SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) હું, બાવો, મંગળદાસ ૩૮૫ દાદાશ્રી : આત્મા જાણ્યા પછી મંગળદાસને જમતા હોય તે કહીએ, ‘જમો ભઈ, આસ્તે રહીને જમો. તરફડાટ ના થાય એવી રીતે,’ તો મંગળદાસે ય ખુશ થાય. બહુ સારા માણસ ! તમારું કેટલું, બાવાનું કેટલું અને મંગળદાસનું કેટલું ? આંખે દેખાય, કાનથી સંભળાય, જીભથી ચખાય, નાકથી ગંધાય એ બધું મંગળદાસનું. પ્રશ્નકર્તા : મંગળદાસ ? દાદાશ્રી : ડૉક્ટરો કાપે. કાપોને ખબર પડે એ ભાગ મંગળદાસ. અને આમ ખબર ના પડે, અનુભવનારને જ ખબર પડે. એ બધું બાવો. અનુભવનારને ક્રોધ થાય. એ બાવાને થાય. મંગળદાસને ક્રોધ ના થાય. છે. એટલે જ્ઞાનમાંથી ખસી જવાય છે. દાદાશ્રી : એવું છે ને, જોબવાળો ઉપરી કોઈ દહાડો બૂમ પાડતો નથી કે આ લેટ થાય છે ! બળ્યું, મારે એવા આશીર્વાદ હોતા હશે ?! એવું કંઈક કરો, કે અમે ઊંઘતા હોઈએ તે ઘડીએ ખોરાક પેસી જાય અંદર ! પ્રશ્નથી રૂકાવટ ના કરો, આ રૂકાવટ થાય. હેલ્પીંગ થાય એવી વાતચીત કરો. અત્યારે એવો ટાઈમ નથી કે ગમે એમ ઠોકાઠોક કરીએ તો ચાલે. અત્યારે બહુ ઝીણી વાત હોય તો કરો, નકામું ટાઈમ બગાડવા જેવું નથી. તમારે કશું કરવાનું નહીં. તમારે સમજવાનું કે મંગળદાસ કોણ ને બાવો કોણ ? હું કોણ છું એ સમજી ગયા ? એ ઘાલમેલ કરે એ બધો બાવો. ક્રોધ-માન-માયા-લોભ કરે છે, એ બધો બાવો. એ બાવાને ઓળખ્યો કે ના ઓળખ્યો તમે ?! પછી હવે તમે શું કરવાનું કહ્યું મને, એની ઉપર આશીર્વાદ એવું કરાવડાવો !? એવું બોલાય જ નહીં. એવું બોલવાથી આપણો ટાઈમ બગડે. મારો ટાઈમ બગડે, તમારો ટાઈમ બગડે એ, આ સત્સંગનો ટાઈમ બગડે. બાવો ને મંગળદાસતા ફોડ ! મંગળદાસને તમે ઓળખ્યા ? ચપ્પય વાગે મંગળદાસને, લોહી નીકળે તે ય મંગળદાસ. બીજાને શી ભાંજગડ ? મંગળદાસને શું કરવા ભૂખે મારીએ ? પ્રશ્નકર્તા : જે ભૂખની અસર થાય, એ કોને અનુભવાય ? મંગળદાસને કે બાવાને અનુભવાય ? દાદાશ્રી : ભૂખનો પરિચય તો મંગળદાસમાં તો કશું છે જ નહીં. બાવો જ બધું જાણે. મંગળદાસમાં તો કશું જ્ઞાન છે જ નહીં. આપણે ઈજીન હોય, એમાં તેલ ખલાસ થઈ ગયેલું હોય તો ઈજીન જાણે ? પ્રશ્નકર્તા : ના જાણે, બરોબર. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ બધું બાવાનું છે ! આપણા લોક કહે છે, ‘દાદા, હું શુદ્ધાત્મા થયો પણ હજુ મને ક્રોધ આવે છે.” મેં કહ્યું, ‘ક્રોધ બાવાને આવે છે, તને નથી આવતો.’ એટલે તમારે બાવાને કહેવું કે ‘ભઈ, આસ્તે રહીને કામ લ્યોને, આપણે નિવેડો આવી જાય’ કહીએ. થઈ ગયાં પછી કહેવું પણ. કો'કની જોડે ચિઢાતો હોય તો સમજી જવું અને વઢી લે પછી કહેવું ‘શા હારુ કરો છો ? આ સારું દેખાય છે તમને ?!' કહીએ તો બે ફાયદા. એક તો એમનું જરાક નરમ પડે. કોઈ કહેનાર હતું જ નહીંને ! બેફામ કરતા હતા. બીજો શું ફાયદો ? ત્યારે કહે, આપણે પ્રત્યક્ષ જુદા છીએ, એવી આપણને શક્તિ વધતી જાય. પ્રશ્નકર્તા: મારો બાવો સત્સંગમાં મોડો પડ્યો છે આજે. મારો બાવો ઘરે થોડો વ્યવહાર કરવા રહ્યો બાજુવાળા જોડે. દાદાશ્રી : એ વઢવાનું નહીં. મોડો પડ્યોને તો ય આવ્યો ખરોને ! એટલે બાવાને વઢવાનું નહીં. ધીમે રહીને કહેવાનું, ‘વહેલા જાવ. તમે બધી શક્તિવાળા છો. બધી શક્તિવાળા !' એવું કહેવાય એમને. વહેલાં જવું હોય
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy