SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનું વિજ્ઞાન પ૩ ૫૪ કર્મનું વિજ્ઞાન પાપ કરેલાં છોડે નહીં અને સમજણવાળાને ય છોડે નહીં. પણ અણસમજણવાળાને કંઈક મદદ મળી આવે અને સમજણવાળાને ના મળે. એ છે પારકાંતે પજવ્યાનું પરિણામ ! પ્રશ્નકર્તા ઃ શરીરના સુખ-દુઃખ આપણે ભોગવીએ છીએ એ વ્યાધિ હોય કે ગમે તે આવતું હોય, તે પૂર્વેના ક્યા પ્રકારના કર્મોના પરિણામો હોય ? દાદાશ્રી : આમાં તો એવું છે, કેટલાંય લોકો અણસમજણમાં બિલાડીને મારી નાખે. કૂતરાને મારી નાખે, ખૂબ દુ:ખ દે છે, હેરાન કરે છે. એ તો દુ:ખ દે છે, એ ઘડીએ પોતાને ભાન નથી હોતું કે જવાબદારી શું આવશે ? નાની ઉંમરમાં બિલાડીનાં બચ્ચાં મારી નાખે. કૂતરાના બચ્ચાં મારી નાખે અને બીજું આ દાક્તરો દેડકાં કાપે છે, એ એનો પડઘો એના શરીર પર પડવાનો. જે તમે કરી રહ્યા છો, તેનો જ પડઘો પડશે. પડઘા છે આ બધા. પ્રશ્નકર્તા : એટલે અન્યના શરીર સાથે કરેલા ચેડાંના પડઘા પડે તેથી ભગવાને કહ્યું કે મન-વચન-કાયાથી અહિંસા પાળ. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું કર, જો તમારે સુખી થવું હોય તો ! પ્રશ્નકર્તા : કોઈ મહાત્મા હોય તેણે ડૉકટર ના બનવું જોઈએ ? દાદાશ્રી : થવું ના જોઈએ કે થવું જોઈએ, એ ડિફરન્ટ મેટર છે. એ તો એની પ્રકૃતિ પ્રમાણે થયા જ કરવાનું. બાકી, મનમાં ભાવ આવો હોવો જોઈએ. એટલે એ દાકતરની લાઈનમાં જવાય જ નહીં પછી. કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો ભાવ જેનો છે, એ ત્યાં આગળ કેમ દેડકાં મારે ? પ્રશ્નકર્તા : બીજી બાજુ ડૉકટરી શીખીને હજારો લોકોના દર્દ મટાડીને ફાયદો પણ કરે છે ને ? દાદાશ્રી : એ દુનિયાનો વ્યવહાર છે. એ ફાયદો ના કહેવાય. મંદ મગજતાંતે કર્મ બંધત કેવું ? પ્રશ્નકર્તા : જે સારો માણસ હોય તો એને જાતજાતના વિચારો આવે, મિનિટમાં કેટલાંય વિચાર કરી નાખે. કર્મ બાંધી નાખે અને મંદ મગજનાંને તો સમજણ જ ના હોય કશી ! એટલે એને તો કશું હોય જ નહીં, નિર્દોષ હોય ને ! દાદાશ્રી : એ સમજણવાળા સમજણના કર્મ બાંધે ને ના સમજણવાળા ના સમજણના કર્મ બાંધે. પણ ના સમજણવાળાના કર્મ બહુ જાડા હોય અને સમજણવાળા તો વિવેક સહિત આમ બાંધે. એટલે પેલો છે એનાં કર્મ બધા જંગલી જેવાં હોય, જાનવર જેવાં, એને સમજણ જ નથી, ભાન જ નહીં પછી ! એ તો કો'ક દેખે ને ઢેખાળો મારવા તૈયાર થઈ જાય. પ્રશ્નકર્તા : આપણે એવા માણસની દયા ન કરવી જોઈએ ? દાદાશ્રી : રાખવી જ જોઈએ. જેને સમજણ ના હોય, તેનાં તરફ દયાભાવ રાખવો જોઈએ. એને હેલ્પ કરવી જોઈએ કંઈક. મગજની દાદાશ્રી : હા. એ જ. કોઈ જીવને કિંચિત્માત્ર દુ:ખ દેવું, એ તમારા જ શરીર પર આવશે. પ્રશ્નકર્તા : એટલે એણે જ્યારે આ બધું કર્યું હોય, જીવોને ચીર્યા હોય તો તે વખતે તે અજ્ઞાન દશામાં હોય ને ! એને એવો વેરભાવ પણ ના હોય, તો ય એને ભોગવવું પડે ? દાદાશ્રી : ભૂલથી, અજ્ઞાન દશામાં હાથ દેવતામાં પડે ને, તે દેવતા ફળ આપે જ. એટલે કોઈ છોડે નહીં. અજ્ઞાન કે અજ્ઞાન, અભાનતા કે સભાનતા, ભોગવવાની રીત જુદી હોય છે. પણ બાકી કશું છોડે નહીં ! આ બધા લોકો દુઃખ ભોગવી રહ્યા છે એ પોતાનો જ હિસાબ છે બધો.
SR No.008855
Book TitleKarma Nu Vigyan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size381 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy