SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - દર્શન ૨૪૫ ૨૪૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : દર્શન એટલે જે સમજની ગેડ બેસી ગયેલું. પ્રશ્નકર્તા: આ પ્રતીતિને દર્શન કહીએ તો લક્ષ શેમાં સમાય ? દાદાશ્રી : અનુભવ, લક્ષ ને પ્રતીતિ. તે પ્રતીતિ દર્શનમાં જાય. લક્ષ છે તે જાગૃતિમાં જાય. લક્ષ એટલે જાગૃતિ. અને જે પ્રતીતિ થયેલી તે અનુભવમાં આવવું તેનું નામ જ્ઞાન થયું કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું' એ દર્શન, એનાં અનુભવ થાય એ જ્ઞાન. દાદાશ્રી : આ સંસારમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર બધું છે તો ખરું અને તપેય છે પણ એ મિથ્યા છે અને આ સમ્યક્ છે. મિથ્યા એટલે વિનાશી સુખના હેતુ માટે અને આ સનાતન સુખના હેતુ માટે. ભગવાને દર્શન તો એને કહ્યું કે દ્રષ્ટિ ફરે તો દર્શન છે કે નહીં તો દર્શન નથી, અદર્શન છે. જે જ્ઞાનથી દ્રષ્ટિ ફરે તે જ્ઞાન, જ્ઞાન છે અને જે જ્ઞાનથી દ્રષ્ટિ ના ફરે એ અજ્ઞાન છે. એટલે અદર્શન છે, અજ્ઞાન છે. આ દર્શન છે, જ્ઞાન છે. દર્શન-જ્ઞાન ત્યાં ચારિત્ર કહ્યું ભગવાને. અને જ્યાં આગળ અદર્શન અને અજ્ઞાન હોય ત્યાં કુચારિત્ર કહ્યું. જ્ઞાન ઉપર આવરણ તે અજ્ઞાન અને દર્શન ઉપર આવરણ તે અદર્શન. અજ્ઞાન અને દર્શનનું પરિણામ શું આવે? ‘કષાય’. અને જ્ઞાનદર્શન એનું ફળ શું? ‘સમાધિ’ આત્માનું દર્શન : અનુભવ : જ્ઞાત ! પ્રશ્નકર્તા : પ્રતીતિ એટલે શું ? દાદાશ્રી : કોઈ કહે કે આ અમારી સ્ત્રી છે. ત્યારે કહે, ના, હજુ સમજણ નહીં પડતી. ત્યારે કહે, ધણીયાણી છે. એના શબ્દો તો હોય જ. એને સ્ત્રી ના સમજણ પડી તો ધણીયાણી કહે, તો સમજણ પડેને ? તો પ્રતીતિ એટલે દર્શન. પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું” એવું શ્રદ્ધામાં રહ્યા કરે એ પ્રતીતિ કહેવાય ? દાદાશ્રી : શ્રદ્ધા એનું નામ કહેવાય કે ખસી જાય, વિશ્વાસ ઊઠી જાય. શ્રદ્ધા બેઠેલી ઊઠી જાય, પ્રતીતિ ના ઊઠે. પ્રશ્નકર્તા : તો આ દર્શન કહેવાય ? દાદાશ્રી : હા, દર્શન કહેવાય. ઊઠે નહીં. પ્રશ્નકર્તા ઃ દર્શન એટલે શું ? પ્રશ્નકર્તા : આપણે આત્માનું જ્ઞાન કહીએ અને પછી આત્માનો અનુભવ કહીએ. તે આત્માનો અનુભવ અને આત્માના જ્ઞાનમાં ફરક શું ? દાદાશ્રી : આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે કહેવાય. અંશજ્ઞાનને અનુભવ કહ્યું અને સવાંશજ્ઞાનને જ્ઞાન કહ્યું. અંશે અંશે વધત વધતો અનુભવ સંપૂર્ણ થાય. પ્રશ્નકર્તા અને અત્યારે જેને આપણે જ્ઞાન આપીએ છીએ, એ લોકોને આત્માનું જ્ઞાન થાય કે આત્માનું અનુભવ પણ થાય ? દાદાશ્રી : બધાને અનુભવ જ થાય છે. અનુભવ જો ના હોય તો પછી આત્મા જ નહીં ને ?! પ્રશ્નકર્તા : અનુભવની અંદર જ છે તે જાગૃતિ આવે છે? દાદાશ્રી : જાગૃતિ રહે જ. પ્રશ્નકર્તા : એ જ અનુભવને ? દાદાશ્રી : નહીં, જાગૃતિ તે છે તે એવી વસ્તુ છે કે જેનાંથી અનુભવ બધા આપણને બીજા થાય છે આ. એક બાજુ લખીએ કે પહેલાં ચંદુભાઈ હતા, તે કેવા હતાં? અને અત્યારે ચંદુભાઈ શું છે? એ શું કારણથી ? ત્યારે કહે છે કે આ ‘જ્ઞાન’ મળ્યું એના પ્રતાપે, જાગૃતિના પ્રતાપે. આ આત્મા તરફની દિશા જાગી ગઈ છે. રાઈટ દિશામાં અને આ રોંગ દિશામાં હતા તે આખોય ચેન્જ મારે. હંડ્રેડ પરસેન્ટ ચેન્જ લાગે.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy