SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - દર્શન ૨૫૫ ૨૫૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) થઉં, આનો ફુવો થઉં, એ બધી જ પ્રતીતિ ઊઠી ગઈ અને આ પ્રતીતિ બેઠી. એને ક્ષાયિક દર્શન કહે છે. ક્ષાયિક દર્શન એટલે સમજવાની વસ્તુ બધી આવી ગઈ. હવે છતાં તમારે સમજવાનું શા માટે ? સમજવાની વસ્તુ આવી ગઈ પણ તમે પૂરું સમજ્યા નથી. માટે તમારે ફરી ફરી પૂછ પૂછ કર્યા કરવું. પ્રશ્નકર્તા : પૂછ પૂછ કર્યા કરીએ એટલે સમજણ પડે ? દાદાશ્રી : એટલે મૂળ પેલું સમજની લાઈન આખી પૂરી થઈ જાય અને પછી છે તે અનુભવનું પ્રમાણ વર્તે. પ્રશ્નકર્તા : પોતે કબૂલ કરે કે પહેલાં જે પોતાનું માનસ હતું તેમાં અને અત્યારે છે તેમાં ફેર થઈ ગયો છે. પરિણામની વાત કબૂલ થાય છે. દાદાશ્રી : હંમેશા ય કોઈ પણ વસ્તુનો ચેઈન્જ ક્યારે થાય કે એને આ પ્રતીતિ ઊઠે અને નવી પ્રતીતિ બેસે તો જ ચેઈન્જ થાય, નહીં તો ચેઈન્જ ના થાય. આ રસ્તો ખોટો છે ને રોજ જતા હોય. પાછાં. આનું પરિણામ સારું આવવાનું. પરિણામ આવે છે કે નહીં, એટલું હું જોઉં. પ્રશ્નકર્તા: હા. પરિણામ આવ્યું છે. દાદાશ્રી : આ વિજ્ઞાન જ પોતે પરિણામ લાવનારું છે. આ તમારે નહીં કરવાનું, તમે જો ડખલ ના કરો તો તમને મોક્ષે લઈ જશે. પ્રશ્નકર્તા : સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્નત્રયી કહેવાય છે માણસને મુક્તિ આપવા માટે આ જરૂરી છે ? દાદાશ્રી : એટલે ‘હું શુદ્ધાત્મા છું’ અને ‘આ ફાઈલ છે', એની પ્રતીતિ બેસી ગઈ, એને સમ્યક્ દર્શન કહેવાય. પછી આ ફાઈલ જ છે અને ફાઈલને તમે જાણો કે ફાઈલમાં શું શું છે, આમાં શું શું છે એ બધું જાણો છો, એનું નામ જ્ઞાન કહેવાય. અને જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, એનું નામ ચારિત્ર. પ્રશ્નકર્તા: નવી ડેફિનેશન છે, નવી વ્યાખ્યા છે. બહુ ગમી. બહુ સુંદર રીતે સમજાવ્યું. શું ખૂટે છે મહાત્માઓને ? પ્રશ્નકર્તા ઃ દાખલા તરીકે આપને જે દર્શન થયું એ આત્માનું, એટલે એ આત્માના ગુણ તરીકે દર્શનમાં આવ્યું અને એ બીજાને ન આવી શકે ? દાદાશ્રી : નહીં. સમ્યક્ દર્શન એ જ આત્માનો ગુણ. તમને બધાને થઈ ગયેલુંને, સમ્યક્ દર્શન ! પ્રશ્નકર્તા: એ ખરું પણ અમારી પાસે એ જે આત્માનો ગુણ છે એનો અમે બીજો ઉપયોગ તો કરી શકતા નથીને ! દાદાશ્રી : કેમ, કરો છોને ? પ્રશ્નકર્તા: નહીં, જે રીતે આપને એનો ઉપયોગ થાય. પ્રશ્નકર્તા : એમના ઘરમાં ઘાટી હોય અને બરોબર કામ કરતો ના હોય તો ઘણી વખત ગુસ્સે થઈ જાય, અપસેટ થઈ જાય પહેલાં, પણ હવે જ્ઞાન પછી અપસેટ નથી થતાં, બહુ ગુસ્સે નથી થતો. દાદાશ્રી : એટલે બધું પરિણામ ઘણું ઊંચું આવ્યું છે. આપણને પરિણામ સાથે કામ છે ને ! આપણે શબ્દોની મારામારી નથી. આપણે પરિણામ આવે છે કે નહીં ? એનું પરિણામ ના આવે તો મારે ધ્યાન રાખવું પડે પાછું. પ્રશ્નકર્તા : ઘણી વખત વ્યવહાર અને નિશ્ચયની જે વાત છે, એ બરોબર માણસો સમજતા નથી, વ્યવહારની વાત નિશ્ચયમાં લઈ જાય છે અને નિશ્ચયની વાત વ્યવહારમાં લઈ જાય છે. દાદાશ્રી : હા, એ તો બરોબર છે. માણસ અનાદિકાળથી ટેવાયેલા નહિને ! એટલે આ રીતે ચડાવીએ તો ય પાછાં બીજે રસ્તે ચડી જાય
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy