SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શાન - એજ્ઞાન ૨૩૫ ૨૩૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : હા, એ તો હું જીભ ઉપર મૂકું ત્યારે. તે આપણે જીભ ઉપર મૂકશું, તેને ગળી કહીએ છીએ. અને એ મૂઆ શબ્દને ગળી કહે છે, એમાં દહાડો વળે ? ખપે વિજ્ઞાતસ્વરૂપ આત્મા ! જ્ઞાન કેટલા પ્રકારના ? બે પ્રકારના જ્ઞાન. જ્ઞાન વગર તો કોઈ જીવ જીવી શકે જ નહીં. તેમાં એક જ્ઞાન છે તે ઈન્દ્રિય પ્રત્યક્ષ અને બીજું અતીન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં આખું જગત પડેલું છે. બાવાબાવલી, સાધુ-સંન્યાસી-આચાર્ય બધાય ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં છે. પ્રશ્નકર્તા : આ બેમાં તફાવત શું ? દાદાશ્રી : જ્ઞાન સ્વરૂપ આત્મા કંઇ ચેતવે નહીં આપણને. અને વિજ્ઞાન સ્વરૂપ આત્મા તો આપણને ચેતવે. તો તમારે કયો જોઇએ છે ? પ્રશ્નકર્તા : જે ચેતવે તે આત્મા જોઇએ છે. દાદાશ્રી : તો એવો આત્મા અમે આપીએ છીએ. જ્ઞાન એટલે શું ? જ્ઞાન એટલે આ સારું ને આ ખરાબ, સદ્ અને અસહ્નો વિવેક કરાવડાવે અને આ તો વિજ્ઞાન એટલે મુક્તિ અપાવે. કેવળજ્ઞાત સ્વરૂપમાં એ જ લક્ષ ! પ્રશ્નકર્તા : તો પછી ભેદજ્ઞાન એ સર્વસ્વ જ્ઞાન એમ કહેવાય ? દાદાશ્રી : ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન અને એ જ કેવળજ્ઞાનનું મૉબારું છે !! એટલે બિલકુલ શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે, બીજું કશું નહીં. દેહધારી રૂપે આવું શરીર પરમાત્માને હોતું નથી, એ નિર્દેહી છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપે છે, એ બીજા સ્વરૂપમાં છે જ નહીં. જ્ઞાની પુરુષની પાસે બેસીને એ કેવળજ્ઞાન સ્વરૂપ પોતાને સમજાય. કારણ કે જ્ઞાની પુરુષ કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવાનાં જ આશયમાં હોય. પણ આ કાળને લઇને, કાળને હિસાબે કેવળજ્ઞાન સ્વરૂપમાં અખંડપણે રહી ના શકાય. પણ એમનો આશય કેવો હોય કે નિરંતર કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવું. કારણ કે ‘કેવળજ્ઞાન સ્વરૂપને એ ‘પોતે’ જાણતા હોય. આ કાળની એટલી બધી જોશબંધ ઇફેકટ છે કે કેવળજ્ઞાન સ્વરૂપમાં રહી શકાય નહીં. જેમ બે ઈચના પાઇપમાંથી પાણી ફોર્મબંધ આવતું હોય, તો આંગળી રાખે તો ખસી જાય અને અડધા ઈચની પાઇપમાંથી પાણી આવતું હોય તો આંગળી ના ખસી જાય. એવું આ કાળનું જોશ એટલું બધું છે. એટલે જ્ઞાની પુરુષને ય સમતુલામાં રહેવા ના દે ! ત હાર્યા કદિ વીતરાગો કશાથી ! આત્મા જ્યારે તેના સ્વગુણને જાણે, સ્વસ્વરૂપને જાણે, સ્વજ્ઞાનને જાણે ત્યારે અન્ઇફેકટીવ થાય. ગમે એવાં રૂપ લઇને આવ્યા હોય, જાત જાતનાં શબ્દોથી, આપણાં મનને સમજીને બોલ બોલ કરતાં હોય પણ તોય ડગીએ નહીં, એનું નામ જ્ઞાન કહેવાય. એવાં એવાં આવીને થાકી જાય, પણ આપણું જ્ઞાન ડગે નહીં. ત્યારે એ જ્ઞાન એ જ પરમાત્મા છે. અને પરમાત્માં જો ડગ્યા તો એ પરમાત્મા નથી, જ્ઞાન નથી. જ્ઞાન તો અપાર છે. પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા, એની પાર જ્ઞાન જ નથી. કોઇ જગ્યાએ હારે નહીં, એનું નામ વીતરાગ. વખતે દેહ હારે, મન હારે, વાણી હારે પણ પોતે ના હારે. કેવાં વીતરાગ ! શુદ્ધ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે કશાને અડતું જ નથી, નિર્લેપ રહે છે ! અજ્ઞાન જોડે ય જ્ઞાન નિર્લેપ રહે છે. ક્રિયામાં ય જ્ઞાન ભેગું થતું નથી, નિર્લેપ જ રહે છે ! કોઈને અડે નહીં, નડે નહીં, એનું નામ આત્મા. અંધકારને ય નડે નહીં, અજ્ઞાનને નડે નહીં એ અજ્ઞાન એને નડે. એ કોઈને ના નડે એ પરમાત્મા. દીવા જેવી વાત છે ને ! મહાત્માઓને ‘સ્વરૂપ જ્ઞાત'માં રહેવાની ચાવી ! જ્ઞાન એ જ સુખ છે, જ્ઞાન એ જ આત્મા છે, જ્ઞાન એ જ કેવળજ્ઞાન
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy