SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૩૫ નહિ, દેહ તો પાડોશી તરીકે, ફર્સ્ટ નેબરર તરીકે છે. એનું ટાઈટલ મેં ફાડી નાખ્યું છે. એટલે હું મનનો માલિક નથી, આ દેહનો માલિક નથી અને વાણીનો માલિક હું નથી. ફક્ત કેવળ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ એ જ પરમ જ્યોતિ છે. કેવળ, ભેળસેળવાળું નહીં. નિર્ભેળ એ પરમ જ્યોતિ છે અને એ જ્યોતિ અમે જોઈ લીધી અને નિરાલંબ થયેલા છીએ. છતાં આલંબનમાં રહીએ છીએ. નહીં તો છેલ્લી વાત, ઠેઠની વાત કોઈ બહાર ના પડે. આ ઠેઠની વાત બહાર પડી આજે. શુદ્ધાત્માનું અવલંબત કોને ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું અવલંબન કોને છે ? આત્મા તો નિરાલંબ છે. દાદાશ્રી : પ્રજ્ઞાને. નિરાલંબ થવું તે જ કેવળજ્ઞાન જ થતું જવું. એક બાજુ નિરાવરણ અને નિરાલંબ બેઉ સાથે થતું જાય. અવલંબનવાળો આત્મા ભેગો થયો એ બહુ મોટી વાત કહેવાય. કારણ કે આત્મા શું છે ને શું નહીં, એ બધું છૂટ્યું. સમ્યકત્વ મોહનીય છૂટ્યું, એટલે લાયક સમકિત થયું. એટલે મોહ સર્વસ્વ પ્રકારે છૂટયો. હવે રહ્યો ચારિત્રમોહ. નિરાલંબ આત્મા જાણ્યા સિવાય ચારિત્રમોહ ના જાય. શુદ્ધાત્મામાં પેઠો એટલે એને મોક્ષના દરવાજામાં પેસી ગયો કહેવાય. એને હવે થોડો થોડો પેલો નિરાલંબ આત્મા પ્રાપ્ત થયો, તે ચારિત્ર ઊભું થયું. પ્રશ્નકર્તા ઃ એક-બે ભવમાં થઈ જાયને, નિરાલંબ. દાદાશ્રી : થઈ જવાનું ને ! નિરાલંબતી પ્રાપ્તિ માટે ઘટે આ બધું. અત્યારે નિરાલંબ સ્થિતિમાં છું હું. છતાં અવલંબને ય છે અને નિરાલંબે ય છે. નિરાલંબ સ્થિતિને હું અનુભવી શકું છું. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે “મારે આલંબન પણ છે ને હું નિરાલંબ પણ છું.’ તો આપને શેનું આલંબન હોય ? દાદાશ્રી : આ તમારા બધાનું. પ્રશ્નકર્તા ઃ દેહનું આલંબને ય ખરુંને, દાદા ? દાદાશ્રી : દેહનું આલંબન તો ખાસ નથી. જેટલું તમારું આલંબન છે એટલું આ દેહનું નથી. કારણ કે મારો ધ્યેય છે કે આ મારું સુખ એમને કેમ પ્રાપ્ત થાય ને કેમ જલ્દી પ્રગટ થાય. આમાં દેહમાં તો કંઈ આલંબન પ્રશ્નકર્તા : નિરાલંબ રહીએ છીએ છતાં આલંબનમાં છીએ એ જરા વધારે ફોડ પાડીને. દાદાશ્રી : લેવું જ પડે ને અવલંબન, એવું છે ને કે અમે અમારા સ્વભાવે કરીને નિરાલંબમાં રહીએ છીએ અને આ છે તે વિશેષભાવમાં એટલે દેહભાવમાં અવલંબન છે. તે (દેહભાવવાળો) અવલંબનવાળો રોફ મારતો હોય તો એ ટાઈમે “અમે' નિરાલંબ થઈ જઈએ, બસ. રોફ નથી, મારતા ત્યાં સુધી અવલંબનમાં રહીએ. એ રોફ મારે એટલે અમે નિરાલંબ થઈ જઈએ. એને શું કહીએ કે બસ, બહુ થઈ ગયું. આઈ ડોન્ટ વોન્ટ. રોફ મારે એટલે સમજી ગયા ? પ્રશ્નકર્તા: હા, સમજી ગયો. દાદાશ્રી : બસ, તેના પૂરતું જ છે. પ્રશ્નકર્તા : એટલે એ જે આઈ ડોન્ટ વોન્ટ એ બહુ મહત્વની વસ્તુ છે. પણ એમાંથી એ થાય ધેન વોટ ડુ યુ વોન્ટ ? દાદાશ્રી : વોન્ટ નથી કરતો ને આ. આ તો એને સમજાવવા માટે આ વાક્ય બોલવું પડે. એ જાણે કે મારા વગર ચાલશે કે નહીં ? પણ નિરાલંબ છું, પછી નહીં ચાલે મુઆ ? આ તો તું કહું કે મને ટેકો દો, તો હું હાથ કરીને ટેકો દઉં. તું ખસી જઉં તો ટેકો મળે ?
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy