મોટો સવાલ છે કે કઈ રીતે છોકરાને સંસ્કાર આપવા સ્કૂલોમાં. દાદાશ્રી : હા, એ ભાવ બહુ છે લોકોનાં, પણ શું થાય એનો રસ્તો ? અત્યારે તો માસ્તરો ય સંસ્કારી નથી પાછાં. માસ્તરો ય છે તે પૈસા ભેગા કરવામાં પડ્યાં છે. એટલે સહુ કોઈ બંધામાં એ પેસી ગયું છેને ! એ સંસ્કારી લોકો હતાં તે ય કુસંસ્કારી થઈ ગયાં, પછી રહ્યું જ શું ? એટલે આના માટે હવે કુદરતે આવી રહી છે. કુદરત આમને રાગ પાડી દેશે. આ હવે જે બગડી ગયું છેને, એને કુદરત સિવાય કોઈ સુધારનાર નથી. એટલે કુદરત આવી રહી છે. તે કુદરત મારી ફટકારીને સીધું કરી નાખશે ! મા-બાપ, માસ્તરો પડયા કમાણીમાં; તથી પડી, માસૂમ શું કરશે જિંદગાતીમાં?! આજનાં છોકરા ભણે, પણ ત ગણે; એકાંગી ચિત્ર ભણતરમાં, નવીશું લણે! પ્રશ્નકર્તા : આ પબ્લિક નર્સરીમાં છોકરાંઓ જાય છે એટલે આવું થાય છે ? દાદાશ્રી : તેને લીધે નથી થતું. મા-બાપની નર્સરી નથી. સંસ્કાર મા-બાપના જોઈએ. બહારના સંસ્કાર શું કરવાનાં ! બહાર ગયા વગર છૂટકો જ નથી. એમાં આપણને ચાલી શકે એમ નથી. આપણા હાથમાં નથી. પણ ફર્સ્ટ મા-બાપના સંસ્કારની જ જરૂર છે છોકરાંને, પહેલી નર્સરી ઘરમાં હોવી જોઈએ. પ્રશ્નકર્તા : સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર નથી આવતા ! દાદાશ્રી : પણ એ બધા સંસ્કાર નથી. છોકરાંને સંસ્કાર તો, માબાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરુનાં. અને એનું સર્કલ થોડું ઘણું હોય, ફેન્ડસર્કલ, સંયોગો એના. બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય. આ તો હમણે કુદરતી આફતો આવશે, તે રાગે પડી જશે બધું હડહડાટ. અને એ કુદરત સીધું કરી આપશે તમે તમારે ભાવના કર્યા કરો. એ થાય છે ને રોજ ? આજના છોકરાંઓને ભણતર કેમ આવડે છે ? કારણ કે બીજું કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી. એકાંગી થઈ ગયાં છે. ઘરનું શું ચાલે છે, બહારનું શું ચાલે છે, બીજું શું કરવાથી ઘેર ફાયદો થાય, ને શું નહીં ? એ કશું વિચાર જ નથી. એકલો વાંચ વાંચ કરેને, ભણભણ કર્યા કરે, બસ અને બીજો મોહ પાર વગરનો એટલે ભણતા આવડે છે. નહીં તો ભણતાએ ના આવડે.
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy