SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ છોકરાંનો વ્યવહાર ૧૯૭ માર સહે બતી બાપડાં; વેર બાંધી બને દીપડા! એ ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ ? સહન ના થાય ને, તે કહે, ‘મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.” મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી ! ત્યારે મૂઆ અત્યારે શું કરવા બગાડ્યું છોકરાં જોડે ? રીતસર એને સમજાવી, પોપલાવીને કામ લે ! હંમેશાં મારવાથી દરેક કામ બગડે છે. મારવું એનું નામ કહેવાય કે એનાથી એ ભય પામ્યો હોય. તે ય કો'ક દહાડો જ ! ખાલી ભય જ પમાડવાની જરૂર છે, એને મારવાની જરૂર નથી. એટલે આ બાજુના ભાવ કરવાના બંધ કરી દે, પછી અને આ ખોટું છે એવું સમજાઈ જાય એને. ખરી રીતે સીધા કરતાં લોકોને આવડતાં નથી. એવું જ્ઞાન નહીં હોવાથી એ આવડતું નથી. નહીં તો છોકરાંને સીધા કરવા માટે પ્રેમના જેવું તો ઔષધ જ નથી. પણ એવો પ્રેમ રહે નહીંને, માણસને ગુસ્સો જ આવેને ! છતાં એ ગુસ્સો કરીને મારીને ય એને સવળે રસ્તે લાવે છે એ સારું છે. નહીં તો એ અવળે રસ્તે ચાલ્યો જાય. કારણ કે એને જ્ઞાન જ નથી અને ૩૦ વર્ષની ઉંમરનાને આપણે મારીએ તો એ સામો થાય. તે જયાં સુધી આપણું ચાલે ત્યાં સુધી કરી લેવું. ના ચાલે તો પડતું મેલવું. પ્રશ્નકર્તા : પણ કહ્યું માને નહીં, એટલે કોઈ વખત મારવાં પડે બાળકોને ! દાદાશ્રી : ના માને, તે મારવાથી કઈ માની જાય છે ? એ તો મનમાં રીસ રાખે મોટો થઈશ ત્યારે મારી મમ્મીને જોઈ લઈશ, કહેશે. મનમાં રીસ રાખે જ, દરેક જીવ રીસ રાખે જ ! પોતે હંમેશાં સમાધાનીપૂર્વક કાર્ય કરો, દરેક કાર્ય ! મારવું હોય તો કહેવું, ‘ભઈ તું કહેતો હોય તો તને મારું, નહીં તો નહીં મારું.' એ કહે કે “ના, મને મારો.” તો મારો, સમાધાનપૂર્વક મરાય. એવું કંઈ મરાતું હશે ? નહીં તો એ વેર બાંધે ! એને ના ગમતું હોય ને તમે મારી તો વેર બાંધે. નાનો હોય ત્યારે વેર ના બાંધે, પણ મનમાં નક્કી કરે કે આ હું મોટો થઈશ ને મમ્મીને મારીશ ! પ્રશ્નકર્તા : પણ દાદા, મારી બેબી એને તો આપણે વઢીએ તો કશું નહીં, સેકન્ડમાં બધું ભૂલી જાય. દાદાશ્રી : એ ભૂલી જાય છે. તો કંઈ એટલી ચાલાકી ઓછી છે. ચંચળતા ઓછી છે જરા, એટલે ભૂલી જાય. પણ ચંચળ માણસો બહુ ઊગ્ર હોય. એટલે વઢવાનું શું કામ છે હવે ? બાબાને કહેવું વઢવું હોય તો કે બોલ તને હું વઢું આવું કામ કર્યું ને ખરાબ કર્યું આ. હું તને વઢું તો કહે, ‘હા, વઢો.’ તો આપણે વઢવું. એ ખુશી થઈને વઢવાનું કહે, તો આપણે વઢવું. છોકરાંને તમે મારશો નહીં, છોકરાનું વ્યક્તિત્વ છે. મા બાપની ધાક હોય માત્ર આંખથી; ક્યારેક દંડ કે સંકોરી પ્રેમ પાંખથી! પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ. તો જ છોકરાં પાંસરા ચાલે, એ શું બરોબર છે ? દાદાશ્રી : જ્યાં સુધી મારવા જેવી એની ઉંમર હોય ત્યાં સુધી મારવા જોઈએ અને ૩૦ વર્ષની ઉંમર થઈ ને મારવા જઈએ તો ? પ્રશ્નકર્તા : એ સામા આવે. દાદાશ્રી : માટે અમે એમ કહીએ કે મારજો અને એમે ય કહીએ કે ના મારજો. જ્યાં સુધી ખમી શકે એવો એનો અહંકાર જાગૃત થયો નથી, ત્યાં સુધી છેવટે મારીને પણ સીધા રાખવાં જોઈએ. નહીં તો અવળે રસ્તે જાય.
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy