SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ૨૯૩ ૨૯૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) જાણ્યા કરો છો. ભર્તુહરીનું નાટક ભજવવા આવ્યો છે ને એ ખરેખર અંદર લક્ષ્મીચંદ છું એવું જાણ્યા કરે. એ એના લક્ષ્મીચંદને ભૂલે નહીં, તમે તમારા શુદ્ધાત્માને ના ભૂલો. આ જગતનું નાટક, આ છે તે નિશ્ચયનું નાટક. એટલે નાટકમાં નાટકીય કરવું જોઈએ. બધું અમથા અમથા બૂમ બખાડા, બધું ધમાલ ધમાલ કરીએ. મહીં કંઈ પરિણામ ના બદલાય. નહીં તો રડી રડીને ભોગવશો ને તમારે હસીને ભોગવવાનું એટલું જ કહે છે ને ? ભોગવવામાં ફેર છે ને ? તિજ સ્વભાવતું અખંડ જ્ઞાત ! ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” નિજ સ્વભાવનું એટલે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનું નિરંતર. એ સિવાય બીજું ન રહેતું હોય, તેને કેવળજ્ઞાન કહીએ છીએ એવું કૃપાળુદેવ કહે છે. એ પદ હજુ આપણાથી દૂર છે જરા. આપણે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવવાનું છે. એ ચારિત્ર કહેવાય. હજુ તો આપણે દાદાએ દર્શન આપ્યું હતું, અખંડ દર્શન. તેમાંથી અનુભવમાં આવવા માંડ્યું એટલું જ્ઞાન થયું. અને પછી એમાંથી ચારિત્ર ઉત્પન્ન થાય. હવે ચારિત્ર અંશે વર્તે. જેટલું અખંડ જ્ઞાન-દર્શન ભેગું થાય કે ચારિત્ર એટલું ઊભું થઈ જાય. હવે એ એને અનુભવ શેમાંથી થાય ? એ ચારિત્રમોહને જોવાથી એટલે ચંદુભાઈ શું કરી રહ્યા છે એ બધું જ જુએ. દાદાનું ચારિત્ર ! પ્રશ્નકર્તા : હવે આ ચારિત્ર શબ્દની અંદર જે જ્ઞાન અને દર્શન આવી જાય છે. દાદાશ્રી : જ્ઞાન-દર્શન બેઉ આવી જાય. કેવળદર્શન અને કેવળચારિત્ર હોય. ત્યારે કહે, તમે કેવળદર્શન પામ્યા અહીં આગળ ! કેવળજ્ઞાન ને કેવળચારિત્રને નથી પામ્યા. ક્રમિકમાર્ગમાં આ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર એ બાહ્ય, એ અંદરનો ભાગ તો અંદરનો જ છે પણ બધું શબ્દથી છે, યથાર્થ નથી. બહુ ત્યારે છઠ્ઠા ગુઠાણા સુધી પહોંચે અને સાતમું કોક દા'ડો દેખે. બસ, સાતમા ચુંટાણે કોઇ ફેરો કલાક જઇ શકે. તે બન્યું નથી આ કાળમાં હજુ. તે એનું આ વર્ણન છે. અને આપણા અક્રમ માર્ગમાં આ કેવળદર્શન, કેવળજ્ઞાન અને કેવળચારિત્ર, તે કેવળદર્શનમાં પહોંચી ગયા છે. કેવળજ્ઞાનમાં પહોંચી શકાય એમ નથી. એટલે હવે આપણે છે તે આપણી જે પાછલી ખોટ હોય ને તે બધું તૂટ પૂરી કરી દેવી. કારણ કે દર્શન, જ્ઞાન, ચારિત્ર પામ્યા. એટલે આપણે અહીં પૂછી પૂછી પૂછીને આપણું બધું જ બેન્કબેલેન્સ હોય ને બધા ઓવરડ્રાફટ તે બધા પૂરા આપી દેવાના. સપ્લાય કરી દેવાના. વરીઝ રહી નહીં હવે બધી. અહંકાર હોય તો બધી ઉપાધિ હોય. અહંકાર ગયો એટલે બધું ગયું. પ્રશ્નકર્તા : દાદાના ચારિત્રના જેમ જેમ દર્શન થાય છે, નજીકથી જોવા મળે છે, ત્યારે એમ જ થાય અમારામાં આ ચારિત્ર પ્રગટ થાવ. દાદાશ્રી : એ તો થઈ જાય, તમારે ચિંતા ય ના કરવી પડે. જોતાં આવડવું જોઈએ, બસ, આમાં પ્રયત્ન કરનારો રહ્યો જ ક્યાં છે ? પ્રયત્ન કરનાર તો પોતે અકર્તા થયો છે. અકર્તા પ્રયત્ન શી રીતે કરે ? પ્રશ્નકર્તા : પ્રયત્ન રહ્યો ન હોય ત્યારે સહજ પ્રાપ્ત થાય છે. દાદાશ્રી : પ્રયત્ન થાય તે ય સહજ કહેવાય. કારણ કે એ ભોક્તાપદનો અહંકાર છે, કર્તાપદનો અહંકાર નથી. એ ભોક્તાપદનો અહંકાર પ્રયત્ન કરે તેય સહજ જ છે. એ પ્રયત્ન કહેવાય નહીં, પણ એ તો આપણે બોલવું પડે, શબ્દ પહોંચતા જ નથી ત્યાં. પ્રશ્નકર્તા : દાદાજીનું ચારિત્ર જોતાં આવડે અને પ્રગટ થઈ જાય, એ શું ? સંપૂર્ણ ચારિત્ર પ્રગટ થયેલું છે દાદામાં. છતાં એવી કઈ ભૂલ એવું છે કે આ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન ને સમ્યક્ ચારિત્ર જે કહ્યું છે. આ ક્રમિક માર્ગમાં સમ્યક્ જ્ઞાન હોય અને સમ્યક્ દર્શન હોય અને સમ્યક્ ચારિત્ર હોય. આ અક્રમ માર્ગ છે. એટલે કેવળજ્ઞાન,
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy