SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 3८४ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) [૭] રિયલ પુરુષાર્થ આજ્ઞા' પાળવાથી સાચો પુરુષાર્થ શરૂ ! પ્રશ્નકર્તા : રિયલ પુરુષાર્થ અને રિલેટિવ પુરુષાર્થ, એ બેમાં ફરક બતાવોને ! દાદાશ્રી : રિયલ પુરુષાર્થમાં કરવાની વસ્તુ નથી હોતી. બેમાં ફરક એ છે કે રિયલ પુરુષાર્થ એટલે ‘જોવાનું ને જાણવાનું અને રિલેટિવ પુરુષાર્થ એટલે શું ? ભાવ કરવાના. ઐસા હમ કરેંગે. બે જાતના પુરુષાર્થ. એક પ્રારબ્ધમાંથી ઉત્પન્ન થતો પુરુષાર્થ. પ્રારબ્ધમાંથી બીજ પડે, તેનાથી ઉત્પન્ન થતો પુરુષાર્થ અને એક છે તે પુરુષ થયા પછીનો પુરુષાર્થ. તે મેં તમને જ્ઞાન આપ્યું. તે પ્રકૃતિથી તમે છૂટા પડ્યા. ‘હું શુદ્ધાત્મા’ એટલે પુરુષ છે અને ત્યાર પછી પુરુષાર્થ છે ખરો, રિયલ પુરુષાર્થ આ. અને પેલો પુરુષાર્થ તો ખરો જ, પણ ભ્રાંતિનો પુરુષાર્થ. ખોટો ના કહેવાય, પણ તે આ લોકો જે માને છે એ પુરુષાર્થ નથી. આ લોકો માને છે તેમાં કોઈ માણસ સાચો નથી, પુરુષાર્થની બાબતમાં. પ્રશ્નકર્તા : પછી પેલો રિયલ પુરુષાર્થ, ખરો પુરુષાર્થ જે દાદા કરી આપે છે એ સમજાવોને ! દાદાશ્રી : ખરો પુરુષાર્થ તો, તમે જે ચંદુભાઈ હતા ને પુરુષાર્થ કરતા હતાને, એ બ્રાંતિનો પુરુષાર્થ હતો. પણ જ્યારે ‘હું શુદ્ધાત્મા છું' ને એ પુરુષાર્થ કરો પછી, દાદાની પાંચ આજ્ઞામાં રહો એ રિયલ પુરુષાર્થ. પુરુષ થઈને પુરુષાર્થ કર્યો કહેવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે એ સાચો પુરુષાર્થ. એટલે તમે છે તો પાંચ આજ્ઞામાં રહો તે. પ્રશ્નકર્તા : તો પછી આમાં બીજા કોઈ પુરુષાર્થને શું અવકાશ ? દાદાશ્રી : પુરુષાર્થ તો આ મારી આજ્ઞા પાળો એ જ, બીજો કોઈ પુરુષાર્થ કરવાનો હોય જ નહીંને ! બીજું વ્યવસ્થિત. એ આશાઓ બધી પુરુષને માટે જ છે, પ્રકૃતિ માટે નથી. પ્રશ્નકર્તા : જ્ઞાનબીજ જે રોપાયું એ જ પ્રકાશ છે, એ જ જ્યોતિ છે ? દાદાશ્રી : એ જ ! પણ બીજરૂપે. હવે એ ધીમે ધીમે પૂનમ થશે. પુદ્ગલ અને પુરુષ બે જુદા પડ્યા ત્યારથી પુરુષાર્થ સાચો શરૂ થાય. જ્યાં પુરુષાર્થ ચાલુ થયો, તે બીજની પૂનમ કરશે. હા ! આ આજ્ઞા પાળી એટલે થાય. બીજું કશું કરવાનું જ નથી. કરવાનું કશું નહીં, ફક્ત આજ્ઞા પાળવાની. પ્રશ્નકર્તા: દાદા, પુરુષ થયા પછીનાં પુરુષાર્થનું વર્ણન તો કરો થોડું. વ્યવહારમાં કેવી રીતે કરતો હોય ? દાદાશ્રી : વ્યવહારમાં જ છેને બધું આ, આ આપણા મહાત્માઓ બધા રહે જ છે ને ! પાંચ આજ્ઞામાં રહે છે ને ! પાંચ આજ્ઞા એ જ દાદા, એ જ રિયલ પુરુષાર્થ. પુરુષાર્થ ઃ આજ્ઞારૂપી, સ્વભાવિક ! પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ય રહેવું તે ! તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છેને ? રિલેટિવ ને
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy