SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૧૫ આત્માનો ખોરાક ??? પ્રશ્નકર્તા: આ વાક્ય જે છે તમારું કે આત્મા સિવાય દરેક વસ્તુ ખોરાક ઉપર નભી છે. દાદાશ્રી : બધા ખોરાકથી જીવી રહ્યા છે. પ્રશ્નકર્તા ત્યારે આત્માને ખોરાક ન હોય ? દાદાશ્રી : નથી. બધી જ ચીજને ખોરાક અને તે આ ખોરાકની શોધખોળ મારી છે. આ આગવી શોધખોળ છે મારી. અત્યાર સુધી કોઈએ આને ખોરાક કહ્યો નથી અને શોધખોળ ય કરી નથી કે આ ક્રોધને ખોરાક હોય છે. દાદાશ્રી : આત્માનો ખોરાક એ પોતે નિરંતર ખાય. એનાં વિના એક ક્ષણવાર ટકે નહીં. એ નિરંતરનો જ્ઞાતા-દ્રષ્ટા એ એનો ખોરાક. એ ખોરાકનું ફળ શું ? ત્યારે કહે, પરમાનંદ. અને પોતાના પ્રાણથી જ જીવે છે. આ આવાં નાકના પ્રાણથી જીવતો નથી ! એટલે પોતાને કંઈ જ જરૂર નથી. આ દુનિયામાં કોઈ ચીજનું એને અવલંબન નથી એવો એ આત્મા એ પરમાત્મા છે. પ્રશ્નકર્તા : અને એ બહારના ખોરાક વગર ટકે છે ? દાદાશ્રી : એનો ખોરાક આ જ્ઞાતા-દ્રષ્ટા. પોતાને બહારથી કંઈ લેવાનો નથી. બધું પોતાની અંદર છે. પ્રશ્નકર્તા : કારણ કે માન-મોહ-લોભ-માયા એ બધાને ખોરાક હોય તો ટકે છે. દાદાશ્રી : હા. એ તો આ મહીં ઈચ્છા થઈને ત્યાંથી આ ઊભું થયું બધું. જેને ઈચ્છા નથી, તેને કોઈ વસ્તુ હોય જ નહીં ને ! અને ઈચ્છાવાળો ભિખારી કહેવાય. કોઈ પણ, ઘર, ગાડી, ગમે તે પ્રકારની ઈચ્છા હોય, તો ઈચ્છાવાળો ભિખારી, પ્રશ્નકર્તા : ખોરાક ના કહે તો પુષ્ટિ કહે. દાદાશ્રી : એટલે આ શોધખોળ જુદી છે એટલે આ બધાને ખોરાક પ્રશ્નકર્તા : એટલે હું શું કહેવા માંગું છું કે યૌવનમાં જો આ ખ્યાલ આવે કે કામ-ક્રોધ-લોભ એ બધાનો ખોરાક છે, એ એને ખ્યાલ આવવા માંડે.... પ્રશ્નકર્તા: એટલે આત્માને ય ખોરાક આપવો નથી પડતો, એની મેળે જ લઈ લે છે ? દાદાશ્રી : તો તો બહુ ઊંચું થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે એ પ્રશ્ન થયો કે આત્માનો ખોરાક હોવો જોઈએ કંઈક ? દાદાશ્રી : એને મૂળ ખોરાક જ નથી. એનો ખોરાક આ જ છે, જે છે તે, બીજાં ખોરાક હોતાં ય નથી. એ પોતે પોતાના થકી જીવે છે. પોતે પોતાના પ્રાણથી જીવે છે. પોતે પોતાનું સુખ જ ભોગવે છે, વૈભવમાં છે. ઐશ્વર્યથી જીવે છે. પારકાંને કશું લેવા-દેવા નથી. પ્રશ્નકર્તા આત્માનો ખોરાક શું ? દાદાશ્રી : એને કશું આપવું જ ના પડે અને એવું કશું જરૂર જ નહીં જેને. એમ ને એમ પોતે પોતાથી જીવે છે. પ્રશ્નકર્તા : નાનપણથી તે સો વર્ષનું થાય ત્યાં સુધી આત્માને કંઈ ખોરાક નહીં ? દાદાશ્રી : કશું જ ના થાય તેને શું છે ? સોનાનો સિક્કો મહીં પડી રહ્યો હોય તો એને કાટ ચઢતો જ નથી, બીજી અસર થતી નથી. એ મહીં એમ ને એમ પડી રહે. સોનાનો સિક્કો એ તો એ સિક્કો છે પણ આ તો ભગવાન, કશું અડે જ નહીં. પ્રકાશ સ્વરૂપ પાછાં !
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy