SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા ! ૨૫૫ ૨૫૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) દાદાશ્રી : કંપાયમાન ના થાય. કંપાયમાન શબ્દ બરાબર છે. અવિરત સ્થિરતા આવે ત્યારે શુદ્ધ વિશ્વસા થાય. વીતરાગોનું સ્થળથી સૂક્ષ્મતમ સુધીનું સાયન્સ ! પ્રશ્નકર્તા : શૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, એ બધાની બાઉન્ડ્રી કઈ ? દાદાશ્રી : ચૂળ તો આ બધા ડૉક્ટરોને દેખાય છે. મોટામાં મોટા દૂરબીનથી દેખાય. જે પરમાણુ શુદ્ધ છે, વિશ્રસા, તે સૂક્ષ્મતમ. જે પરમાણુ પ્રયોગસા છે તે સૂક્ષ્મતર. પ્રયોગસા એ જ કારણ - જે પરમાણુ મિશ્રા છે તે સુક્ષ્મ છે, એ જ પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા : એ વિકૃત કેવી રીતે થયું, દાદા ? દાદાશ્રી : બે (જડ ને ચેતન) સાથે રહેવાથી વિશેષભાવ ઉત્પન્ન થયો. એ વિશેષભાવ કૃપાળુદેવનું પુસ્તક વાંચતા વાંચતા મને જડી આવ્યો. કપાળુદેવે લખ્યું છે કે વિભાવ એટલે વિરુદ્ધભાવ નહીં પણ વિશેષ ભાવ.** તે જુઓ આપણે સાયન્ટિફિક વાત જ કરી છે ને ! એવું છે ને, દરિયો અને સુર્ય બે ભેગા થાય એટલે વરાળ ઉત્પન્ન થઈ જાય. એમાં કંઈ સૂર્યએ કરી નથી અને દરિયાએ નથી કરી અને વરાળ થાય છે એ હકીકત છે અને વરાળ પોતે પછી વાદળાં થાય છે અને પછી વરસાદ થાય છે. કોણે કર્યું કહેશે ? પ્રશ્નકર્તા સ્વભાવથી પુગલ ચંચળ છે પણ મૂળ સ્વભાવે સ્થિર છે, એ બરાબર સમજાયું નહીં. દાદાશ્રી : સ્થિર જ છે બધું. મૂળ સ્વભાવે દરેક વસ્તુ સ્થિર જ હોય, ચંચળ હોય જ નહીં. ચંચળ તો પુદ્ગલ એકલું જ કહેવાય. પણ મૂળ સ્વભાવ એટલે મૂળ અસલ સહજ સ્વભાવ, પરમાણુનો સ્વભાવ એવો સ્થિર. પ્રશ્નકર્તા : એટલે વિશ્વના સ્વરૂપે સ્થિર છે, એવું થયું ? દાદાશ્રી : વિશ્રા થતાં પહેલાય છે તે, પણ એ પુદ્ગલ સામે ભગવાન મહાવીરની જેવી દૃષ્ટિ આવે, મહાવીર ભગવાન સુધીનું, ત્રણસો સાઈઠ ડિગ્રી ઉપર દૃષ્ટિ આવી જાય પછી સ્થિર જ કહેવાય એને. સ્થિર કહેવાય એટલે શું કે કિંચિત્માત્ર જેને રાગ-દ્વેષ નથી, કિંચિત્માત્ર ઈમોશનલ નથી. પ્રશનકર્તા : એટલે કંપાયમાન ન થાય ક્યાંય પણ ? * દાદાશ્રી લોકોને પ્રમાણ આપવા માટે, રેફરન્સ તરીકે, કન્ફર્મેશન તરીકે કહે છે. બાકી ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થતાંની સાથે તેમને અનંત ગુહ્યતમ પ્રકારના ફોડ પડી ગયા હતા જ. ** શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પાન : ૭પ૯ (૨૫) વિભાવ એટલે ‘વિરુદ્ધભાવ’ નહીં પરંતુ ‘વિશેષભાવ. આત્મા આત્મારૂપે પરિણમે તે ‘ભાવ’ છે અથવા ‘સ્વભાવ છે. શ્યારે આત્મા અને જડની સંયોગ થવાથી આત્મા અભાવે કરતા આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ’ છે. આજ રીતે જડને માટે પણ સમજવું અંદર જે પરમાણુ છે તે પ્રમાણેની વાણી નીકળે છે. મન પણ પરમાણુઓનું બનેલું છે. અભિપ્રાય એટલે અહંકાર. એ અહંકારના પરમાણુઓનો બનેલો છે. આ જ્ઞાન હોયને તો બધા કારણ પરમાણુઓ નાશ પામે તો વીતરાગ પદ ઊભું રહે પણ એવું જલદી ના બને. અનંતા શેયોને વીતરાગોએ એક જ શેયમાં જોયેલું, તેવું આ ‘દાદા'એ એક જ શેય, એક પુદ્ગલ જોયું છે. પુદ્ગલ તો સ્વભાવિક રીતે એક જ છે, મૂળ સ્વભાવનું પુદ્ગલ, વિશ્રસાનું બનેલું ! જગત એક છે, નેટ, ચોખ્ખા પરમાણુનું !!! પ્રયોગસાથી ઈમ્યૉરિટી ઊભી થઈ, મિશ્રસામાં ઈમ્યૉરિટી રિઝલ્ટમાં આવી અને ઈષ્યૉરિટી ખલાસ થઈ ગઈ એ વિશ્રસા. છેલ્લી દશા પુદ્ગલની વિશ્રસા. બહાર સંસારમાં બધું પરાયુ છે તે જણાય અને અનુભવાય ત્યારે દેહના પરમાણુઓ પરાયા છે તે સમજાય. એમ કરતાં કરતાં એક
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy