SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૫૧ નિરાલંબ એક્કેક્ટ નિરાલંબ કહેવાય નહીં. તમે શબ્દાવલંબન સ્થિતિમાં આવ્યા છો, બહુ મોટી સ્થિતિ કહેવાય. આ પદ તો દેવલોકોને ય ના હોય. મોટાં મોટાં ઋષિ-મુનિઓએ કોઈએ જોયેલું નહીં એવું પદ છે આ બધું. માટે કામ કાઢી લેજો. એટલી બધી સેફસાઈડ ને એટલો આનંદ. મહીં સુખ માટે એને બીજા કોઈની જરૂર જ નથી. પોતે પોતાના સ્વભાવથી જ સુખમય, એટલે નિરાલંબ છે, ઓળંબો જ નથી જેને એવો આત્મા આપ્યો છે. દાદા કેવા ઈઠ્યોતેર વર્ષે રહે છે, નહીં ? અવલંબનને લઈને તો પરવશતા થઈ. અવલંબન એ જ પરવશતાને ! પ્રશ્નકર્તા : હોય તો ભેગા થવા જોઈએને ? ભેગા થાય તો ય જ્ઞાનીની હૂંફ મળવી જોઈએને ? દાદાશ્રી : ભેગા ના થાય. જગત આખું ય હૂંફ ખોળે, હૂંફ ! આપણો ગુજરાતી શબ્દ ! હવે હૂંફને લઈને તો જીવે લોકો. ‘ફલાણા ભાઈની હૂંફ છે, તે મારે સારું છે,’ કહેશે. તેમાં બૈરી છે તે ધણીની હૂંફમાં હોય, છોડી છે તે વળી બાપની હૂંફમાં હોય પણ હૂંફ હોય કોઈની. હૂંફના આધારે રહે. એક જ્ઞાનીને હૂંફ-બૂફ જરૂર નહીં. એ હૂંફ હોયને તે તો પરતંત્રતા. હૂંફ ના જોઈએ. ભગવાનની ય હૂંફ ના જોઈએ. ભગવાને ય, પરતંત્રતા વળી પાછી ઉપાધિ. ભગવાન જાય એમની મહારાણી હોય કે એમના જે હોય ત્યાં જાય, આપણે શું લેવા-દેવા ? આપણે હૂંફની જરૂર નહીં. આ તો ધ્યેય કહું છું. હજુ તો કામ તો કાઢવાનું તમારે બધું બાકી રહ્યું છે. આ તો ધ્યેય તમારે રાખવાનો. છેવટે જ્યારે ત્યારે નિરાલંબ થવું પડશેને ? ત્યાં સુધી અવલંબન તો લેવું પડશે ! સના અવલંબન લેવા પડશે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન થયા, પછી નિરાલંબ થવા માંડે ત્યારથી, હજુ સંપૂર્ણ નિરાલંબ ન થઇ ગયેલા હોય. નિરાલંબ થવાની શરૂઆત થઈ ગઈ, ત્યાં સુધી હૂંફ ખોળ્યા જ કરે. આખી રાતમાં કોઇ ખાઇ જવાનું છે? આ પેલો ઊંઘી જાય ને એ ય ઊંઘી જાય. શાની હૂંફ ખોળું છું ? પણ સંસારજાગૃતિ હોય ત્યાં સુધી હુંફ. પણ આત્મા થયા પછી હુંફ ના રહે. ધીમે ધીમે ભય ઓછા થતાં જાય. તમે આત્મા થઇ ગયાને, હવે ભય ઓછાં લાગે છે ને ? અંતે છૂટે જ્ઞાતીનું અવલંબત ! પ્રશ્નકર્તા ઃ ઍબ્સોલ્યુટ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી જ્ઞાનીનો આધાર લેવો પડે ? દાદાશ્રી : હા. શુદ્ધાત્માનો આધાર, દાદાનો આધાર. અને દરિયામાં છોકરાને ઊંચકી રાખ્યો હોય આમ, એ છોકરો નીચે પગ આમ હલાવી તો જુએ કે મહીં પગ પહોંચે કે નહીં પહોંચતા ! એ જુએ તો ખરો, પછી ના પહોંચે ત્યારે પાછો આપણને ચોંટે-વળગે પણ જ્યારે આ પગ પહોંચ્યાને એટલે આપણને ખસેડીને છોડી દે. આપણને ધીમે ધીમે છોડવા માંડે એટલે આપણે ના સમજીએ કે, “મૂઆ આના પગ પહોંચ્યા છે.” પગ પહોંચે એટલે છોડી ના દે ? છોડી દે ! એના પગ પહોંચવા જોઈએ. એવું આ ત્યાં સુધી તમે મને વળગ્યા છો ને, તે તમારા પગ પહોંચે એટલે તમારે છોડી દેવાનો મને. આય અવલંબન છોડી દેવાનું. શબ્દોનું અવલંબન ક્યાં સુધી રાખવાનું ? તમારા પગ પહોંચે ત્યાં સુધી. તમે નિરાલંબ પોતે થઈ જાવ ત્યારે આ છૂટી જાય. એની મેળે છૂટી જશે. ત્યાં સુધી દાદાના અવલંબન જરૂર છે, શુદ્ધાત્માના અવલંબન જરૂર છે. દાદાની પાછળ જ ફર્યા કરો, જ્યાં જાય ત્યાં, જો અવકાશ આપે તો. કોણ અવકાશ આપે તો ? તમારા ઉદયકર્મો તમને અવકાશ આપે તો દાદાની પાછળ ફર્યા કરો અને અવકાશ ના આપે તો એવું નક્કી કરો કે ક્યારે અમને અવકાશ પ્રાપ્ત થશે ! પ્રશ્નકર્તા : કોઇનો ય ભય નથી, નિર્ભય ! દાદાશ્રી : અને આ જગતના લોકો તો એકલું રાતે રહેવાનું હોય તોય હૂંફ ખોળે. એકલાને તો ઊંઘે ય ના આવે. હૂંફ ખોળે જગતના લોકો. હવે મેં તમને નિરાલંબ બનાવ્યા છે. હવે જે હૂંફ ખોળો છો ને, એ તો બધી ડિસ્ચાર્જ છે. પણ હાલ તમે નિરાલંબ છો પણ તમારું
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy