SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૪૩ લોકો નિંદા કરે નહીં એવું હોય અને તે પણ પોતાની સ્ત્રી જોડેનું જ હોવું જોઈએ, લોકમાન્ય હોવું જોઈએ. તે પોતાને પણ ખૂંચે નહીં, ભય ના લાગે. નહીં તો અણહક્કનું ભય લાગે, કાંકરો ખૂંચે એમ ખૂંચ્યા કરે. હરૈયા ઢોરતી શું ગતિ ? આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે. આમ આ હરૈયા પાડા જેવું જગત છે. અલ્યા, મૂઆ તને વિચાર ના આવ્યો કે તારે ય બહેન, દીકરી છે. તું બીજી જગ્યાએ લે છે, તો તેના ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો, તેવું પરિણામ ઊભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તો એને સહન કરી લેવું. ફરી નવેસરથી બગાડવું નહીં. આ તો હરૈયા ઢોર ને જે આવ્યું તે ખાઈ જાય એટલે લોક પછી પોતાની છોડીઓને ખાઈ જાય. એની લોકને કંઈ પડેલી નથી. આવું જો બધા હરૈયા થાય તો શું રહ્યું ? બહુ જૂજ માણસો છે કે જેને કંઈક આમાં મહત્ત્વતા સમજાયેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી ! મળ્યું કે હરૈયા થઈ જતાં વાર ના લાગે. આ શોભે નહીં આપણને ! આપણાં હિન્દુસ્તાનની, કેવી ડેવલપ પ્રજા ! આપણે તો મોક્ષે જવાનું છે !! પહેલાંના કાળમાં મનુષ્યો કેવાં હશે ? પારકી બહેન-દીકરી હોય તે ય પોતાની ગણે અને પોતાની ય પોતાની. કેવું સુંદર વાતાવરણ ! આ તો બધું ‘ફ્રેક્ચર’ થઈ ગયું. પછી સુખ કેવી રીતે આવે ? સાંસારિક સુખ તો આમાં હોય જ નહીં. થી વિઝનની જાગૃતિ જવલ્લે જ ! અણહક્કનું હોય તો બધા મારવા ફરી વળે, શાથી ? અણહક્કની ધાડ પાડી તેથી ! અણહક્કની ધાડ જાણી-જોઈને પાડે છે ? ના, એ તો સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દ્રષ્ટિ એવી થઈ ગઈ છે. લોકોની દ્રષ્ટિ તો જાત જાતની હોય. તે તમારી દ્રષ્ટિ આમ સીધી હોય તો ય પેલી તારી દ્રષ્ટિ ખેંચી લે. એટલે ત્યાં પછી ૪૪ સામું જોઈએ ત્યારે ભાંજગડ થાય ને ! જ્ઞાની પુરુષને તો ગમે તેની સામે જોવાનો વાંધો નહીં. કારણ કે એમની પાસે તો બધી જ જાતના ‘લોક એન્ડ કી’ હોય, કોઈનું એમની પાસે ચાલે નહીં. પણ બધી જાતના ‘લોક એન્ડ કી' ક્યારે થાય કે વિષય બંધ થાય પછી. એટલે જ્ઞાની પુરુષને વિષય જ ના હોય, ત્યારે એમને એવો વ્યવહાર જ ના આવે ને ! વિષય ક્યારે જાય ? એ વિષય તો જાગૃતિથી જાય. વિષય એમ ને એમ જાય એવો નથી. છેલ્લો વિષય, એક હક્કનો વિષય પણ તૂટે ક્યારે ? જાગૃતિ હોય તો. જાગૃતિ કોનું નામ કહેવાય કે આમ સ્ત્રી-પુરુષ કપડાં પહેરેલાં છતાં નાગા દેખાય, પછી ‘સેકન્ડ વિઝને’ ચામડી ખસી ગયેલાં દેખાય અને ‘થર્ડ વિઝને’ અંદર બધું ચૂંથાઈ ગયેલો બધો માલ હોય એવું દેખાય. આ ત્રણ વિઝન ‘એટ એ ટાઈમ' એક મિનિટની અંદર જ થઈ જાય. હવે એટલી જાગૃતિ હોય ત્યારે છેલ્લા સ્ટેશનમાં પહોંચાય. આખી દુનિયામાં જાગૃતિવાળા કેટલાં ? સો-બસો માણસ હશે ને ? કોઈ કાળે એક જાગૃતિવાળો હોતો નથી. આ કાળમાં જ આ હું એકલો છું. આવાં જાગૃતિવાળા તો હોતાં હશે ? પોતે દેહધારી થઈ અને આવી જાગૃતિ તો હોતી હશે ? મોટો સાયન્ટિસ્ટ હોય કે માનસશાસ્ત્રી હોય, પણ આવી જાગૃતિ જ ના હોય ને !! પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી, આ જાણ્યા પછી થોડાંક મહાત્માઓને એવી જાગૃતિ થઈ ગઈ હોય ને ? દાદાશ્રી : એવું થોડા થોડા પ્રમાણમાં થયેલું હોય, પણ વધારે ના થાય ને ! ‘જ્યાં સુધી એ પ્રયોગ છે, ત્યાં સુધી એ જાગૃત છે.’ એવું ના કહેવાય. અને જો જાગૃત છે તો એ કાદવમાં હાથ જ ઘાલે નહીં. ને આ એંઠવાડામાં હાથ ઘાલે છે તો એ જાગૃત જ નથી, બેભાન છે. અણહક્કતું લઈ જાય તર્કો.... નિરંતર આજ્ઞામાં રહેવાય, નિરંતર સમાધિમાં રહેવાય, સરળ અને સમભાવી પાછો એવો આપણો માર્ગ છે. કેરીઓ બધું ખાવાની છૂટ આપી
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy