SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) દાદાશ્રી : હા, પણ રૂપીમાં ‘પોતે છું' એવું માને છે ને, એટલે સ્વરૂપ કહેવાય. પ્રશનકર્તા : પણ બ્રાંતસ્વરૂપ ? (૨) પુદ્ગલ પરમાણુના ગુણો ! ૧૬૯ તરફ જ ‘એનો’ સંબંધ છે. એનો શ્રેય તરફ સંબંધ નથી. આ પ્રેયસ તરફ લઇ જાય છે અને શ્રેયસ તરફ તો પુરુષાર્થ કરવો પડશે. ‘આ’ સ્વભાવિક પ્રેયસ તરફ જાય છે. નામ ને રૂપ, રૂપ એવું છે કે માણસને આકર્ષણ કરી નાખે. રૂપ અસલ બ્રહ્મચારીનેય આકર્ષણ કરી નાખે એવું છે. રૂપાળું કોણ, ‘' કે પરમાણુ ? પ્રશનકર્તા : એક વખત વાત નીકળેલી કે વ્યવહારમાં જેનું રૂપ આવે છે પછી એનું નામ પડે છે. દાદાશ્રી : એ તો જે જીવો અહીં આગળ અવ્યવહાર રાશિના હોય, એ વ્યવહાર રાશિમાં આવે ત્યારે નામ પડે. વ્યવહાર અને કહેવાય કે “નામ’ સાથે હોય. પ્રશ્નકર્તા : એટલે પહેલાં રૂ૫ એનું આવે છે ? દાદાશ્રી : રૂપ તો હોય જ જીવ માત્રનું. સિદ્ધોમાં સ્વરૂપ રૂપ હોય. ‘સ્વરૂપ” રૂપ મૂળ રૂપ હોય અને બીજે બધે બ્રાંતિ રૂપ હોય. એટલે નામ-રૂપથી હું જુદો છું. એટલે આ પૌગલિક સ્વરૂપ જે મારું થઈ ગયું છે, એનાથી હું જુદો છું. એ રૂપ છે તે પૌદ્ગલિક સ્વરૂપ દાદાશ્રી : હા. પ્રશનકર્તા : રૂપ પણ મૂંઝવે છે ને જ્ઞાન પણ મુંઝવે છે ને ? દાદાશ્રી : જ્ઞાન મૂંઝવે નહીં, અજ્ઞાન મૂંઝવે. રૂપથી અજ્ઞાન ઊભું થાય છે. તેથી મૂંઝવે છે. જ્ઞાન તો પ્રકાશ કહેવાય ને પ્રકાશ મૂંઝવે નહીં. પ્રશ્નકર્તા : નામ તો મૂંઝવેને ? દાદાશ્રી : નામ ? એ તો બધી રોંગ બિલિફો શરૂ થઈ જાય. એ મૂળ આદિ કોઝ. પોતાનું સ્વરૂપ ઊડી ગયું અને નામી થયો, એ રૂટ કોઝ. રૂપી તત્ત્વ આત્માની બિલીફ બદલાવે એવું થઈ ગયું છે. પછી કહેશે, ‘હું રૂપાળો છું, ગોરો છું.’ શું કહે ? અલ્યા મૂઆ, પરમાણુઓને તું ‘હું છું, હું છું” બોલે છે, ક્યારે પાર આવશે તારો ? એટલે આમ લોક ગૂંચાયેલા છે. આમાંથી કોઈ બાવાય છૂટે નહીં ને બાવીએ છૂટે નહીં ને સાધુએ છૂટે નહીં, સાધ્વીએ છૂટે નહીં. શ્યાં સુધી મૂળ વસ્તુ જ જાણી નથી, ત્યાં શું થાય છે ? આત્મા ગોરોય નથી, શામળોય નથી, પીળોય નથી, લાલ નથી, લીલો નથી, કશું જ નથી.. આ બધું રૂપી તત્ત્વના ગુણ છે. માણસ બહુ ગોરો ને રૂપાળો દેખાય તે રૂપી તત્ત્વ છે, એમાં આત્માને કશી લેવાદેવા નથી. જેટલા રૂપ-રંગ છે, તે અનાત્માનો ગુણ છે. પ્રશ્નકર્તા : પુદ્ગલને રૂપી જાણે અને આત્માને અરૂપી જાણે. દાદાશ્રી : આત્મા અરૂપી જ છે ને પુદ્ગલ રૂપી છે. તે પુદ્ગલ સાથે મારે લેવાદેવા નથી. એવી પછી ભાંજગડ રહી નહીં ને ! ગમે પ્રશ્નકર્તા : પૌગલિક સ્વરૂપ, એને પણ રૂપ કીધું ? દાદાશ્રી : એ રૂપ અને ‘સ્વરૂપ’. ‘સ્વરૂપે'ય એ રૂપ કહેવાય. પ્રશનકર્તા : પણ એ પોતાનું સ્વરૂપ તો સ્વસ્વરૂપ છે ને ? દાદાશ્રી : અને આ પરસ્વરૂપને પોતાનું માને તેય પણ રૂપ કહેવાય. પ્રશનકર્તા : પણ આ રૂપી છે ને ? પરસ્વરૂપ રૂપી કહેવાય અને આ અરૂપી કહેવાય.
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy