SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૫ જાગૃતિપૂર્વક ખસી જાય તો ? દાદાશ્રી : ખસી શી રીતે જાય પણ ? એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય તો જ ખસી ગયો કહેવાય. પ્રશ્નકર્તા : કારણ કે આજે વ્યવહાર અને સંજોગો આપને પણ આજુબાજુ છે, મહાત્માઓને પણ આજુબાજુ વ્યવહાર, સંજોગો છે, પણ એમાં એવું કંઈક વચ્ચે છે કે જે આપને નિરાલંબ સ્થિતિમાં રાખી શકે છે. દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. પ્રશ્નકર્તા : એ જ પદ. દાદાશ્રી : વીતરાગ રહે. દાદાશ્રી : થઈ જ ગયેલી હોય એ અમારે તો. પ્રશ્નકર્તા : પણ એ સંયોગોનો નિકાલ. દાદાશ્રી : એ નિકાલ થતાં જ હોય. કારણ કે પ્રત્યેક સંયોગોને જુએ, જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય ! તો ય થોડા-ઘણાં રહી જાય, પણ પોતાનું સ્વરૂપ દેખાઈ જાય. એના આધારે સંપૂર્ણ સંયોગોનો નાશ કરી શકે, નહીં તો કરી શકે નહીં ને! પ્રશ્નકર્તા : આ પોતાનું સ્વરૂપ દેખાય તો જ પેલું અવલંબન અવલંબન સ્વરૂપે ના રહેને પછી ? દાદાશ્રી : પોતે પોતાને જોઈ શકે ત્યારથી નિરાલંબ થાય. અત્યારે ‘શુદ્ધાત્મા છું’ એ સર્કલમાં આવ્યો. પ્રશ્નકર્તા : આ બધા આપણા મહાત્માઓ ? દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા: હં, આ શુદ્ધાત્મા પદ એ પણ નિરાલંબ સ્થિતિ લાવનારું પદ છે ને ? એટલે આ ફાઈલોનો નિકાલ થાય તેમ તેમ પેલું આવતું જાય પદ નિરાલંબ સ્થિતિનું ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આપણે અવલંબનો બે જાતના કીધા : એક તો મીઠાશવાળા અવલંબનો અને બીજા કડવાશવાળા અવલંબનો. બરોબર ને ? દાદાશ્રી : બે જાતના સંયોગો હોય છે જ ને ? પ્રશ્નકર્તા : તો એ જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહ્યો કેવી રીતે કહી શકાય ? દાદાશ્રી : એ પોતાને ખબર પડી જાય. એ ના જ કહે, હું રહ્યો નથી. પ્રશ્નકર્તા : આપે એવું પણ કહ્યું કે પેલું અમને સ્વરૂપ દેખાઈ ગયેલું એટલે આ બાજુ નિરાલંબ સ્થિતિ રહી શકે, તો જ્ઞાતા-દ્રષ્ટાપણામાં પણ એવું જ હોય ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપદ તો પોતાને ખબર પડે ને, તમને ખબર પડે છે ને ? ઉપયોગમાં રહે, ક્યાં ઉપયોગ રહે, બધી ખબર પડે. પ્રશ્નકર્તા: એટલે પૂછવાનું એ હતું કે એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું રહેવું અને સ્વરૂપ દેખાઈ જવું એ બન્ને એક જ સ્થિતિ છે કે ફેર છે બેનો ? દાદાશ્રી : જુદું-જુદું. જ્ઞાતા-દ્રષ્ટા તો દરેક માણસ રહી શકે ને ! પ્રશ્નકર્તા : એટલે પેલું ઊંચું છે વધારે. દાદાશ્રી : એ છે જ નહીં કોઈને. પ્રશ્નકર્તા : એટલે ? આપણા મહાત્માઓમાં કોઈને નથી ? પ્રશ્નકર્તા: હં, તો એ બેઉ જાતના અવલંબનો એ ઊભાં થાય અંદર, પણ પોતે એમાંથી ખસી જાય તો એ નિરાલંબ સ્થિતિ તરફ જઈ શકે ? દાદાશ્રી : શી રીતે ખસી જાય પણ ? પ્રશ્નકર્તા : આ જ્ઞાનની જાગૃતિથી. બહાર સંજોગો હોય પણ અંદર
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy